SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ (૨) શ્રદ્ધા - હવે ધર્મની શ્રદ્ધા જરૂરી છે. ધર્મનાં અનુષ્ઠાન જાપ, પૂજા, દર્શન, ભક્તિ વિગેરે કરતી વખતે આ જ તારક છે. સંસારમાં તરણ તારણ આ જ છે. મોક્ષ સુધી લઈ જનાર આ જ છે. દુનિયાના બીજા પદાર્થો ગમે તેટલા હશે તોય મારક છે. ઝેર જેવા છે. આવા ભયંકર સંસારમાં મને પરમાત્મા મળ્યા, પરમાત્માનો ધર્મ મળ્યો એ જ મારૂં સદ્ભાગ્ય છે. આવો ધર્મ મળ્યાનો, ઘર્મ પ્રત્યેનો અહોભાવ એ ધર્મની શ્રદ્ધા છે. પરમાત્મા પ્રત્યે, તેમણે કહેલા ઘર્માનુષ્ઠાન પ્રત્યે અંતરંગ રુચિ એ શ્રદ્ધા એ બીજી ધર્મયોનિ છે. જે કંઈ સારું થશે તો તે પરમાત્માથી જ થવાનું છે. બીજો કોઈ સારૂં કરનાર નથી આવી શ્રદ્ધા છે? પરમાત્મતત્ત્વ આપણને ઓળખાયું નથી, પરમાત્મતત્ત્વના ઉપકારો દેખાયા નથી, પરમાત્મતત્ત્વના ઉપકારો સમજાયા નથી. માટે ધર્મનું સ્તર નીચું છે. કાચી શ્રદ્ધા વડે કરાયેલા ધર્મથી કેવી રીતે આગળ વધાશે? શ્રદ્ધા કાચી છે માટે સંસારમાં આડા અવળા નિમિત્ત મળતાં ડગી જઈએ છીએ. પાપના ઉદયમાં દુઃખ આવે ત્યારે પરમાત્માને ભજવાનું મન થતું નથી. આપણે હૃદયના સિંહાસન ઉપર કોને પધરાવ્યા છે ? જેને હૃદયના સિંહાસન ઉપર પધરાવ્યા હશે તે જ ૨૪ કલાક યાદ આવ્યા કરશે. જો પરમાત્માને પધરાવ્યા હશે તો પરમાત્માને જ ૨૪ કલાક યાદ કર્યા કરીશું. પરમાત્માને હું એક જ છીએ. આવો અભેદ આવે છે ત્યારે તેને સમાપતિ કહે છે. તે જ પરાભક્તિ છે. આવી ભક્તિ શ્રદ્ધામાંથી જ આવે છે. પ્રભુ વિના સુખ નથી, પ્રભુ-વિના શાંતિ નહીં, પ્રભુ વિના કશું જ નથી. ૨૪ કલાક ઉપયોગમાં પરમાત્માની યાદ-વિરહ સતાવ્યા કરે આ પરાકોટિની ભક્તિ છે. આવી શ્રધ્ધા વિના અનુષ્ઠાન ફળીભૂત થતું નથી. જેને સંસારના પદાર્થો યાદ આવ્યા કરે તો તેની ભક્તિ શ્રેષ્ઠ નથી. સંસારના પદાર્થો પરમાત્માની ભક્તિ આગળ તુચ્છ લાગવા જોઈએ. શ્રેણિકે આ જ કર્યું છે. તેના જીવનમાં તપ, જપ, ત્યાગ, સંયમ, કષ્ટમય જીવન, પરિષહો, ઉપસર્ગો કંઈ જ ન હતું. પણ તેના હૃદયમાં પરમાત્માની આકૃતિ પરમાત્માનો ઉપયોગ અંદરથી ખસતો જ ન હતો. ૨૪ કલાક પરમાત્મા જ અંદરમાં રમતાં હતાં. ૨૪ કલાક પરમાત્માની યાદ હતી. ૨૪ કલાક પરમાત્માની ભક્તિ હતી. આ પરાભક્તિ છે. તેને (શ્રેણિકને) પરમાત્મા નિકટના સ્વજન તરીકે હતાં. જેને જીવ નિકટના માને તેને કદી ભૂલી ન શકે. તે ઉપયોગમાંથી નીકળી ન શકે. આનું નામ ભક્તિ છે, આનું નામ શ્રદ્ધા છે. તમે દહેરામાં બે કલાક બેસો છો અને ઘરે ગયા પછી પરમાત્મા હૃદયમાં રહે છે કે કાઢી મૂકો છો ? શ્રદ્ધા શું ચીજ છે ? એનો ખ્યાલ નથી. વૈષયિક સુખનું આકર્ષણ જ્યાં સુધી છે ત્યાં સુધી પરમાત્માને યાદ કરી શકાતા નથી. જેને અગ્રિમ સ્થાન આપવાનું છે. તેને જ નીચે ઉતાર્યા છે. પરમાત્માને દહેરામાં જ યાદ રાખવાના છે? અને ઘરે જઈને ભૂલી જવાના છે? પરમાત્મા તાણાવાણાની જેમ વણાઈ જવા જોઈએ. આ શ્રદ્ધા ધર્મયોનિ છે. એને પહેલા ગુણઠાણે મૂકી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy