SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ પણ તે વાસ્તવિક અકષાયભાવ નથી. જીવને સ્વરૂપના લક્ષ્ય, સ્વભાવના લક્ષ્ય કષાય નીકળે તો અકષાય ભાવ પ્રાપ્ત થાય છે. સંસારનું મૂળ અનંતાનુબંધી કષાય છે. વૈષયિક સુખની ઈચ્છા, સુખની આસક્તિ, સુખની તીવ્રરુચિ બની રહે છે તે કષાય જ છે. લોભ છે. અનંતાનુબંધી કષાયના રસ ઉપર આખો સંસાર ચાલી રહ્યો છે. કષાય કેમ ટકે છે? તમને લોભ ખરાબ લાગતો નથી, ખરાબ લાગે તો ઉપર ઉપરથી લાગે છે. પણ લોભથી વિપરીત આત્માનું સુખ છે એવું દેખાતું નથી. સુખ એનાથી ભિન્ન છે તેવી રૂચિ પેદા થવી જોઈએ. - જ્યાં ગાંઠ ત્યાં સુખ નહીં આખરે આ બધી ગ્રન્થિ જ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધી એ મોટી ગ્રન્થિ છે. સમ્યકત્વ આવ્યું એટલે મિથ્યાત્વની ગ્રન્થિ ભેદાય છે. ગ્રન્થિ નીકળે તો નિગ્રંથ કહેવાય. ગ્રન્થિ એ ગાંઠ છે. પૂ. યશોવિજયજી ઉપાધ્યાય શ્રીપાળ રાસમાં કહે છે “પ્રેમ તણી પરે શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે”. જ્યાં ગાંઠ ત્યાં રસ હોય જ નહીં. શેલડીમાં પણ ગાંઠ ત્યાં રસ નહીં અને રસ ત્યાં ગાંઠ નહી. મિથ્યાત્વની ગાંઠ સૌથી મોટી છે. અપ્રત્યાખ્યાનીય કષાય, પ્રત્યાખ્યાનીય કષાય એ પણ ગાંઠ છે. એ જાય ત્યારે વાસ્તવિક નિર્ચન્થપણું આવે છે. નિર્ચન્થ બનાય છે. આત્મસ્વરૂપને વેદી શકાય છે. તે આત્માના આનંદને લૂંટી શકે છે. તે પહેલાં આત્મસ્વરૂપને વેદી શકાતું નથી. દિકરાનું મમત્વ, પૈસાનું મમત્વ, દેહનું મમત્વ, સ્વજનનું મમત્વ એ પણ ગાંઠ છે, એ દેખાય છે ? આ ગાંઠો સર્વીર્ય ફોરવવા દેતી નથી. આપણે ગ્રન્થિ બોલીએ છીએ એટલું જ. પણ ગ્રન્થિને ઓળખતા જ નથી. ગાંઠ હોય ત્યાં સુખ નથી. ગાંઠ હોય ત્યાં દુઃખ હોય છે. “વેદ ત્રણને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ, ચાર કષાયજી, ચૌદ અધ્યેતર નવવિધ બાહ્યની, ગ્રચિ તજે મુનિરાય”. આ બધી અત્યંતર ગાંઠો છે. બાહ્ય-અત્યંતર ગ્રન્થિ છૂટે ત્યારે મુનિપણું આવે છે. સર્વીર્યના સ્કરણ વિના મજા જ નથી. ગ્રન્થિ સમજતો નથી. ગ્રન્થિ છોડતો નથી અને ઘર્મ કરી રહ્યો છે, એવું માને છે. આપણું વીર્ય ક્યાં છે ? બહારના પદાર્થોને મારા માનીને જીવીએ છીએ. જ્યારે બાહ્ય-અત્યંતર ગ્રન્થિ નીકળે ત્યાં નિર્ચન્થપણું છે. ચોથા ગુણઠાણાથી આંશિક નિર્ચન્થપણું પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વની મોટી ગાંઠ નીકળી ગઈ છે. આંશિક સ્વરૂપ સ્થિરતા આવી છે. ત્રણ કષાયની ગાંઠ નીકળે ત્યારે વાસ્તવિક નિર્ચન્થપણું આવે છે. ગાંઠ હોય ત્યાં સુખ ન હોય. સંસારના પદાર્થો મારા માનો છો તે પણ ગાંઠ છે. સંસારના પદાર્થો મારા માનીને જીવો છો અને સુખને અનુભવો છો ? આ પણ ગાંઠ છે, કઈ ગાંઠ છે? મિથ્યાત્વની મોટી આ ગાંઠ છે. પરને મારા માનવા એ મિથ્યાત્વ છે. પર પદાર્થને મારા મારા કરી પુષ્ટ થશો તેટલી ગ્રન્થિ પુષ્ટ થશે. જ્યાં સુધી સ્વરૂપમાં રમણતા. સ્થિરતા ન આવે ત્યાં સુધી બધી ગાંઠ છે. વૈરાગ્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy