SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ એ અવંચકોદય શું ચીજ છે ? ૧૬૧ જવલંત બને ત્યારે આ ગાંઠ ભેદાય છે. સમ્યકત્વીને બે કષાય પડયા છે. માટે મારાપણું કરે છે. પણ મોટી કેન્સરની ગાંઠ નીકળી ગઈ છે એટલે બીજી બધી ગાંઠો સહેલાઈથી કાઢી શકશે, સ્વરૂપમાં સ્થિરતા કરવી સહેલી બની શકશે. (૩) આવો જીવ કે જે ભદ્રસૂતિ બન્યો છે, જે મહાત્મા બન્યો છે, તેવા જીવોને અવંચકના ઉદયથી પ્રશસ્ત શુભ નિમિત્તો, સંયોગો આવી મળે છે. અવંચકોદય એટલે અવ્યક્ત સમાધિ વિશેષ, એ સમાધિ વિશેષના બળે શુભ યોગ, જિનમૂર્તિ, ગુરૂ, તીર્થકર, ગણધર કે જે મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત છે તેનો યોગ આવી મળે છે. કાલનો પરિપાક થવાથી જીવ ચરમાવર્તમાં આવ્યો, ચરમાવર્તમાં ભાવમલ નીકળી જવાથી ત્રણ ગુણો પ્રાપ્ત થયા. દુઃખી જીવો ઉપર અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ અને સર્વત્ર ઔચિત્યનું પાલન અને આ બધા ગુણોના કારણે તે પ્રિયદર્શનવાળો બન્યો. આંતરમલ-ભાવમલ નીકળી ગયો છે તેથી કલ્યાણદર્શની બન્યો અને એથી મહાત્મા બન્યો. એટલે અવંચકનો ઉદય પ્રાપ્ત થયો અને અર્થાત્ અવ્યક્ત સમાધિ વિશેષ પ્રાપ્ત થઈ. એ અવંચકોણ શું ચીજ છે ? . અનંતાનુબંધીની તથા દર્શન મોહનીયની મંદતાથી સહિત જ્ઞાનાવરણીયાદિના ક્ષયોપશમથી જે ચિત્તની સ્વસ્થતા અર્થાત્ સમાધિવિશેષ પેદા થાય છે તે જ અવંચકોદય કહેવાય છે. અચરમાવતમાં આવાં નિમિત્તો ઘણીવાર મળ્યાં હતાં છતાં સમાધિ વિશેષ પ્રાપ્ત ન થઈ તેથી અવંચકોદાય ન હતો. હવે દર્શનમોહની મંદતા, ચારિત્રમોહનીયની મંદતા, અંતરાયનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણીય,-દર્શનાવરણીયનો ક્ષયોપશમ થવાથી જે ચિત્તસ્વસ્થતા પેદા થઈ છે તે સમાધિવિશેષ છે. આ અવ્યક્ત સમાધિ છે. કેમ ? તે વાત હવે પછી કહે છે. અવંચક્તા ત્રણ પ્રકારે છે. “योगक्रियाफलाख्यं यत् श्रूयतेऽवञ्चकत्रयम् । - સાધૂનત્ય પરમમ, રૂક્યોપમન ! (૩૪) // ત્રણ પ્રકારે અવંચક્તા છે. યોગ અવંચક, ક્રિયા અવંચક અને ફળ અવંચક છે. વંચક એટલે ઠગનાર, અવંચક એટલે નહીં ઠગનાર. અહીં યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકતાની પ્રાપ્તિ થાય છે. આ પહેલા અચરમાવર્તમાં સદુયોગ થયો પણ તે વંચક બન્યો હતો એટલે સદ્યોગ થયા પછી તેનું ફલ ન આવે માટે વંચક યોગાદિ હતાં. હવે જે યોગ થશે તે ઠગનારો નહીં બને પરંતુ સફળ થશે. જેમકે, સદગુરૂનો યોગ થયો. એ જોઈને આનંદ આવે, સાધુ ગમે, નિઃસ્વાર્થ આનંદ આવે. એ અવંચક યોગ છે. આ સાધુ મોક્ષ માર્ગના રાગી છે, હું સંસારનો રાગી છું, હું સંસારના ખાડામાં છું. હું સંસારમાં ભટકયો છું. સાધુના ત્યાગ, વૈરાગ્ય, ચર્યા જોઈને આનંદ આવે આ યોગ અવંચક બન્યો કહેવાય. નયસારને સાધુ-મહાત્માનો યોગ મળ્યો, ઘનાસાર્થવાહને મહાત્માનો યોગ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy