SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ યોગદષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ આ બધું ચરમયથાપ્રવૃત્તકરણમાં આવ્યા પછી જ શકય બને છે. યોગવેત્તાઓ સમજે છે કે આ ચરમયથાપ્રવૃત્તકરણ એ અપૂર્વકરણની નજીકનો પરિણામ છે અને વ્યભિચાર રહિત છે એટલે નિયમા સમકિત પામનાર બનશે. આ જ વાત ગ્રંથકારે શ્લોકમાં કહી છે. अपूर्वासन्नभावेन व्यभिचार - वियोगतः । तत्त्वतोऽपूर्वमेवेद, मिति योगविदो विदुः ।। ३९ ।। ચરમ યથાપ્રવૃત્તકરણમાં ઘણી અપૂર્વ અને અદ્દભુત વસ્તુ પ્રાપ્ત થાય છે. દા.ત. ભવાભિનંદીપણાની ઓઘદૃષ્ટિનો અંત, યોગદષ્ટિની પ્રાપ્તિ, ભાવમલની અત્યંત અલ્પતાને લીધે દુઃખિત જીવો પર અત્યંત દયા વગેરે ત્રણ મહા ગુણ, પાંચ યોગ બીજોની આરાધના, ત્રણ અવંચકની પ્રાપ્તિ વગેરે કલ્યાણાંગો ઘણા મળે છે, અને માટે જ “પ્રથમ ગુણસ્થાન' શબ્દ સાર્થક રીતે અહીં એટલે ચરમયથાપ્રવૃત્તકરણમાં લાગુ પડે છે. તે પહેલાં ઉપચારથી પ્રાપ્ત થાય છે. અપૂર્વકરણને ઉત્પન્ન કરનાર આ ચરમયથાપ્રવૃત્તકરણને પણ ગ્રંથકારશ્રી અપૂર્વ જ કહે છે. કારણ કે જેમ જીવને અનાદિ સંસારમાં રખડતા અપૂર્વકરણનો પરિણામ કયારે પણ આવ્યો નથી, તેમ ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ પણ ક્યારે સ્પર્યો નથી. જો તે ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ આવ્યો હોત તો તેના બળે અપૂર્વકરણ, ગ્રંથિભેદ, સમ્યકત્વ વિગેરે પણ થઈ ગયું હોત. માટે આ ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ પણ અપૂર્વ જ છે. વળી પ્રસ્તુત યથાપ્રવૃત્તકરણ પણ ચરમ એટલે અંતિમ એટલા માટે છે કે હવે જીવ આ ચાલી રહેલા શુભ અધ્યવસાયમાંથી પાછો પડવાનો નથી. પરંતુ એમાં અધિક અધિક નિર્મળતા લાવી અંતે અપૂર્વકરણનો અતિવિશુદ્ધ અધ્યવસાય પામવાનો જ છે અને તેનાથી આગળ વધીને અનિવૃત્તિકરણ, અંતરકરણ અર્થાત્ ઉપશમસમ્યકત્ત્વ પણ પામવાનો છે. આમ પ્રસ્તુત અધ્યવસાય પૂર્વમાં ક્યારેય પ્રાપ્ત થયેલ ન હોવાથી તેમજ તેના દ્વારા અપૂર્વકરણ વગેરે પ્રાપ્ત થતું હોવાથી તે અપૂર્વ જ છે. प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् ।। अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ॥ ४० ॥ મિથ્યાત્વ એ તો દોષ છે. આત્માનો શત્રુ છે. છતાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને જે ગુણસ્થાનક કહેવાય છે તે “ગુણસ્થાન” શબ્દનો મુખ્ય અર્થ અહીં ચરમયથાપ્રવૃત્તકરણ કાલમાં ઘટે છે. આ અવસ્થામાં જ મિથ્યાત્વની સાનુબંધ મંદતા થતાં આત્મા યોગદષ્ટિનો પ્રકાશ, દુઃખી જીવો ઉપર અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અષ, સર્વત્ર ઔચિત્યનું પાલન વિગેરે ગુણો પામે છે. આ અવસ્થામાં તેની દૃષ્ટિ આત્મા અને પરમાત્મા તરફ જાય છે. ઓઘદૃષ્ટિમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની બંધથી મંદતા હતી. અનુબંધથી નહીં, માટે તે અવસ્થામાં કદાચ ગુણો દેખાય તો પણ તે ગુણ નહીં, ગુણાભાસ જ હતો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy