SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ચરમાવર્તમાં આવ્યો છે અને ભાવમલ ઘસ્યો છે. તેનો ખ્યાલ આવી શકે છે. ભાવમલ નીકળી જવાના કારણે જીવ ગુણવાળો બન્યો છે. સર્વત્ર અવિશેષ ઔચિત્ય હોય. બાળક હોય, પત્ની હોય, દીન-દુઃખી હોય, આપણા આશ્રિત હોય, ભિખારી હોય અન્ય કોઈપણ હોય દરેક સાથે ઔચિત્ય પૂર્ણ વ્યવહાર કરવાનો છે. ઉચિતભાવ કરવો હોય તો હૈયામાં મૈત્રી, પ્રેમ, કરૂણા - દયાભાવ હોય તો થઈ શકે છે. જગતના જીવો પોતાના કર્મના ઉદયથી પીડાઈ રહ્યા છે. તેને ગમે તેવા મેણાં, ટોણા મારી શકાય નહીં તેમાં આપણું હૈયું કઠોર બને છે. હૈયાને કદી કઠોર ન બનાવવું. આ ઔચિત્યનું સેવન બહુ મહત્ત્વનો ગુણ છે. આવા ગુણવાળો સામી વ્યકિતને બધાને પ્રિય બને છે. બીજાને આશીર્વાદ રૂપ બને છે. एवंविधस्य जीवस्य, भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्त संयोगो, जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ ઉપર કહેલા ત્રણ ગુણોની પ્રાપ્તિના કારણે જીવ ભદ્રમૂર્તિ બન્યો છે. (૧) ભદ્રમૂર્તિ એટલે જેનું દર્શન બીજાને પ્રિય છે, તેવો બને છે. તેનું દર્શન બીજાને આનંદકારી બને છે. ભાવમલ નીકળી ગયો છે. આંતરિક શુદ્ધિ વધવાથી સર્વીર્યના યોગથી મહાત્મા બને છે. અહિંયા અસતુવીર્ય દબાતું જાય છે. સર્વીય જ ફોરવે છે. આ જગતમાં સતુવીર્ય ફોરવ્યા વિના આગળ વધી શકાતું નથી. સંસારની પ્રવૃત્તિમાં, દુર્ગુણોમાં ફોરવાતું જે વીર્ય તે અસતવીર્ય છે. અસતુવીર્યના યોગથી મહાત્મા બની શકાતું નથી. સર્વીર્ય એટલે મોક્ષ પ્રાપ્તિને અનુકૂળ વીર્ય. ગુણોની પ્રાપ્તિ માટે વીર્ય ફોરવવું જોઈએ. સર્વીર્યના ફુરણથી મોક્ષ નજીક આવે છે. સવીર્યના ફુરણથી મહાત્મા બનાય છે. - પાપના ઉદયે કદાચ માણસ કુબડો હોય પણ ગુણસંપન હોય તો તેનું દર્શન પ્રિય બને છે. અને ગમે તેવો રૂપવાન હોય પણ ગુણસંપન નથી તો તેનું દર્શન પ્રિય બનતું નથી. એક રૂપવાન છતાં ક્રોધી-દુર્ગુણી છે. બીજો રૂપ વિહોણો પણ સમાદિ ગુણોયુક્ત છે. સગુણી છે. તો બેમાંથી કોણ સારો? ભૌતિક સંપત્તિનો ઉદય છે. પણ દુર્ગુણી છે. ક્રોધી છે. પુણ્યના ઉદયવાળો છે. ભૂતકાળમાં સદ્દવીર્યનું ફુરણ કરીને આવ્યો છે. બીજો ભૂતકાળમાં અસદ્ વીર્યનું ફુરણ કરીને આવ્યો છે માટે રૂ૫ નથી મળ્યું, પણ આજે વર્તમાનમાં સદ્દવીર્યનું હુરણ કરી રહ્યો છે. બેમાં મહાન કોણ ? વર્તમાનમાં સદ્દવીર્યનું ફુરણ કરે છે તે મહાન છે. જે દુર્ગુણી છે વર્તમાનમાં અસવીર્યનું ફુરણ છે તે સારો નથી. તેનો પરિચય પણ કરવા યોગ્ય નહીં. અસવીર્યને દબાવ્યા વિના સર્વીર્ય ફરે નહીં.-ઘાતીકર્મોની નીચે વીર્ય દબાયેલું છે, વીર્ય કચરાયું છે. એ વીર્ય વિચિત્ર છે. સંસારમાં લઈ જવું હોય, પાપમાં ફોરવવું હોય તો એ તૈયાર છે. સન્માર્ગમાં વીર્ય સ્કરણ કરવાના જ વાંધા છે. પાપનો બંધ કરે તે પાપી છે. પાપકર્મના ઉદયને ભોગવે તે પાપી નહીં. પાપોનો ઉદય વર્તમાન છે. ભૂલ ભૂતકાળમાં કરી છે. તેવો જીવ કર્મના દંડને પાત્ર ભલે કહેવાય. પણ તેના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy