SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ગમે તે સંયોગોમાં સાધુતા સિવાય ઉપદેશ આપી ન શકે, મંદિરોના વહીવટમાં પડે નહીં. બીજા કહે છે મંદિરોનો નાશ દેખાય, વહીવટો બરાબર ન હોય તો વહીવટોમાં પડી શકે છે. આ પ્રમાણે યતિઓમાં અંદર અંદર મતભેદ પડ્યો છે. આવા મતભેદમાં ૭૦૦ માઈલ દૂરથી સાવઘાચાર્યને ન્યાય આપવા બોલાવે છે, તમે ન્યાય આપો. પોતાના પાંચે આચારોનું પાલન કરતાં કરતાં, મહાવ્રતોનું પાલન કરતાં કરતાં, જ્ઞાનીની આજ્ઞા મુજબનું જીવન જીવતાં જીવતાં આવે છે. તેઓને પૂછે છે - તમારો આમાં શું અભિપ્રાય છે? સાવધાચાર્યે મંદિરોનો દુરૂપયોગ થતો જોયો. ચૈત્યવાસીઓ પડ્યા-પાથર્યા રહે છે. એના દ્વારા જીવન જીવે છે. જેઓ મંદિરનો દુરૂપયોગ કરતાં હોય, તેના પૈસા ઉપર જીવતા હોય તો તેવા સ્થાનોમાં મંદિર બંધાવવા એ પાપ છે. એવો અભિપ્રાય આપ્યો. આ ઉપદેશથી યતિઓ ધ્રુજી ઉઠયા. અને મંદિર બંધાવવા એ પાપ છે એ ઉપદેશથી યતિઓએ એમને સાવદ્યાચાર્યનું બિરૂદ આપ્યું. પણ હકીકતમાં એ પાપોપદેશ ન હતો. દ્રવ્ય ક્ષેત્ર, કાળ આશ્રયીને તેમનો આ ઉપદેશ બરાબર હતો. તે વખતે તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું. એકભવવેદ્ય સંસાર કર્યો. એટલે એક ભવમાં જ કર્મો ખપી જાય એટલો સંસાર સીમિત કર્યો. (ઘણાં બધા કર્મો ખપાવી દીધાં) એમ માનીશીથ શાસ્ત્ર લખે છે. એના આત્મા ઉપર આટલા જ કર્મ છે. તીર્થકર નામ કર્મના દલિક એણે બાંધ્યા તે વખતે ચોથું, પાંચમું, છઠ્ઠ, સાતમું ગુણઠાણું હોઈ શકે છે. એમણે સન્માર્ગની પ્રરૂપણા કરી છે. હવે એક વખત ગામમાં એમનું સામૈયું થઈ રહ્યું છે. વરસાદથી જમીન કાદવવાળી થયેલી છે. એક સાધ્વી હર્ષઘેલી બનેલી રસ્તામાં વંદન કરે છે. ત્યાં તેનો સ્પર્શ થઇ જાય છે. સાવઘાચાર્યને ખસી જવું જોઈતું હતું, તે ન ખસ્યા. યતિઓએ આ જોયું. સન્માર્ગની પ્રરૂપણા કરનારે આચારમાં સ્થિર રહેવું જોઈએ. કડક, ચુસ્ત રહેવું જોઇએ અને ન પળાય તો નબળાઇનો એકરાર તો કરવો જ જોઈએ. પણ ભૂલનો બચાવ ન જ કરાય. આપણા આત્મામાં જ કોઈ દોષ હોય તે કોઈ બતાવે તો સ્વીકાર કરો, એકરાર કરો, કે બચાવ કરો? કે શું મારા એકલામાં જ આ છે ? બધામાં આ તો છે. આવું કહેવાય ? ન કહેવાય. દોષનો બચાવ કરનાર માર્ગમાં રહી શકતા નથી. પણ જે પોતાના દોષનો એકરાર કરે, સ્વીકાર કરે, આલોચના કરે, પ્રાયશ્ચિત કરે તો હજી માર્ગમાં રહી શકે છે. ચૈત્યવાસીઓ (યતિઓ) આ જોઈ ગયા. તેઓને આંખમાં કણાની જેમ આ ખેંચે છે. અને એક વખત મહાનીશીથ સૂત્રની વાચના ચાલી રહી છે. તેમાં આ વાત આવી. હે ગૌતમ ! જે સાધુ પોતાના જીવનમાં અગ્નિનો, કાચા પાણીનો કે સ્ત્રીનો સ્પર્શ કરે છે, તે દીર્ઘ સંસારી થાય છે. આ વાંચ્યું તો ખરું, પણ આનો અર્થ કહું ? પ્રરૂપણા કરું કે ન કરૂં? ના , મેં પ્રરૂપણામાં કયારે પણ ભૂલ કરી નથી. મન ઝોલા ખાય છે. આ લોકો તો મને માર્ગની પ્રરૂપણા કરવા છતાં પણ સાવધાચાર્યનું બિરૂદ આપ્યું છે તો હવે વળી શું નું શું કહેશે? છતાં પણ સાવધાચાર્ય મન મક્કમ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy