SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મળ્યો, દેવપાલને પ્રભુનો યોગ મળ્યો, કોઈને કલ્યાણમિત્રનો યોગ મળ્યો. કોને કયો યોગ મળવો એ નિશ્ચિત કહી ન શકાય. ભવિતવ્યતાનુસાર યોગ મળે છે. તેમાં સાધુનો યોગ મળવો, કંચન-કામીનીના ત્યાગી, નિઃસ્પૃહ એવા મુનિનો યોગ એ શ્રેષ્ઠ યોગ છે. તમને મહાત્મા ગમે છે. જોઈને આનંદ આવે છે? તો તમે ચરમાવર્તમાં આવી ગયા. એમાં શંકા શું કામ કરવી? પૂ. હરિભદ્રસૂરિ મ.ની શૈલીમાં વિસ્તાર નથી, દૃષ્ટાંત નથી, બહું ટૂંકમાં સચોટ વર્ણન છે. પદાર્થનું યથાર્થ નિરુપણ કર્યું છે. નિઃશંક બોધ થાય છે. આપણો આત્મા કયાં છે ? તે સમજાય છે. મહાત્માને જોઈને હૃદય પુલકિત બનવું, આનંદ થવો, એ જ યોગ અવંચક બન્યો. “નિર્મળ સાધુ ભગતિ લહી, યોગાવંચક હોય, ક્રિયાવંચક તિમ સહી, ફલાવંચક જોય. (આનંદઘનજી-ચંદ્રપ્રભુ ભગવાનનું સ્તવન) હવે તેની ક્રિયા અવંચક એટલે ક્રિયા ઠગનારી નહીં બને. વંદનાદિ જે ક્રિયા કરવી, સત્કાર કરવું. સન્માન કરવું, વિગેરે કરવાનું મન થવું તે યોગ અવંચકની પ્રાપ્તિ છે. મહાત્માના યોગ દ્વારા આ બધું પ્રાપ્ત થયું. મહાત્માના યોગે ક્રિયા થઈ એ ક્રિયા અવંચક બનવી જોઈએ. એટલે કે સફળ બનવી જોઈએ. તો તે ક્રિયાના ફળો કયા? કે જેથી ક્રિયા અવંચક બને. એટલે જેના પ્રત્યે સદ્ભાવ હોય ને કિયા કરે - વંદનાદિ ક્રિયા કરે ત્યારે તે ક્રિયા કરતા વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ થવો, આનંદ થવો, ગુણોની પ્રાપ્તિ થવી તે ક્રિયા-અવંચક કહેવાય. વિશિષ્ટ અધ્યવસાયની પ્રાપ્તિ, ગુણોની પ્રાપ્તિ રૂપ જે ક્રિયાનું ફળ આવ્યું, તેનાથી ઉપર ઉપરના ફળો પામો ત્યારે ફલ-અવંચક કહેવાય છે. અંદરમાં રહેલી અવ્યક્ત સમાધિ ઉપર આ બધું આવી મળે છે. આ અવંચકત્રયને ગ્રંથકાર ઇષ અર્થાતુ બાણના દૃષ્ટાંતથી સમજાવે છે ઈષની લક્ષ્ય ક્રિયા સદેશ આ અવંચકત્રય છે. અર્થાત્ યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકપણું એ ઈષ અર્થાત્ બાણની જે લક્ષ્ય ક્રિયા, તેની સાથે તુલ્યતાવાળી છે. જેમ બાણને ધનુષ ઉપર સમ્યગુ રીતે ચઢાવવું, પછી બાણને ખેંચવું કે જેથી બાણ લક્ષ્યની દિશામાં જ ગતિ કરે. આવા પ્રકારનું જે બાણનું ધનુષની સાથે યોજન તે યોગાવંચકપણું છે. આ બાણનો ધનુષની સાથે સમ્યગુયોગ થયો છે. માટે જ બાણ સમ્યગુદિશામાં ગતિ કરે છે અને એના દ્વારા લક્ષ્યવેધ થાય છે. અર્થાત્ ક્રિયાનું લક્ષ્યવેધ રૂપ સમ્યગુ ફળ મળે છે. માટે ક્રિયા એ અવંચક થઈ કહેવાય અને આ લક્ષ્યવેધ પણ કોઈક વસ્તુની પ્રાપ્તિને આશ્રયને જ હોય છે. તો આ લક્ષ્યવેધ દ્વારા તેને જય-વિજય, યશ વિગેરેની પ્રાપ્તિ થાય છે. અથવા તો સ્વયંવરમાં રાજકન્યાની પ્રાપ્તિ થાય છે માટે તેનાથી લક્ષ્યવેધ રૂપ જે ફળ હતું તે પણ અવંચક બન્યું. બાણ, ધનુષ વિગેરે સામગ્રી મળવા છતાં જે તેને કેવી રીતે વ્યાકૃત કરવા અર્થાત્ ધનુષ ઉપર બાણ કેવી રીતે ચઢાવવું, કેવી મુદ્રામાં ઉભા રહેવું એ બધો ક્ષયોપશમ જો ન હોય તો બધાનો યોગ થયેલો હોવા છતાં તે યોગ યોગાવંચક બનતો નથી. તે જ રીતે બાણને ઘનુષ ઉપર ચઢાવવા છતાં બાણને સમ્ય દિશામાં અર્થાત્ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy