SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મયોનિ ૧૭૬ અવિકસિત હતું, બાલ્યકાળ હતો. તેથી ત્યાં નિમિત્તો મળ્યાં નથી એમ નથી. પણ નિમિત્તનો સદુપયોગ ન હતો. નિમિત્તો તો એના એ જ સ્વરૂપમાં છે જ. પણ ઉપાદાનની યોગ્યતા પ્રગટી નથી. માટે નિમિત્ત-નૈમિતિક સંબંધ જામ્યો નથી. અચરમાવર્તમાં નિમિત્ત સામગ્રીએ નુકસાન કર્યું નથી અભવ્યને સારા નિમિત્તો નુકસાનકર્તા થયા નથી. સારા નિમિત્તો પુણ્યના ઉદયે મળે છે. એ સારા નિમિત્તોને વખોડાય જ કેમ? પણ ત્યારે આત્મા જાગ્યો નહીં, માટે નુકસાન થયું છે. રખડાવનાર કોણ છે ? નિમિત્ત સામગ્રીથી નુકસાન થયું જ નથી. સામગ્રીનો વાંક, નિમિત્તનો વાંક કાઢવો એ અનુચિત છે. નિમિત્તની કદર કરવી એ ઉચિત છે. અભવ્યને જ્યારે સારી સામગ્રી મળી છે ત્યારે થોડા કાળ પુરતો ઉપર ગયો છે. માટે નિમિત્ત સામગ્રી સારી મળે તેનો ઉપયોગ કરી લેવો. આદર-બહુમાન કેળવવું. તેના દ્વારા કંઈક પ્રાપ્ત કરી લેવું એ જ ઉચિત છે. સારાની પ્રશંસા જરૂર કરાય, પણ ખોટાની નિંદા તો ન જ કરાય. જે સ્થાને જે વસ્તુ છે તેને સમ્યગુ ન્યાય આપવો જોઈએ. સમ્યકત્વના આઠ આચારમાં પહેલા ચાર આચાર જ તમે જાણો છો. પાછળ ના ચારની ખબર નથી. પહેલા ચાર કરતાં પાછળના ચાર અતિશય ઉપયોગી છે. સ્થિરીકરણ, પ્રભાવના, વાત્સલ્ય, અનુમોદના એ ૪ વિના સમકિત આવે નહીં અને આવ્યું હોય તો ટકે નહીં. આત્મગુણોની પ્રાપ્તિ કરનાર જીવોના અભુત ગુણોની પ્રશંસા કરવાથી, અનુમોદના કરવાથી ઉપબૃહણા નામનો દર્શનાચાર સેવાય છે. તેનાથી આત્માનો વિકાસ થાય અને આત્મામાં ગુણોની યોગ્યતા ઊભી થાય છે. જેમણે આત્મગુણો પ્રાપ્ત કર્યા નથી. અથવા પ્રાપ્ત કર્યા પછી પતિત પરિણામી બન્યા છે તેવા જીવો માટે સ્થિરીકરણ આચાર સેવવાનો છે. ધર્મમાં અસ્થિર બનેલાને સ્થિર કરવા જોઈએ. બે પાંચ જીવોના કલ્યાણમિત્ર બનીને તમે તેઓને સ્થિર કરી દો તો તમે પણ પોતે ધર્મમાં સ્થિર થવાના જ છો. કુદરતનો ક્રમ છે જે ઘણાને દાન દ્વારા સુખી કરે તે દરિદ્ર ન બને, જે અનેકને આપે તેને કોઈ પાસે માંગવું ન પડે. તેને કોઈની પાસે પ્રાયઃ હાથ લાંબો કરવો ન પડે. પ્રાયઃ શબ્દ એટલા માટે મુકયો છે કે પૂર્વના નિકાચિત કર્મોદયે કદાચ દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થતાં માંગવું પડે તો પણ સામેથી કોઈ આપનાર મળી રહે છે અને મુશ્કેલી દૂર થઈ જાય છે. આ નિયમથી જે બીજાને શાતા આપે છે તેને પ્રાયઃ અશાતા આવતી નથી. આવે તો તે તેમાંથી સરળતાથી બહાર નીકળી શકે છે. જીવો પ્રત્યેના વાત્સલ્યથી મળેલી શક્તિનો સદુપયોગ કરવાનું થાય છે આત્માનો વિકાસક્રમ આ રીતે થાય છે. જનશાસનની પ્રભાવના કરવાથી ભવાંતરમાં જીવ સુલભ બોધિ બને છે. બીજાઓમાં ધર્મ પ્રગટાવવાનો છે. ધર્મ એ લાદવાની ચીજ નથી પણ ધર્મ એ અંદરમાંથી ઉગવાની ચીજ છે. પ્રાચનિક, વાદી, નિમિતજ્ઞ, કવિ વિ. પોતાની શકિતથી જીનશાસનની ધજાને જીવોના પ્રાંગણમાં ફરકાવે છે. જ્યારે આવી વિશિષ્ટ વ્યકિત ન હોય ત્યારે જનાજ્ઞા મુજબ વિધિપૂર્વક ક્રિયા, યાત્રા વિ. કરનારાઓ પ્રભાવક બને છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy