SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિના અભાવમાં દુઃખ કેટલું? ૧૭૮ જ્યાં સુધી આ ચરમયથાપ્રવૃત્તકરણ નહોતું આવ્યું ત્યાં સુધી તો જીવ ઓધદષ્ટિના નશામાં ભવાભિનંદી હતો, પગલાનંદી હતો, વિષયાનંદી હતો એટલે એને તો બધું ઈન્દ્રિયોની ખુશી-નાખુશીનાં કાટલે જ માપવાનું રહેતું. જેમ અર્થલોભી વાણિયો બધું પૈસાના કાટલે જ માપે, માલની લે-વેચ કરે, વેપારી, ઘરાક કે દલાલ સાથે વાત કરે. એમાં એ જ જુએ કે “આમાં મને પૈસાનો લાભ થાય છે ?” બસ, અર્થલોભી વણિકને બધી વાતમાં પૈસાની જ એક દષ્ટિ, એમ ઓધદષ્ટિના અંધકારમાં જીવને ઇન્દ્રિયના તર્પણની જ એક દૃષ્ટિએ ઇષ્ટ વિષયો કેમ મળે ? મળેલા કેમ ટકે? અનિષ્ટ વિષયો કેમ ટળે ? આ જ એક વેશ્યા, આ જ એક લગન ! આમાં જ્યાં આત્મા પર દૃષ્ટિ નહિ, પછી ગુણ કયાંથી આવે? વિષયમૂઢતાવશ જરૂર પડ્યે દયા પણ કરે, પરંતુ એની મુખ્ય ચોટ દુન્યવી વિષયો પર કે “દયા-દાનાદિથી સારા કિંમતી વિષયસુખો કેમ મળે?” એ દેખીતા દયા-દાનાદિ ગુણથી પણ વાસ્તવમાં આત્માને કશો નિર્મળભાવ નહિ. એ તો ચરમયથાપ્રવૃત્તકરણમાં જ મિથ્યાત્વની અધિક મંદતા થવાના કારણે જીવની દૃષ્ટિ આત્મા પર, પરમાત્મા પર, તત્ત્વ પર જાય છે અને “ગુણસ્થાન' એવો સાન્તર્થ એટલે સાર્થક શબ્દ-પ્રયોગ અહીં ચરમયથાપ્રવૃત્તકરણમાં ઘટે છે. દષ્ટિના અભાવમાં દુઃખ કેટલું ? આ સંસારમાં એક ચક્ષુ ન મળે તો કેટલું દુઃખ હોઈ શકે છે. એ વાત પછી, પણ એક માણસને નજરકેદમાં રાખો તો ત્યાં તો બધું દેખાય છે, બધી ઇન્દ્રિયોનું સુખ છે છતાં કેદના પાંજરામાં છે. જેલના સળીયામાં છે. તો બીજા બધા સુખ હોવા છતાં પણ જીવને દુઃખ લાગે છે. ક્યારે છૂટું એની સતત વિચારણા-ઝંખના હોય છે. પોપટને પાંજરામાં પૂર્યો છે. સામે જામફળ છે, મરચાં છે, ખાવાની બધી ચીજો પડેલી છે, છતાં તેને પાંજરાનું બંધન લાગે છે. ક્યારે આ બંધનમાંથી છૂટું, મુકત ગગનમાં ઉડવાની ઝંખના હૈયામાં સતત હોય છે. એ વિના બીજા બધા સુખો દુઃખ રૂપ લાગે છે. તેમ જીવને બીજા બધા સુખ હોવા છતાં ચક્ષુ વિના કેવું દુઃખ લાગે છે ? ચક્ષુ વિનાનું જીવન કેવું? પરાધીનતા કેવી ? બીજા બધા સુખો હોવા છતાં ચક્ષુ ન હોય તો જીવન કેવું દુ:ખ રૂપ લાગે છે ? એક આંખ રૂપ દ્રવ્યદૃષ્ટિની પણ વિશ્વમાં આટલી બધી કિંમત છે. વિશ્વમાં દષ્ટિનું સુખ સર્વોત્તમ છે દષ્ટિના અભાવમાં મળતાં બીજા બધા સુખો દુઃખરૂ૫ છે, નહિવત્ છે. તેમ ભાવષ્ટિના અભાવમાં આત્માને કેટલું દુઃખ હોય? તે સમજાય છે? અનંતકાળથી આ આત્મા વિવેકચક્ષુ, જ્ઞાનચક્ષુ, ગુમાવી બેઠો છે. સમ્યગુદર્શન ગુમાવી બેઠો છે. ભાવચક્ષુની કિંમત આત્મા સમજી શકતો નથી. દ્રવ્યચક્ષુ ન હોય તો લોકમાં દેખી ન શકે એટલું જ. તેનાથી આત્મિક નુકશાન શું? જીવને દ્રવ્યચક્ષના અભાવથી પરલોકમાં કંઈ નુકશાન નથી થતું. ભાવચક્ષુ ન હોય તો પરલોકમાં વિડંબના પામે છે. ભાવચક્ષુ વિના જે સ્થિતિ સર્જાય છે. તેનાથી આપણને મુંઝવણ ઊભી થતી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy