SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખતા શું ચીજ છે ? નરકમાં ગયા. ઘણા દુઃખો-કષ્ટો વેઠ્યા પણ છૂટકારો નથી થયો. જો એકલા કષ્ટથી મોક્ષ મળતો હોય તો બળદીયાનો મોક્ષ વહેલો થાત. પણ એકલા કષ્ટથી મોક્ષ ન મળે, પણ વિવેકપૂર્વકના કષ્ટ વેઠવાથી મોક્ષ મળે. સમતાપૂર્વક કષ્ટ વેઠે તો ફળ મળે છે. અવિવેકના કષ્ટથી મોક્ષ નહીં મળે. કષ્ટ વિના મુક્તિ નહીં. કષ્ટ તો વેઠવા જ પડશે. પણ વિવેક જોઈશે. કષ્ટ + કષાય = સંસાર છે, કષ્ટ + સમતા = મોક્ષ છે. મનુષ્ય + ચારિત્ર, એ મોક્ષે જવાનો Short Cut છે. બીજી ગતિમાં કષ્ટ વેઠો તો મોક્ષે જવાય છે ? તિર્યંચમાં કેટલા કષ્ટો છે ? નારકીમાં કેટલા કર્યો છે ? ચારિત્રમાં કષ્ટ જ શું છે ? શરૂઆતમાં કષ્ટ લાગે. બે-ચાર મહિનામાં ટેવાઈ જવાય છે. તિર્યંચમાં પણ જીવ ટેવાઈ જાય છે. ટેવ એવી ચીજ છે, શરૂઆતમાં પાડવી પડે છે. પછી સહજ બની જાય છે. જેણે જીવનમાં તપ-ત્યાગ-સંયમના કષ્ટો વેઠ્યા છે. સમાધિના અભ્યાસથી તેઓ અંતે મૃત્યુને અલ્પ કષ્ટમય બનાવી દેશે. બહુ સુખ-શીલિયા બનશો. તો મૃત્યુ વખતે ઘણું કષ્ટ આવશે. ત્યારે અસમાધિ સહજ બની જશે. મૃત્યુ સમયે કષ્ટ આવે જ છે કારણ કે શરીરમાંથી આત્મ-પ્રદેશો ખેંચાવાના છે. જીવનમાં થોડા થોડા કષ્ટ વેઠતાં રહ્યા હશો, સમાધિ જાળવતાં જશો તો મૃત્યુ વખતે એ બધા કષ્ટો અને સમાધિનો સરવાળો થશે. ૧૬૭ ચારિત્ર પાલન કરનાર દુર્ગતિમાં કેમ ન જાય ? કારણકે જીવનમાં કષ્ટ વેઠતો રહ્યો છે અને સમાધિ રાખતો આવ્યો છે. માટે મૃત્યુ વખતે સમાધિ રાખવી સુલભ બને છે. સંસારમાં સહન કરવાનું છે, વેઠવાનું છે, કાળી મજૂરી ક૨વાની છે. પણ સંસારમાં વિવેક અને સમતા નથી. માટે તેની કંઈ ગણત્રી ગણાતી નથી. અંતર્મુખતા શું ચીજ છે ? ૫૦ વર્ષના ચારિત્રનું કષ્ટ અસંખ્યકાળના દેવનું સુખ આપે છે. આ શું Short Cut નથી ? પણ આવો કયો શેઠ છે ? જે ૫૦ વર્ષની નોકરી કરો અને પાછલી જિંદગીમાં પણ સુખ જ આપે ? કદાચ ચારિત્ર ન લઈ શકાય તો પણ જીવન અંતર્મુખ બનાવવું જોઈએ. કારણ કે અંતરાત્મા જ પરમાત્મા બની શકે છે. બહિરાત્મપણાનો ત્યાગ કરી અંતરાત્માએ પોતાના આત્માની પરમાત્મદશા વિચારવી એ જ સાચું આત્મસમર્પણ છે. અંતર્મુખ બનવું એટલે ઉપયોગ રૂપી મુખને પાંચે ઈન્દ્રિયના વિષયોમાંથી પાછું ખેંચી ઉપયોગને અંદરમાં વાળવો. અંદરમાં કોણ વળે ? અંદરમાં કોણ વાળે ? જેને આ બધો સંસાર વળગાડ લાગે તે ઉપયોગને અંદરમાં વાળે છે. તમને દિકરા-વહુ સારી રીતે રાખે, એટલે ગાંડા થઈ જાવ છો ? એ તમને સાચવે એ એની યોગ્યતા છે પણ એમાં ગાંડા થવું એ તમારી બહિર્મુખતા છે. ચારિત્રમાં પણ અંતર્મુખતા બહુ દુર્લભ છે. સંસારના પરિભ્રમણનો ભય લાગે તે જ અંતર્મુખ બની શકે તે જ સંસારના પ્રલોભનોને ગૌણ કરી શકે છે. સંસારમાં કરોડો રૂપીયા મળે, દીકરાને દીકરો આવે ત્યારે આનંદ આવે એ બધામાંથી આનંદ નીકળી જવો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy