SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જોઈએ. સંસારના પદાર્થોમાં આનંદની અવધિ રહેતી નથી પણ એ સમજવું જોઈએ કે ઔદયિકભાવ એ આપણું સ્વરૂપ નથી. તેમાંથી પસાર થવાનું છે. પણ ત્યાં અટકવાનું નથી. ક્ષાવિકભાવનું જ લક્ષ્ય રાખવાનું છે. તેની પ્રાપ્તિ માટે ક્ષયોપશમભાવ એ સાધક છે પણ એ સ્વરૂપ નથી. આ વિવેક આત્મસાત્ કરવાનો છે. તો અંતર્મુખતા પ્રાપ્ત થશે. અંતર્મુખ બનવાનો ઉપાય એકાંત, મૌન, ધ્યાન, સ્થિરાસન, તત્ત્વવિચારણા વડે કલાક, બે કલાક પણ રોજ અંતર્મુખતાનો અભ્યાસ કરવો જોઈએ. જાપ સાથે ભાવનાઓથી ભાવિત થવું જ જોઈએ. જાપ ચઢે કે સ્વાધ્યાય ચઢે ? સ્વાધ્યાયમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા પાંચ વસ્તુ આવે છે. તેમાં મને જલ્દીથી જોડાઈ શકે છે. સ્થિર થઈ શકે છે. જાપમાં સ્થિરીકરણ દુષ્કર છે. મનમાં રાગાદિ ભાવો પડેલા છે, રાગાદિભાવો મનને ભિન્ન ભાવોમાં લઈ જાય છે. મન વિવિધતાપ્રિય છે, જાપમાં એકની એક વસ્તુ આવવાથી લાંબા સમય સુધી ઉપયોગ સ્થિર કરવો દુષ્કર બને છે. ભાવનાને પકડો. ભાવનામાં કોઈ દૃષ્ટાંતને પકડી શકો છો. કલાકો નીકળી જશે. સ્વાધ્યાયથી એકાગ્રતા આવે છે. પદાર્થો વિશદ-સ્પષ્ટ થાય છે? ફક્ત ગાથા ગોખવી એ માત્ર સ્વાધ્યાય નથી. મનન કરો. ચિંતન કરો. સારી ચીજ ઘુંટાવી જોઈએ. એના પર વિચારણા ચાલવી જોઈએ. જાપ ન કરો એમ નહીં પણ જાપની મર્યાદા રાખો. સવારે અંધારામાં એકાંતમાં ચિંતન-મનન કરો છો? સામાયિકમાં ધર્મને લગતી બધી પ્રવૃત્તિ થાય. સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન, મનન, જાપ વિગેરે બધું થાય. પોતાની રુચિને તપાસવી જોઈએ. મને શેમાં એકાગ્રતા આવે છે? પછી એ રુચિને વિકસાવવી જોઈએ. એકાંતમાં બેસીને પછી એકત્વ, અન્યત્વાદિ ભાવનાઓ ઘુસ્યા કરો. કલાક બે કલાક આ કર્યા પછી સ્વજનો સાથે રહેવાનું છે. ત્યારે આત્મા કેટલો અળગો રહી શકે છે તે જોવાનું છે. જો ઘુંટયું નહીં હોય તો પળે પળે આત્માને ભૂલી જઈએ છીએ અને એ બધાની સાથે લેપાઈ જઈએ છીએ. જે આત્માને એક ક્ષણ પણ ભૂલવાનો નથી તેને બધી ક્ષણોમાં ભૂલી રહ્યા છીએ. જે વસ્તુને એક ક્ષણ પણ યાદ કરવાની નથી તેને પ્રતિક્ષણે યાદ કરીએ છીએ. આ અવળી દશામાંથી બહાર નીકળવા માટે રોજ ઓછામાં ઓછું એક કલાક તત્ત્વનું ચિંતન જોઈએ. એકાંતમાં કલાક જવાનું, બધાથી અળગા થઈ જવાનું પણ આત્માને લગતું કરવાનું. આના વિના મોહને નહીં ઘટાડી શકો. ને ઉપર ઉપરની સ્થિતિ નહીં પ્રાપ્ત કરી શકાય. મોહને ઘસવાનો પ્રયત્ન અહીં કરવાનો છે. દેવલોકમાં ભય કોને નહીં ? જે આચારમાં ચુસ્ત હશે. ભાવનાઓથી સતત ભાવિત થયા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy