SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ માર્ગ છે. જો આવી રીતે બધા એકેક ઉભા રહી જાય તો કંઈ ચાલી શકે ? અપવાદમાર્ગના આલંબન લેવાના ન હોય. અપવાદને ન્યાય આપીને માર્ગના જ્ઞાતા ગુરૂનું આલંબન ન લ્યો તો માર્ગ જ ન દેખાય. ગુરૂ વિના અનાદિકાળના અંદરના ગુંચળાને કોણ સુધારે ? માટે ગુરૂનું આલંબન લેવું એ રાજમાર્ગ છે. તામલી તાપસ - તેના જીવનમાં એટલો બધો તપ હતો કે જેનો તપ દસ સમ્યગુદૃષ્ટિ આત્માને વહેંચી આપો. એટલે કે તે તપના દસ વિભાગ કરીએ તો તેટલા તપથી દસ આત્મા મોક્ષે જાય. એટલે કે જરૂર કરતાં દસ ગુણો તપ તાલી પાસે હતો. છતાં તામલી મિથ્યાત્વમાંથી માત્ર સમ્યકત્વ પામ્યો. તે પણ છેલ્લે મરતી વેળાએ. એની પાસે વૈરાગ્ય હતો, એની પાસે ઉપશમ હતો, એની પાસે ભક્તિ હતી, પણ તત્ત્વનો સૂથમબોધ ન હતો. તામલીને જૈનદર્શન નહોતું મળ્યું તેથી સૂમબોધ ન હતો પરંતુ વૈરાગ્ય ઉત્કૃષ્ટ હતો અને પોતે જે કાંઈ સમજયો હતો તેના ઉપર અપૂર્વ શ્રદ્ધા હતી માટે તે શ્રદ્ધાને અમલી બનાવવા જીવનભર ૬૦,૦૦૦ વર્ષ અપ્રમત્તપણે જીવ્યો. લેશ માત્ર પ્રમાદને સ્થાન ન આપ્યું તો અંતે શુદ્ધિ વધતાં વધતાં સમ્યકત્વ પામ્યો. છેલ્લે મૃત્યુ વખતે જૈન દર્શનના મુનિનું દર્શન થયું. એની નિર્દોષ ચર્યા જોતાં પોતાની શુદ્ધિના કારણે ઉપયોગ અંદરમાં ગયો. મહાત્માને જોતાં જ ક્ષયોપશમથી મુનિપણાનું, સાધુતાનું જ્ઞાન જણાઈ ગયું. યોગ્ય જીવને સારું દેખાય ત્યાં વીર્ય ઉછળે છે. જે factor ખૂટતું હતું તે આવી ગયું. આવું સ્વરૂપ જ પામવાનું છે. સૂમબોધ આવી જતાં તામલી અંતે ઈશાનેન્દ્ર બને છે . આજે અમારો વૈરાગ્ય ચોકખો નહીં, ઉપશમભાવ અમારો બરાબર નહીં અને સૂમબોધ પણ કેવો? અપૂર્ણ-મામૂલી છે. પણ એને શ્રદ્ધેય બનાવવાનો છે, અને ઉપાદેય બનાવવાનો છે. અભવ્યને પણ સિદ્ધાંતનો બોધ છે. પણ તેને શ્રદ્ધેય-ઉપાદેય બનાવ્યા નથી એણે આશ્રવ છોડ્યા છે. પણ આશ્રવ સર્વથા હેય છે તે બેસતું નથી. એની પાસે સંવર છે. પણ એ એને ઉપાદેય લાગતાં નથી. માટે વિકાસ રોકાય છે, ને રૂંધાય છે. અહીં એનો અભવ્ય સ્વભાવ પ્રતિબંધક છે. તામલીને કેમ મુશ્કેલી થઈ ? કષાયોની મંદતા એકલી ન ચાલે, વિષયોનો વૈરાગ્ય એકલો ન ચાલે, ભગવાનની ભક્તિ એકલી ન ચાલે, બધા Factor છે. પણ એક ખૂટે છે. ત્યાં તત્ત્વનો સૂક્ષ્મબોધ પણ જરૂરી છે વિકાસનાં બધા પગથીયા પકડીએ તો જ આત્મકલ્યાણ થાય છે. અન્યદર્શનમાંથી મોક્ષે જવાય છે. એકેક પગથીઆ એમની પાસે છે. એ વિષયમાં શુદ્ધિ થતાં બાકીનું તત્વ કોઈ પણ રીતે મળી જાય છે. માટે શુદ્ધિ થાય છે. મોક્ષે જાય છે. અન્યદર્શનમાં પણ કયારેક વૈરાગ્ય, ભક્તિ ઉપશમભાવ ઉચી કોટિના હોય છે, એને લેતાં આવડે તો લેવું, ન આવડે તો છોડી દેવું. અન્યદર્શનમાં ઘાલમેલ ઘણી છે. એટલે બકરું કાઢતાં ઊંટ પેસી ન જાય તે ખાસ જોવાનું છે. બાહુબલીની સાધના કેવી? દેહની મૂછ કેવી ઉતારી છે? બાર મહિનામાં તો શરીર ઉપર વેલડીઓ વીંટાઈ ગઈ. ચકલીઓએ માળા ઘાલ્યા છે. જંગલમાં શોધ્યા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy