SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ યોગદષ્ટિનાં અજવાળાં–ભાગ-૨ गरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता। आत्मतत्त्वप्रकाशेन तावत्सेव्यो गुरूत्तमः ॥ (૧) ગમે તેવા વિકટસંયોગોમાં પણ પોતાના આત્માનું અનુશાસન કરવા રૂપ અને પોતાના આત્માને સ્વભાવમાં રાખવારૂપ ગુરુપણું પોતાના આત્મામાં ઉદય પામે નહીં, ત્યાં સુધી આત્મતત્ત્વનો પ્રકાશ કરવાના હેતુથી ગુરુકુલવાસ અવશ્ય સેવવો જોઈએ. અર્થાત્ ગુરુકુલવાસમાં ગીતાર્થગુરુની નિશ્રાએ રહી માર્ગના સૂક્ષ્મજ્ઞાતા બનવાનું છે અને ગ્રંથિભેદ કરી આત્માને ભાવચારિત્રમય બનાવવાનો છે. આવી સ્થિતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો અવશ્યમેવ ગુરુકુલવાસ સેવવાનો જ છે. તે પછી પણ ગુરુકુલવાસ તો સેવવાનો જ છે પરંતુ તે પહેલા તો કોઈ પણ સંજોગોમાં છોડવાનો નથી. આત્મતત્વના પ્રકાશથી ગુરુપણું આવે છે. ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાના તાત્ત્વિકબોધ અને પ્રવર્તનથી આત્મતત્વના પ્રકાશરૂપ અત્યંતર ગુરુપણું - તાત્ત્વિક ગુરુપણું - નશ્ચયિક ગુરુપણું આવે છે. અને તે માટે આત્મતત્ત્વના પ્રકાશવાળા બાહ્યગુરુની સેવા અર્થાત્ તેમની ઇચ્છાનુસાર વર્તન જરૂરી છે, તેના દ્વારા આત્મતત્વનો પ્રકાશ થવાથી પોતાનામાં ગુરુપણું ઉદય પામે છે. પોતાની જાતના ગુરુ બન્યા સિવાય બીજા કોઈના ગુરુ બનવાની ઉતાવળ કરવા જેવી નથી. અનંતકાળમાં જીવ ચારિત્ર લઈ અનંત વાર ગુરુ બન્યો છે પરંતુ એક વાર પણ અનુભવ જ્ઞાની બન્યો નથી. ગુરુ બનતાં પહેલા શિષ્ય બનવું પડે છે. શિષ્યભાવ આવ્યા વિના કોઈના સાચા ગુરુ બની શકાતું નથી. એ શિષ્યભાવ લાવવા જ્ઞાની ગુરુની, અનુભવી ગુરુની બીનશરતિ શરણાગતિ જરૂરી છે. પરમાત્માની સાથેના અનુસંધાનથી જીવન નંદનવન બને છે. ઈશ્વરપ્રણિધાન – પરમાત્મસ્વરૂપનું ચિંતન, ધ્યાન, સ્મરણ તે ઈશ્વરપ્રણિધાન છે. ચિંતન-મનનમાં પરમાત્મ-સ્વરૂપનો ખ્યાલ હોવો જોઈએ. જો તે ન હોય, તો તે સ્વાધ્યાય પણ વાસ્તવિક નથી. કંઈ પણ પ્રવૃત્તિ કરતાં હદય શુષ્ક ન બનવું જોઈએ. હૃદયને આર્ટ બનાવવું જોઈએ. હૃદય પરમાત્માના સ્વરૂપથી ભીંજાયેલું હોવું જોઈએ. ફાધર વાલેસ લખે છે કે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ વચ્ચે અંતર અનંત છે પણ જો વચમાં પરમાત્મતત્ત્વ હોય તો જ તે બે ભેગા થઈ શકે છે. એકબીજાની વચમાં જોડનારું પરમાત્મતત્ત્વ હોય તો જ તે બે નિકટ આવી શકે છે. - ટાગોરે કહ્યું છે કે, માનવ-માનવનું મિલન કરાવનાર પરમાત્મતત્ત્વ છે. જે બેમાંથી એકમાં પણ જો પરમાત્મ તત્ત્વ ન હોય તો તે બે નિકટમાં નહીં આવી શકે. આ માનવ-માનવ મારો ભાઈ છે એવો ખ્યાલ ક્યારે આવે? પરમાત્માના માધ્યમથી આવે છે. જેમ જગતમાં આ મારો ભાઈ છે એવો ખ્યાલ બાપના માધ્યમે જ આવે છે, જ્યારે અમારા બંનેનો બાપ એક છે એવો ખ્યાલ આવે છે ત્યારે આ મારો ભાઈ છે, એવો ખ્યાલ આવે છે. તેમ વિશ્વની સૃષ્ટિમાં દરેકે દરેક મારા બંધુ છે. માનવમાત્ર મારો બંધુ છે એ ખ્યાલ, એવી ભાવના ત્યારે આવશે કે જ્યારે અમારા બંનેનો પરમાત્મા એક છે – એવું જણાશે. જ્યાં પરમાત્મતત્વ નથી ત્યાં બે વ્યક્તિ ભેગી થઈ શકતી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy