SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ એ અવંચકોદય શું ચીજ છે? ૧૫ આત્મગુણો અને તેના ઉપાયભૂત આચાર માર્ગો, દેવ-ગુરુ-સંઘ-સાઘર્મિકભકિત વગેરે ઉપાદેય તત્ત્વો તરફ વીર્ય રચિવાળું બને છે અને રુચિના કારણે વીર્ય તે તરફ પ્રવર્તે છે. સહજ મલના હ્રાસથી જીવને જે રુચિ અને પ્રવૃત્તિને યોગ્ય દર્શનમોહ, કષાય, નોકષાયનો ક્ષયોપશમ થયો છે તે આ પ્રવૃત્તિ દ્વારા વ્યકત થાય છે. આ ભૂમિકા યોગાવંચકની ભૂમિકા પછી પ્રાપ્ત થાય છે. આ ભૂમિકામાં જીવ શકય એટલી સમ્યક ક્રિયામાં પ્રવર્તે છે અને અશક્યમાં વિશેષરુચિ દ્વારા આસન્નકાળમાં તે કિયા અને કિયાના ફળને મેળવવા યોગ્ય બને છે. ચરમાવર્ત પહેલાં કર્મપ્રેરિત મોહ અને અજ્ઞાન પ્રયુકત પરવશપણે પુરુષાર્થ છે. જયારે ચરમાવર્તમાં જ્ઞાન આંશિક વાસ્તવિક થવાથી કર્મપ્રેરિત દિશાથી ભિન્ન જ્ઞાનથી જણાતી દિશામાં પ્રવર્તે છે. બંને દિશા તદ્દન જુદી છે એટલે ચરમાવર્તમાં સામા પૂરે ચાલવા જેવો પુરુષાર્થ હોવાથી જીવને ઘણો ઘણો પ્રયત્ન, આદર, પ્રણિધાન અને સત્ત્વ વિકસાવી પુરુષાર્થ કરવો પડે છે. ચરમાવર્ત પહેલાં આત્માનો વિકાસક્રમ છે જ નહીં. ચરમાવર્તમાં જ વાસ્તવિક વિકાસ છે. ચરમાવર્તમાં આત્માનો વિકાસક્રમ એટલે જ્ઞાન અને સમજપૂર્વક આત્માના વિષયમાં પ્રયત્ન અને તેના ફળ રૂપે કાર્યસિદ્ધિ. આમ ઉત્તરોત્તર જ્ઞાન અને સમજ પૂર્વકનો પ્રયત્ન વધતાં સત્ત્વ, આદરની વૃદ્ધિ, ગુણની પ્રાપ્તિ-વૃદ્ધિ એ વિકાસક્રમ છે. કર્મથી વિપરીત સમ્યગું જ્ઞાન પૂર્વકનો આત્મગુણોને અનુકૂળ મન, વચન, કાયાનો પ્રયત્ન એ આત્મગુણનો પ્રાપક હોવાથી તે યોગ કહેવાય છે. કુશળતાપૂર્વકનો વારંવારનો પ્રયત્ન અને આદર આ બે વસ્તુથી તે-તે વિષયમાં આત્મપરિણતિ ઉભી કરી શકાય છે. આગળ કહ્યું તેમ તાત્ત્વિક ક્રિયાવંચકપણું અર્થાત નિશ્ચયદષ્ટિથી ક્રિયાવંચકપણું ગૌણ રીતે પાંચમે ગુણઠાણે અને મુખ્યવૃત્તિએ છદ્દે ગુણઠાણે હોય છે. કારણ કે તાત્વિક ક્રિયાવંચકપણું એ ક્રિયા, સત્ત્વ, આદર અને અભ્યાસની વિશિષ્ટ અવસ્થામાં હોય છે. પરંતુ વ્યવહાર નથી પહેલે અને ચોથે ગુણઠાણે પણ આવે છે માટે જ ક્રિયાને, સમ્યકત્વ અને વિરતિનું કારણ આવશ્યકમાં બતાવ્યું છે. ફલાવંચકપણું - ગૌણ રીતે તત્ત્વદષ્ટિથી સાતમે ગુણઠાણે અને અપ્રમત્તપ્રાયઃને છ પણ હોય છે. ફલના સાનિધ્યની અપેક્ષાએ ક્ષપક શ્રેણીમાં હોય છે. જેમ જેમ અભ્યાસની વૃદ્ધિ થાય તેમ તેમ ઉપરની ભૂમિકામાં, કાર્ય મોટું હોવા છતાં ત્યાં સત્ત્વ વિકસિત છે. જ્ઞાન વેધક છે. મોહ, અજ્ઞાન, સંમોહ અને પ્રમાદનો નાશ છે માટે નીચેવાળાને એ કાર્ય મહાભારત જેવું કઠીન લાગે છે. પરંતુ આંતરિક અને બાહ્ય સામગ્રીના સહયોગથી, ઉત્સાહની પ્રબળતાથી કાર્ય કરનારને એ સાહજિક બને છે. માટે સંયમ અને વ્રતોનું પાલન, ઉપસર્ગ પરિષહોને સહન કરવા એ તે તે ભૂમિકાએ પહોંચેલાને માનસિક દૃષ્ટિએ રમત લાગે છે. જયારે નીચેવાળાને મેરુના ભારને વહન કરવા જેવું લાગે છે. મરુદેવા માતા વગેરેને બાહ્ય સ્થૂલરૂપમાં ત્રણમાંથી એકેય ન દેખાવા છતાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy