SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ સંસારના સુખ ભોગવવામાં કોઈ પ્રમાદી બન્યું છે? પાપના ઉદયથી સંસારમાં દુઃખ આવે તો તેને કાઢવામાં કોઈ પ્રમાદી બન્યું છે? જેમકે પાંચ ડીગ્રી તાવ થયો, તો કંઈ નહીં કાલે ડોકટરને બતાવીશું. એમાં પ્રમાદી બન્યાં ? સુખ ભોગવવામાં થાક નહીં, કંટાળો નહીં અને પ્રસન્નતાનો અભાવ નહીં. દુઃખ ટાળવાના અવસરે કંટાળો નહીં. તેને દૂર કરવાની સતત ઈચ્છા છે. દીકરો અમેરીકા ગયો. પૈસા કમાવામાં કષ્ટ વેઠવું પડે છે. છતાં કેટલી પ્રસન્નતા હોય છે ? જગતમાં એક સ્ત્રીને માતા બનવાની ઈચ્છા છે, ઝંખના છે તો તે કેટલા બધા કષ્ટોને પ્રસન્નતાથી સહર્ષ સ્વીકારે છે. કહ્યું છે કે પ્રસૂતિ કેરી પીડ, પ્રસૂતા નારી પીછાણે, વિગત વાંઝણીને શું ? જેને વીતી હોય તે જાણે.” ઘણા અને લાંબા કાળના કષ્ટો હોવા છતાં પ્રસન્નતા જળવાઈ રહે છે. એક સ્ત્રી તેના સંસારમાં સાસુ-સસરા, પતિ, બાળકો વિગેરે બધા કુટુંબીજનો માટે કષ્ટ વેઠીને, પ્રસન્નતાપૂર્વક વિવિધ જાતની રસોઈ બનાવીને તે બધાને પ્રેમથી જમાડે છે. આવા બધા સંસારના તમામ કાર્યોમાં પ્રસન્નતા હોય છે. કારણ કે આ સર્વ કાર્યો રાગાદિ હોતે છતે થાય છે. તેમાં તેમનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. તે સિદ્ધ થતું દેખાય છે. તેથી જીવ તે તે કાર્યો-લાંબા કાળ સુધીના હોય તો પણ ખુશખુશાલ રહી શકે છે. એટલે સંસારના તમામ કાર્યોમાં જોરદાર લક્ષ્ય બંધાયેલું હોય છે. તેથી તેની પ્રત્યેક કિયામાં પ્રેમ હોય છે. રાગ હોય છે. એમ અહીં અધ્યાત્મ ક્ષેત્રના કાર્યોનું મનમાં જોરદાર નક્કી હોવું જરૂરી છે. લક્ષ્ય અતિપ્રિય હોય. તો ગમે તેવી કષ્ટમય સાધના હોય તોય તેમાં પ્રસન્નતા જળવાઈ રહે છે. મહાપુરૂષોને કર્મક્ષયનું લક્ષ્ય જોરદાર હતું તો તેઓ ગમે તેવા કષ્ટો-પરિષહો-ઉપસર્ગ સામે પણ પ્રસન્નતાને ટકાવી શક્યા છે. સંસારના કાર્યોમાં રાગાદિ સાધક છે. અધ્યાત્મક્ષેત્રમાં, આત્મકલ્યાણમાં રાગાદિ બાધક છે. તેથી તેનો અભાવ કરવાનો છે. સામે પૂરે ચાલવાનું છે. તેથી તે કઠીન પડે છે. પ.પૂ. પદ્મવિજયજી મ.સા. પૂજાની ઢાળમાં કહ્યું છે કે “એક અચરિજ પ્રતિસ્રોત તરતાં, આવે ભવસાગર તટમાં” એક જ મોક્ષના લક્ષ્ય કરાતી ઘર્મ ક્રિયામાં ચિત્તની સ્વસ્થતા, શ્રદ્ધા અને સુખા, પ્રસન્નતા પણ અતિ જરૂરી છે. (૪) વિવિદિષા : મોક્ષ પ્રાપક ઘર્મ સાધવો છે તો વિવિદિષા એ ચોથા નંબરમાં ધર્મયોનિ રૂપ છે. વિવિદિષા એટલે જિજ્ઞાસા એટલે જે અનુષ્ઠાન-ધર્મ કરે તેને જાણવાની ઈચ્છા. તેનું સ્વરૂપ શું? તેની વિધિ શું? તેમાં સાધક શું? બાધક શું ? કેમ આગળ વધાય? તે સારી રીતે કેમ બને? તે માટે શું શું જોઈએ. એવી જાણવાની ઈચ્છા તે વિવિદિષા છે. આ વિવિદિષા વિના કરાતો ધર્મ વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી. જિજ્ઞાસા એ સાધનાનો પ્રાણ છે. બાધકતાને દૂર કરીને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy