SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ લક્ષ્ય રાખવું જોઈએ. અને સારા નિમિત્તોથી ઉપાદાન તૈયાર થાય છે. માટે સારા નિમિત્તોને પકડી રાખવા જોઈએ. ખરાબ નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. સારું પણ ઉપાદાન ખોટા નિમિત્તથી બગડે છે. અહીં ચરમાવર્તમાં ભાવમલ ઘટ્યો એટલે આત્માનું ઉપાદાન યોગ્ય બન્યું. દેવ-ગુરૂ-ધર્મ આદિ નિમિત્ત સામગ્રી વિના ઉપાદાન કંઈ કાર્ય કરી ન શકે, દેવ-ગુરૂ-ધર્મના નિમિત્તે જ કાર્ય થાય છે. અવંચકત્રય રૂ૫ અવ્યક્ત સમાધિ ભાવમલના હ્રાસથી પ્રાપ્ત થઈ. અવ્યક્તમાંથી જ વ્યક્ત થવાનું છે. અવ્યક્ત સમાધિમાંથી નિમિત્ત મળતાં યોગબીજોનું ગ્રહણ થશે. એમાંથી જ યોગાવંચક અને ફલાવંચકની ઉપર ઉપરની સ્થિતિ સર્જાવાની છે. આ બધું raw material રૂપે છે. નિમિત્ત મળે ને કામ થઈ જાય તેવું છે. કર્મ સંબંધની યોગ્યતારૂપ ભાવમલ ચરમાવર્તમાં ઘટી ગયો છે અને સાધુ વંદનાદિ યોગ પ્રાપ્ત થતાં કાર્ય થાય છે. અવ્યક્ત સમાધિ રૂપ અવંચક પરિણામમાંથી આત્મ-વિકાસની યાત્રાના શ્રીગણેશ મંડાય છે. રત્ન ખાણમાં પડેલું છે. તેના ઉપર માટીના થરના થર પડેલા છે. તેને ખાણમાંથી બહાર કાઢી તેના ઉપર પ્રક્રિયા કરવાથી તે મેલ દૂર થાય છે, ત્યારે તેની કાન્તિ પ્રગટ થાય છે. તેજ-પ્રકાશ ચારે બાજુ ફેલાય છે. ઉપરનો મેલ જે કાન્તિને ફેલાવવામાં બાધક હતો, બાધકતા દૂર થતાં પ્રકાશ સ્વતઃ પ્રગટે છે. તેવી રીતે આત્માની લોક-અલોક વ્યાપી ચૈતન્ય શક્તિ છે તે અનાદિના ભાવમલથી રૂંધાયેલી છે. આ ભાવમલ અવરોધ કરી રહ્યો હતો. એ ભાવમલ પ્રચુર પ્રમાણમાં ઘટવાથી ચૈતન્ય શક્તિ પ્રગટ થાય છે. જીવને અવ્યક્ત સમાધિ પ્રાપ્ત થાય છે. ભાવમલ જ્યાં સુધી પ્રબળ હોય ત્યાં સુધી દેવ-ગુરૂ આદિ સદ્યોગની સન્ પ્રતીતિ થતી નથી. સુદેવ-સુગુરૂ-સુધર્મ પ્રત્યેના આદર-બહુમાન, પ્રીતિ તારનારા છે. આવી સતુ પ્રતીતિ અભ્યદયને કરનારી થાય છે. આજ વસ્તુના સમર્થન માટે નિષેધ મુખે કહે છે. नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया । किं सम्यग् रुपमादत्ते कदाचिद् मन्दलोचनः ।। ३६ ।।। ભાવમલ પ્રચુર હતો ત્યારે સદગુરૂયોગ થયો હતો પણ તારક છે એવી પ્રતીતિ-વેદન ન થયું કારણ કે ભવાભિનંદિની દૃષ્ટિ હતી. સંસારના સુખોની જ દૃષ્ટિ હતી. ભાવમલ પ્રચુર હોય તો તારક તત્ત્વની પ્રીતિ કયાંથી થાય? તરવાની ઈચ્છા જ જ્યાં નથી. ત્યાં ગમે તેટલા તારક મળે તોય શું? ભાવમલ પ્રચુર પ્રમાણમાં હોય ત્યારે તારક તત્ત્વો મારા મહાન અભ્યદયના સાધક છે એવી પ્રતીતિ થતી નથી. જેમકે જેની આંખો મંદ છે. ઝાંખી છે. ચક્ષુના દોષના કારણે જેની દષ્ટિ સ્વચ્છ નથી. તે બીજી સામી વ્યક્તિના શરીરના લક્ષણ-વ્યંજનો જોઈ શકતો નથી. સ્કૂલ જોઈ શકે છે. પણ સ્વસ્તિક-કળશ વિગેરે લક્ષણો તથા મસ-તલ વિગેરે વ્યંજનો જોઈ શકતો નથી. ઉપર-ઉપરથી મોટું મોટું જોઈ શકે છે. જાણી શકે છે. તેવી રીતે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy