SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મયોનિ ૧૭૩ એમાંથી જ ચોથું ગુણઠાણું આવવાનું છે. આ શ્રદ્ધા મજબૂત હશે તો અલ્પ તપ-૪૫ હશે તોય ચોથું ગુણઠાણું આવશે. આ શ્રદ્ધા મજબૂત નહીં હોય તો ઘણા તપ-જપથી પણ કલ્યાણ નહીં થાય. આપણી કેવી કરૂણતા છે કે સંસારમાં સ્વજન વિના આપણે જીવી શકતા નથી અને પરમાત્મા વિના આપણે અનંતકાળથી જીવીએ છીએ. આવી છે આપણી શ્રદ્ધા. પત્ની વગર જીવી શકો છો? સતત યાદ કર્યા કરો છો. પત્નીનો વિરહ સાલે છે. તે મરી ગયે ઘણો સમય જવા છતાં કેમ નથી ભૂલાતી ? બીજી બધી વસ્તુ ભૂલી જાવ છો. પણ જેની ઉપર અવિચલ પ્રેમ હોય, અવિરત શ્રદ્ધા હોય તે ગમે તેટલા કાળે પણ ભૂલાતી નથી. પરમાત્માને કેટલા કાળથી ભૂલી ગયા છીએ. પરમાત્મા અત્યંત નિકટમાં હોવા છતાં મિલન-મેળાપ કેમ નથી થતું? કારણ કે આપણે જ પરમાત્માથી દૂર ગયા છીએ. પરમાત્મા તો અહીં જ છે, પરમાત્મા તો નજીકમાં જ છે, પરમાત્મા તો ક્યાં છે ત્યાં જ છે. આપણે જેટલા દૂર ભાગ્યા છીએ તેટલા આપણે પાછા આવવું પડશે. ત્યારે પરમાત્મા મળશે. આજે ગ્રન્થિ ભેદાય કે ન ભેદાય એની ચિંતા ન કરો. ગ્રન્થિ ભેદની બહુ દુષ્કર છે. પણ આ શ્રદ્ધાનો પાયો મજબૂત કરીને અહીંથી જાવ. નવકાર ગણો તો નવકારની શ્રદ્ધા ને આત્મસાત્ કરો. પૂજા કરો તો પરમાત્માની શ્રદ્ધા ને આત્મસાત્ કરો. વંદનાદિ કરો તો ગુરૂની શ્રદ્ધાને આત્મસાત્ કરો. આ તત્ત્વત્રયીને જીવનમાં મહત્ત્વનું સ્થાન આપો. એ દરેકની તારકતાનો પરિચય કરવાથી આ તત્ત્વો જીવંત બનશે. સંસારના તત્ત્વો-પદાર્થોની નિરાધારતા, અસહાયતા, અશરણતાને સતત જોયા કરવાથી તેમાંથી વિશ્વાસ ઉઠી જશે. પોતાની જાતને જે અશરણભૂત-અસહાય માને છે તે શરણ અને સહાય શોધવા નીકળશે. પૈસાની તાકાત જ્યાં પૂરી થાય છે. ત્યાં પુણ્યની તાકાત શરૂ થાય છે. ને પુણ્યની તાકાત જ્યાં પૂરી થાય ત્યાં ધર્મની તાકાત શરૂ થાય છે. આ પ્રતીતિ કરો. (૩) સુખા - ઘર્મ માટે ત્રીજા નંબરમાં સુખા ખૂબ જરૂરી છે-સુખા એટલે ચિત્તપ્રસન્નતા. ધૈર્ય-ચિત્ત સ્વસ્થતા આવી, એટલે શ્રદ્ધા આવી છતાં ત્રીજા નંબરમાં ચિત્ત પ્રસન્નતા ન આવે એવું પણ બની શકે છે. ક્યારેક ધર્મકાર્યમાં ચિત્તની વ્યાકુળતા ન હોય એટલે કે વૈર્ય હોય, શ્રદ્ધા હોય એટલે કે શુદ્ધ પ્રીતિ તે ધર્મકાર્યમાં હોય છતાં પણ એ અનુષ્ઠાન લાંબા કાળ સુધી ચાલે તેવું હોય, અતિકષ્ટમય હોય તો ત્યાં શરૂઆતમાં આનંદ હોય, રુચિ હોય પણ પછીથી આ ક્યારે પુરૂં થશે? આવો વિકલ્પ આવી જાય છે. ત્યાં પ્રસન્નતા ખોટવાઈ જાય છે. જ્યાં ચિત્તની સ્વસ્થતા છે, શ્રદ્ધા છે ત્યાં પ્રસન્નતા પણ કાર્ય પૂર્ણતા સુધી રહેવી જોઈએ. ધર્મ સાધવામાં ચિત્તની ખૂબ ખૂબ પ્રસન્નતા જોઈએ. જો પ્રસન્નતા અટકે છે તો ત્યાં અંદરમાં મોહ પડેલો છે. કંટાળો આવવો એ મોહનો પરિણામ છે. પ્રસન્નતાનો અભાવ સૂચવે છે કે તે ક્રિયામાં આત્માને આનંદ આવતો નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy