SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મયોનિ ૧૭૧ - - - ભાવમલની પ્રચુરતા હોવાના કારણે આત્મા સગુરૂયોગ મળવા છતાં આ મારા તારક છે. મહોદયને આપનારા છે આવું જોઈ શકતો નથી. પુરૂષની સાચી ઓળખ ત્યાં થઈ શકતી નથી. अल्पव्याधिर्यथा लोके तद्विकारैर्न बाध्यते । વેણને વેદસિદ્ધયર્થ વૃષુિ)નીવાર્ય તથા હિતે || રૂ૭ || ક્ષીણ થયો છે પ્રાયઃ રોગ જેનો એવો આત્મા ઉત્થાન પામી શકે છે. જ્યારે વ્યાધિ ઘણો હતો, ત્યારે શરીરને તે ખણખણ કરતો હતો, ત્યારે શરીરને ઉઝરડા પડે, શરીરમાં બળતરા થાય, શરીરમાં વિકારો થાય વિગેરે વિગેરે થાય પણ એ વ્યાધિ અલ્પ થઈ જાય, દવા લાગુ પડી જાય છે ત્યારે તેને ચળ વિગેરે વિકારો મટી જાય છે. સ્વાથ્ય પ્રાપ્ત થાય છે. અને આજીવિકા માટે નોકરી વિગેરે કરી શકે છે. ભાવમલની પ્રચરતા એટલે ભાવરોગ પરાકાષ્ઠાનો હોય ત્યારે જ્ઞાનીએ કહેલી દાનાદિ ક્રિયા વાસ્તવિક કરી શકતો નથી. કેમ ? ભાવમલની પ્રચુરતા છે. એ જ આત્મા શરમાવતમાં આવ્યો, ભાવમલ અલ્પ થવાથી અલ્પ વ્યાધિવાળાની જેમ દાનાદિ ક્રિયા વિધિપૂર્વક કરી શકે છે. દોષો-વિકારો ઘટી જાય છે. ધર્મયોનિ ઘર્મ વાસ્તવિક કરવો હોય તો આ પાંચ યોનિ છે. એટલે આ પાંચ દ્વારા ઘર્મમાં આગળ વધી શકાય છે. તે આ (૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુખા, (૪) વિવિદિષા, (૫) વિજ્ઞપ્તિ. આ પાંચને ધર્મયોનિ કહ્યાં છે. એનાથી આત્મામાં સાચો ધર્મ જન્મ પામે છે. અત્યાર સુધી સંસારના કારણભૂત ધર્મ કરતો હતો. હવે મોક્ષ પ્રાપ્તિના કારણભૂત ધર્મ કરવો છે, તો આ પાંચ જોઈએ જ. (૧) વૃતિ એટલે વૈર્ય, ચિત્તમાં વ્યાકુળતાનો અભાવ, સ્વસ્થ ચિત્ત. વ્યવહારમાં પણ કોઈ કાર્ય કરતાં વ્યાકુળ ચિત્ત હોય તો તે કાર્ય કરી શકતો નથી. અને કરે તો તે કાર્ય જેમ તેમ કરે છે. અહીં પણ ઘણી બધી આકુળતા-વ્યાકુળતા નીકળી જવાથી ચિત્ત સ્વસ્થ બને છે. કોઈ પણ ધર્મ કરતાં રાગ-દ્વેષ, વિષયરાગ, કુટુંબ રાગ, આકુળતા, વ્યાકુળતા આવે તો ચિત્તને અસ્વસ્થ બનાવી નાંખે છે. તે વખતે ધર્મ ઊંચા પ્રકારનો ન બને. કોઈ પણ ધર્મ મન દઈને કરવાનો છે. સ્વસ્થ ચિત્તે કરીએ તો સંસ્કાર પડે. પુણ્ય બંધાય અને મોક્ષ માર્ગે આગળ વધાય. અભયદયાણમાં અભયનો અર્થ ચિત્તની સ્વસ્થતા જ કર્યો છે. ચિત્તની સ્વસ્થતા વગર ધર્મ નહીં. ડહોળાયેલાં ચિત્તે કરાયેલો ધર્મ કચરા જેવો છે. એ આત્મામાં સંસ્કાર નાંખે નહીં, એ આત્માનું ઉત્થાન કરી ન શકે. પુણ્ય મામુલી બંધાય, કોઈપણ ધર્મ કરતાં મનમાં સંસારના પદાર્થો આડા આવે તો એ ધર્મમાં ભલીવાર ન આવે. માટે ધર્મ કરવો છે તો તેમાં ધૃતિ અર્થાત્ ચિત્તની સ્વસ્થતા જરૂરી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy