SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મની યોગ્યતા માટેના ત્રણ ગુણો ૧૫૭ તે કેસ ભવિતવ્યતા ઉપર છોડીને આપણે આપણા પરિણામ બગાડવાના નથી. બીજાની ચિંતા કરતાં પોતાની ચિંતા કર, એમ જ્ઞાનીઓ કહે છે. આજે બીજાની ચિંતા કરવામાં આત્માનું વટાઈ રહ્યું છે. આનું શું થશે ? પેલાનું શું થશે ? એ બધાનું તો એની ભવિતવ્યતા હશે તે રીતે થશે. તું શું કરવાનો છે? ખોટા વિકલ્પો કરીને અહંકાર-અભિમાન કરી રહ્યો છે. અને એમાં સ્વ-આત્મપુરૂષાર્થને ડહોળી રહ્યો છે. આત્મપુરૂષાર્થ ગુમાવી રહ્યો છે. દરેક જીવનું તેની ભવિતવ્યતા મુજબ થવાનું છે. તું તો એમાં નિમિત્ત કારણ બની શકશે. તારા નિમિત્તે એનું કાર્ય થવાનું હશે તો જ થશે. આપણા પુરૂષાર્થને મૂકીને બીજાનું કરવા જશું તો સંકલ્પ, વિકલ્પ સિવાય આપણા પલ્લે કંઈ આવવાનું નથી. આત્મપુરૂષાર્થને વ્યાપક બનાવો. બીજી બધી ચિંતા કરવા કરતાં આત્મ પુરૂષાર્થમાં આગળ વધો. પોતાના પુરૂષાર્થથી જ ભાવિ ઉજજવલા કરવાનું છે. જયાં ઉપાય ન દેખાય ત્યાં ભવિતવ્યતા ઉપર છોડો. (૨) અહીં ગુણવાનોને વિષે અદ્વેષ હોય છે. ચરમાવર્તમાં ભાવમલ પ્રચુર પ્રમાણમાં ક્ષીણ થયેલો હોવાથી તે બીજાના દુઃખો દૂર ન થાય તે ચલાવી લેતો નથી. બીજાના દુઃખો પ્રત્યે નિરપેક્ષ બની શકતો નથી. તેમ જેઓ ગુણ છે. ક્ષમા આદિ ગુણોથી યુકત છે. જ્ઞાનાદિ ગુણોથી જેઓ ભરપૂર છે. ગુણવાન છે. પોતાથી અધિક એવા જે કોઈ હોય, જ્ઞાનગુરૂ, વિદ્યાગુરૂ, કલાગુરૂ, દીક્ષાગુરૂ, માતા-પિતા, વડિલો, અન્ય જે કોઈ પણ જીવો જગતમાં ગુણવાન હોય તેને જોઈને માત્સર્ય પેદા થતો નથી. પુણ્યના ઉદય ગુણોથી ઋદ્ધિમંત - મહાન જુએ તો દૈષ પેદા થતો નથી. પણ પૂર્વમાં વિશિષ્ટ પ્રકારના શુભ ભાવ દ્વારા પુણ્ય ઉપાર્જન કરીને આ જીવો આવ્યા છે. અને એ આત્મા તેનું ફળ ભોગવે છે. અને કોઈપણ જીવ એના પુણ્યના ઉદયને ભોગવે એમાં આપણને દ્વેષ શું કામ આવે ? ન જ આવવો જોઇએ. ભલે કદાચ તે ખોટાં સ્થાનમાં હોય તેનામાં કંઈ ભૂલ દેખાય તો પણ દ્વેષ ન જ આવે. અદ્વેષ જ હોય.. મનમાં એવું ન થવું જોઇએ કે “શાનો ફાંકો મારે છે ? એને પછાડી દઉ ” આવા પ્રકારે માત્સર્ય, દ્વેષ ન થાય. આ વેષભાવ, માત્સર્ય આત્માના વિકાસમાં બાધક છે. જેનો ભાવમલ ઘસ્યો છે તેની આવી સ્થિતિ થાય છે. જીવો પ્રત્યે દ્વેષ નીકળી જવો એ ધર્મ પામવાનું મોટામાં મોટું સાધન છે. પુણ્યના અનેક પ્રકાર છે. તેને તે ભોગવે તેમાં દ્વેષ શા માટે કરવો ? ગુણસંપનને જુએ તો આ આત્મા મોક્ષમાર્ગમાં આગળ વધેલો છે એમ જુએ તો પણ દ્વેષ ન આવે. ‘ષ કરવાથી કદી સિદ્ધિ થતી નથી. (૩) ભાવમલ વિપુલ પ્રમાણમાં ક્ષીણ થયેલો હોવાથી સર્વત્ર ઔચિત્યનું પાલન હોય છે. સગા છે, સ્નેહી છે, સંબંધી છે, માટે ઉચિત વર્તવું એવું અહીં નથી. પણ સંસારના દરેકની સાથે ઉચિત વર્તન હોય. જયાં જયાં જે કાંઇ ઉચિત કરવા જેવું હોય તે ત્યાં કરે. આત્મા આગળ વધવા લાગ્યો છે. ક્ષયોપશમને અનુસાર તેને ઔચિત્યનો ખ્યાલ આવે છે અને એ રીતે ઔચિત્ય સાચવે છે. આ ત્રણ લક્ષણો દ્વારા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy