SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ યોગદષ્ટિનાં અજવાળાં - ભાગ-૨ વધી શકે. યોગ દ્વારા આત્મામાં વિશિષ્ટ પરિણતિ ઊભી થાય છે. આ યોગાવંચકપણામાં વાસ્તવિક પહેલા ગુણઠાણાની પ્રાપ્તિ થાય છે. પહેલે ગુણઠાણે મંદ મિથ્યાત્વાવસ્થામાં-ગુણસંપન્ન અપુનબંધકાવસ્થામાં યોગાવંચકપણું જ આવે છે અર્થાતુ મળેલો તીર્થકર, ગુર્નાદિનો યોગ કાંઈને કાંઈ વિશેષ વિશેષ આનંદ, શુભભાવ વિ. કરાવે છે. પછી આગળ જે ક્રિયાવંચકપણું પામવાનું છે. તેની ભૂમિકા સર્જાય છે. પહેલા ગુણઠાણે અધ્યવસાયની વિશુદ્ધિ વધતાં વધતાં જીવ જ્યારે પાંચમું ગુણસ્થાનક ભાવથી સ્પર્શે ત્યારે તત્ત્વદૃષ્ટિથી ક્રિયાવંચકપણું ગૌણ રીતે આવે છે અને છઠ્ઠા ગુણસ્થાનકની સ્પર્શના થતાં ક્રિયાવંચકપણું મુખ્ય રીતે આવે છે. ક્રિયાવંચકપણું માત્ર ક્રિયામાં જ સમાપ્ત થતું નથી. પરંતુ તે તે ક્રિયા કરતાં તે તે ક્રિયાને અનુરૂપ આત્માને ભાવો સ્પર્શે ત્યારે ક્રિયાવંચકપણું આવે છે. તાત્ત્વિક ક્રિયાવંચકપણું સામાન્યથી ઘણા પુરુષાર્થ પછી આવે છે. છઠ્ઠ ગુણઠાણે નિદ્રા, મૂર્શિતાવસ્થા વિ.માં બાહ્ય ક્રિયા દેખાતી નથી. છતાં તે વખતે પણ ક્રિયાવંચક યોગ હોય છે. અર્થાત્ ફળદાયક ક્રિયાની યોગ્યતા હોય છે. અર્થાત્ ક્રિયાનું ફળ નિપજાવે તેવો ક્ષયોપશમ તો સતત ચાલુ જ હોય છે. આવો અવંચક ક્રિયા યોગ જેમ જિનકલ્પીને હોય છે તેમ સ્થવિરકલ્પીને પણ હોય છે, એટલે કલ્પને આશ્રયિને છઠ્ઠ ગુણઠાણે બંનેનો ભેદ હોવા છતાં અવંચક ક્રિયાયોગને આશ્રયને બંનેનો ભેદ નથી. ફલાવંચકપણું ગૌણપણે સાતમે ગુણઠાણે હોય છે. જ્યારે મુખ્યતયા ક્ષપકશ્રેણીમાં હોય છે. એક યોગ પછી બીજાયોગની પ્રાપ્તિમાં ઘણો સમય સામાન્યથી લાગે છે. કારણકે મોહની સામે ઝઝુમતા અને તેનો નાશ કરતા જીવને ખૂબ જ પુરુષાર્થ કરવો પડે છે. ખાલી ક્રિયા કરીને ક્રિયાયોગ અવંચક થઈ ગયો એવું નથી. મરૂદેવા માતા જેવા તો વિરલા હોય કે જેને એક સાથે જ બધું આવીને ઉભું રહે. ક્રિયા દ્વારા પરિણતિ ઉભી ન થાય તો તે ધર્મ પરલોકમાં આત્માની રક્ષા કરતો નથી. અપુનબંધકના ભાવો પ્રાપ્ત થવા એ યોગાવંચકતા ગૌણપણે છે. પછી વારંવાર સદ્દગુરૂનો યોગ, ઉપદેશશ્રવણ, પરિણતિલક્ષી ઘર્મની આરાધનાથી આગળ આગળ ની ભૂમિકા સર્જી રહ્યો છે. જ્યાં સુધી એ ચીજ ન મળે ત્યાં સુધી અભિલાષા કરવાની, રૂચિ કરવાની. સાચી રૂચિ ઉપાદાનની યોગ્યતા ઉભી કરીને નિમિત્તની પ્રાપ્તિને સુલભ બનાવી શકે છે અને માટે જ તપ, ત્યાગ, સંયમના યોગો પકડતા રહેવાનું છે. જેને પામવું છે તે પ્રાથમિક અવસ્થાથી પકડવાનું છે. પણ તેને છોડવાનું નથી. યોગાવંચકપણું એટલે સહજ મલનો હાસ થવાથી આત્મામાં પ્રગટેલી આંશિક યોગ્યતા. આ કાળમાં જીવને જો ધર્મ સામગ્રીનો યોગ થાય તો જીવ એને સમ્યગુ ગ્રહણ કરીને આગળ વધે છે. એને આદરે છે અને એને ઉપાદેયબુદ્ધિથી જુએ છે. આ યોગ્યતા વખતે કદાચ સામગ્રી ન મળે તો પણ જીવ સહજપણે જ પરિણતિની નિર્મળતા અને વિચારણાથી આગળ વધે છે. પરંતુ અહિંયા વ્યવહાર નયની અપેક્ષાએ બાહ્ય સામગ્રીની મહત્તા બતાવવા યોગાવંચકપણું બતાવ્યું છે. ક્રિયાવંચકપણું એટલે કર્મના હાસથી, પાપ પ્રવૃત્તિ પ્રત્યેની રુચિના હાસથી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy