SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ યોગદૃષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ ચરમાવર્તમાં ભાવમલનું જોર પ્રચુર પ્રમાણમાં ઘટી જવાથી જે ચરમયથાપ્રવૃત્તકરણનો ઉત્તમ અધ્યવસાય પ્રાપ્ત થાય છે. તે અતિ ઉત્તમ કોટિનો છે. તેનાથી ઉત્તરોત્તર ઉત્તમ આત્મભાવો પ્રાપ્ત થાય છે. અહીંથી હવે પડવાનો નથી. પૂર્વે નહી પ્રાપ્ત થયેલ બધું અપૂર્વ અહીં છે. (૧) ચરમાવર્ત. (૨) ભાવમલનો નાશ. (૩) ચરમયથાપ્રવૃત્તકરણ-પરિણામ. સદગુરૂયોગ-ઉપદેશાદિ નિમિત્તોની પ્રાપ્તિ. દુઃખિતો ઉપર અત્યન્ત દયા, ગુણસંપન પ્રત્યે અદ્વેષ, ઉચિત પાલન એ રૂપ અવ્યક્ત સમાધિવિશેષ રૂપ અવંચક પરિણામ. (૬) આમાંથી યોગબીજોની પ્રાપ્તિ. (૭) આમાંથી અવંચકયોગાદિ પ્રાપ્તિ. (૮) અને આખરે મોક્ષફળની પ્રાપ્તિ. આત્માનો વિકાસ પણ ચરમાવર્તથી જ છે. ચરમાવર્તમાં આવ્યો એટલે ભાવમલનો હાસ થાય જ એવું નથી. પણ ભાવમલનો હ્રાસ અહીં જ શક્ય છે. તથાભવ્યત્વનો પરિપાક અહીંથી થાય છે. જરૂરી પુરૂષાર્થ અહીં શકય બને છે. ત્યારે આગળ આગળ જીવ ગતિ કરી શકે છે. ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ એટલે સનિમિત્તોને ઝીલવાની યોગ્યતા આવી. સપ્રણામાદિનો ભાવ આવે. જીવ (૧) માર્માભિમુખ (૨) માર્ગ પતિત. (૩) માર્થાનુસારી બને છે. આ બધું ચરમયથાપ્રવૃત્તકરણમાં જ આવે છે. નિમિત્ત મળતાં દુખિતેષ દયાત્યન્ત વિગેરે ગુણો આવ્યા. આ ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા ઘટિત લક્ષણ જ છે. અવ્યક્ત સમાધિ પણ આજ છે. આને દૃષ્ટિમાં આવ્યો કહી શકાય. અહીં યોગબીજોને ગ્રહણ કરે છે. નિમિત્ત મળતાં આવા ગુણવાળો આગળ વધે છે. ઉત્તરોત્તર-એક પછી એક કાર્ય થવાથી આત્માનો ક્રમિક વિકાસ થઈ રહ્યો છે. એક પણ પગથીયું ઓળંગી શકાતું નથી. સામાન્યથી બધા સ્થાનોમાંથી જીવને પસાર થવું જ પડે છે. પરિણામની વિશેષ શુદ્ધિ થઈ એટલે દુખિતેષુદયાત્યનં' આદિ ત્રણ ગુણો પેદા થયા. જીવ દૃષ્ટિ પામ્યો. આ અવ્યક્ત સમાધિ એવી થઈ કે શુભ નિમિત્તો પ્રાપ્ત થતાં યોગાવંચકાદિ પ્રાપ્ત થાય છે. દુખિતેષ દયાત્યન્ત એ ગુણસંપન્ન અપુનબંધકાવસ્થાના ગુણો છે. ભવનો રાગ ઘટ્યા વિના આવી દયા આવે નહીં. ભવનો રાગ તીવ્ર હોય તો આવા ગુણો આવી શકે નહીં. તથાભવ્યત્વનો પરિપાક અહીં શક્ય છે. તથાભવ્યત્વ પરિપાક માટે જરૂરી પુરૂષાર્થનો કાળ આવી ગયો છે. આ પહેલા જીવની અવિકસિત દશા છે. દા.ત. કેરીનો મરવો એ અવિકસિત અવસ્થા છે. ગમે તેટલો પુરૂષાર્થ કરો પણ પાકે નહીં. અને કેરી એ વિકસિત અવસ્થા છે. ઘાસ વિગેરે પુરૂષાર્થ કરવાથી કેરી પાકી જાય છે. પહેલા ધર્મનો બાલ્યકાળ હતો. અહીં ધર્મનો યૌવનકાળ છે. અચરમાવર્તમાં ચૈતન્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy