SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ તત્ત્વથી ત્રણે છે કારણ કેવલજ્ઞાન પામવા છતાં પૂત્ર મને બોલાવતો નથી, એ રીસ છોડી ક્ષયોપશમના બળથી વીતરાગના દર્શન કર્યા આ યોગાવંચકપણું છે. વૈરાગ્યભાવના, અન્યત્વભાવના, સંસાર-ભાવનાથી આત્માને ભાવિત કર્યો તે ક્રિયાવંચકપણું છે. અને તેની તીવ્રતાથી રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન પર નફરત છૂટી, સંવેગ-વૈરાગ્યની પરાકાષ્ઠાથી ક્ષપકશ્રેણી મેળવી એ ફલાવંચક થયું. બાહ્યમાં આ રીતે કયારેક ન દેખાવા છતાં ક્ષયોપશમથી તે તે ગુણો અને આચારોની યોગ્યતાઓ પ્રગટે છે. મોક્ષે કોણ જશે ? જે ભવ્ય જીવ હોય, પ્રત્યકપણું પામે અને શરમાવર્તમાં આવે તેનો મોક્ષ થશે. બધા ભવ્યોનો પણ મોક્ષ નહીં. ભવ્યત્વ સ્વભાવ છે પણ આગળ આગળની સામગ્રી-નિગોદમાંથી નીકળશે, પ્રત્યકપણું પામશે. પૃથ્વી, અ, તેલ, વાયુ, વનસ્પતિ વિગેરે ભવ પામશે. તે મોક્ષે જશે. જેને એક વખત હદયથી આત્માનું સ્વરૂપ ગમ્યું. આત્મા ગમ્યો અને સંસાર વિડંબનામય લાગ્યો, તેને કર્મસત્તા આ સંસારમાંથી કાઢશે. સંસારમાં વિડંબના, ત્રાસ, અપમાન, દુઃખો, રખડપટ્ટી, નાલેશી દેખાય છે? એનાથી આત્મા ઉભાગ્યો છે ? અહિંઆ કોઈ શંકા કરે કે સંસારમાં સુખ ભોગવતાં જે દુઃખ આવશે તે ભોગવી લઈશું અને તેના ફળ રૂપે પાછું દુઃખ આવશે તો તે પણ ભોગવી લઈશું પણ સુખ તો નહીં છોડીએ. તેના સમાધાનમાં કહે છે કે સંસાર ખાલી દુઃખરૂપ કે દુ:ખ ફલક નથી. પણ દુઃખ ભોગવો અને સંસાર ન છૂટે, દુઃખની પરંપરા વધે. દુઃખની પરંપરા ચાલ્યા કરે, “દુઃખાનુબંધે” એવો આ સંસાર છે. તો છૂટકારો કયારે થાય ? ફક્ત દુઃખ ભોગવવાથી છૂટકારો નહીં થાય, પણ સ્વરૂપના લક્ષ્ય, સમતાભાવમાં રહીને, આત્મઘરમાં રહીને, સમતામય બનીને તમે દુઃખને સહન કરો. અર્થાતુ દુ:ખ ભોગવો ત્યારે સંસાર છૂટે. બહારથી ભલે દુઃખો હોય, બહારથી ભલે અશાતા હોય પણ અંદરમાં જેને સમતા હોય એવો આત્મા દુઃખરૂપ, દુઃખફલક સંસારનો અંત લાવી શકે છે. બહાર શાતા કે અશાતા હોય પણ અંદરમાં તો સમતા જ હોય, બહાર કર્મના ઉદયજન્ય શાતા-અશાતામાંથી કોનો ઉદય થવો એ આપણા હાથની વાત નથી. તીર્થકરો પણ અશાતાના ઉદયને અટકાવી શક્યા નથી. શાતા અતાના ઉદયમાં અળગા રહેવાની ટેવ પાડો. “શે વશે સુખમાં સ્વામી ન સંભાર્યો, તિણે હું રઝળ્યો કાળ અનંત.” (પં. વીરવિજયજી કૃત વેદનીય કર્મ પૂજા) શાતા વેદનીય કાળમાં આરાધના વધારો, અશાતાના ઉદયકાળમાં આત્માને અળગો રાખો. સુખ ભોગવવાની ટેવ પાડી હશે તો તીવ્ર અશાતાના ઉદયકાળે બચવું મુશ્કેલ થશે. પણ શાતા વેદનીયના ઉદયકાળે અંતર્લીનતાથી તીવ્ર આત્મરમણતા કરી હશે તો જ બચી શકાશે. તે માટે- આત્માને આત્મઘરમાં જવું જ પડશે. કષાયો આત્મઘરમાં જવા દેતાં નથી. માલિક તમે છો. ગુંડાઓ (કષાયો) ઘરમાં પેસી ગયા છે. તે તમને પેસવા દેતા નથી. માત્ર દુ:ખ ભોગવવાથી સંસાર નહીં ઘટે, અનંતીવાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy