SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનામાં સદ્વર્યનું ફુરણ આવશ્યક ૧પ૯ ઉપર આપણે ભાવ બગાડી ન શકાય. ભૂતકાળની ભૂલ ઉપર તમે કંઈ કરી ન શકો. ભૂતકાળમાં એક ભૂલ કરીને આવ્યો છે તેને તમે હરામખોર ! પાપ કરીને આવ્યો છે? એમ કહી તેને તમાચા મરાય નહીં. એનો દંડ કર્મસત્તા ભલે આપે. પણ તમારા માટે તો એ કરૂણાનો વિષય છે. દૈષ કરવા યોગ્ય તો નથી જ. વર્તમાનમાં જે ભૂલ કરે છે તે દંડને પાત્ર છે. તે ભૂલને પાત્ર છે. વર્તમાનમાં તે અસદ્વર્ય ફોરવી રહ્યો છે એમ કહી શકાય. પણ દ્વેષ તો ક્યાંય કરવા જેવો નથી. ભૂતકાળની ભૂલવાળાને પાપી કહેવાતાં હોય તો, પાપ કર્મના ઉદયવાળાને પાપી કહેવાતાં હોય તો, ભગવાન મહાવીરને પણ પાપી કહેવા પડે. પણ પાપકર્મના ઉદયકાળે તે મહાત્મા છે. તો તેને પાપી કેમ કહેવાય? ન જ કહેવાય. પાપકર્મના ઉદય કાળમાં મહાત્મા બની શકાય છે. પણ પાપના બંધકાળે, પાપ કરતી વખતે મહાત્મા બની શકાતું નથી. સાધનામાં સર્વીનું સ્કુરણ આવશ્યક . આપણે ભવોભવ સંસારમાં રખડીએ છીએ, કારણકે સર્વીર્યનું હુરણ નથી. સર્વીર્યનું ફુરણ થવાથી આત્મામાં આનંદની અનુભૂતિ થાય છે. સર્વીર્યના ફુરણ વડે કષાયો નીકળે છે. માટે આનંદની અનુભૂતિ થાય છે. કાયયોગથી સર્વીર્ય ફોરવતાં હોઈએ, વચનયોગથી સદ્દવીર્ય ફોરવતાં હોઈએ, બધું સારું કરતાં હોઈએ પણ તેમાં મનોયોગમાં સદ્દવીર્યનું ફુરણ ન હોય તો એ આત્મા મહાન ન બની શકે. મનોયોગમાં સર્વીર્ય હોય તો જ કષાય તૂટે, કષાય રસ તૂટે તો જ મહાત્મા બની શકાય. સંસારમાં વપરાતું બધું વીર્ય અસવીર્ય છે. ધર્મમાં ત્રણે યોગનું સર્વીર્ય સ્કરે તો જ વાસ્તવિક વીર્યમ્હરણ છે. કાયયોગનું, વચનયોગનું સર્વીર્ય સ્કુરાયમાન થાય છે તે વ્યવહારથી ધર્મ કહેવાય છે. મનોયોગનું સર્વીર્યનું ફુરણ તે નિશ્ચયથી ધર્મ છે. કષાયને વેદે તે મહાત્મા નહીં, કષાયના પ્રતિપક્ષી ગુણોને વેદે તે મહાત્મા છે. સ્વરૂપના લક્ષ્ય કષાયનો નિકાલ તે સાધના કષાય એ મારો સ્વભાવ નથી. એમ સમજી કષાયને કાઢવા જોઈએ. સ્વભાવના લક્ષ્ય કષાય નીકળે તો ઉપશમ આવે. તો પહેલેથી ચોથા ગુણઠાણે અવાય છે. જો કષાય કરીશ તો લોકો દુર્જન કહેશે, દુષ્ટ કહેશે એ ભયથી પણ કષાયથી બચે એ સારૂં છે. પણ એને વાસ્તવિક કષાય ખટક્યો ન કહેવાય. સમ્યકત્ત્વ પામવું છે ? અનંતાનુબંધી કષાયો કાઢવા છે? તો વીતરાગભાવના લયે કષાય છૂટવા જોઈએ. ઉપયોગમાં સ્વરૂપ રુચિ તીવ્ર બને તો કષાય વાસ્તવિક નીકળી શકે છે. સર્વીર્યના યોગથી મહાત્મા બનવું હોય, જગતપ્રિય બનવું હોય તો આવું સર્વીર્યસ્તુરણ કરો. કષાય ન આવે તેટલા માત્રથી અકષાય ભાવ છે એમ કહી શકાય નહીં. અત્યારે વ્યાખ્યાનમાં બેઠેલા તમને ચારે કષાયમાંથી એક પણ કષાયનો વ્યક્ત ઉદય નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy