SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવમલ શું છે? તે ઉપર સાવઘાચાર્યનું દૃષ્ટાંત ૧૫૧ વાંક કાઢે છે ? અચરમાવર્ત એ જીવોનો બાલ્યકાળ છે. એમાં ધર્મની પ્રાપ્તિ કોઈ રીતે ન થાય. ધર્મની ક્રિયા હોઇ શકે છે. ચરમાવર્તમાં જ જીવને ધર્મ યૌવન સ્પર્શે છે. ચરમાવર્તિમાં જેમ જેમ પુરૂષાર્થ કરો તેમ ઘર્મ યૌવન વિકસિત બને છે. અને પુરૂષાર્થ જેટલો કરો તેમ ભાવમલ વધારે નીકળતો જાય છે. અચરમાવર્તમાં પુરૂષાર્થ નથી. કારણ કે ત્યાં કાલ પ્રતિબંધક છે. ચરમાવર્તમાં પુરૂષાર્થ છે કારણ કે કાલની પ્રતિબંધકતા નીકળી ગઈ છે. માટે કાલ સહાયક બને છે. ભાવમલનો ક્ષય ચરમાવર્તમાં થાય છે. એ કાળમાં જીવોનું સ્વરૂપ કેવું હોય છે. તે આગળના બત્રીસમાં શ્લોકમાં કહેવાના છે. અવ્યકત ચૈતન્ય એટલે હિતાહિતના વિવેકથી શૂન્ય ચૈતન્ય. જયાં ભાવમલ ઘણો પડ્યો છે ત્યાં હિતાહિતનો વિવેક નથી થઈ શકતો. અચરમાવર્તિમાં શરીર અને આત્મા બેનું જબરજસ્ત જોડાણ છે. ભાવમલનું એટલું બધું જોર છે કે હું અને દેહ, આત્મા અને શરીર ભિન્ન છે એ વાત એને બેસતી નથી. એ વાત જાણે ખરો, એ વાત વાંચે, એ વાત સમજે, બીજાને એ વાત સમજાવે, ઉપદેશ આપે પણ એની પ્રતીતિ-શ્રદ્ધા અચરમાવર્તમાં થતી જ નથી. ભાવમલથી અતિશય દબાયેલું ચૈતન્ય છે. બિચારાને દુઃખ સિવાય સંસારમાં કાંઈ ન હોય. અનંતકાળથી જે ભટક્યો, જે રખડ્યો. તેમાં અનંત ભાગ જેટલો કાળ જ સુખમાં ગયો છે. અનંતબહુભાગકાળ તો દુઃખમાં જ પસાર થયો છે. જગતમાં ચૈતન્યના વિકાસ વિના કોઈ સુખી કરી શકે એમ નથી. સંસારના કોઇ પદાર્થ મને સુખી કરે એમ નથી. મારું વિકસિત ચૈતન્ય જ મને સુખી કરશે ને ઉપર ઉપર લઈ જશે. આવી શ્રદ્ધા છે? નથી. પણ સંસારના પદાર્થ જ સુખ આપે છે આવી માન્યતા છે, એથી પદાર્થો મેળવવા આત્માને બગાડી રહ્યા છીએ. આવી ભૂલ કોણ કરે? અને કોણ ભવોભવ રખડે ? અચરમાવર્તકાળમાં જયાં દેહ આત્માનું ભેદ જ્ઞાન ન હતું ત્યાં ભવોભવ રખડે એ તો સમજયાં પણ ચરમાવર્તમાં જયાં દેહ આત્માનું ભેદ જ્ઞાન શકય છે ત્યાં પણ દેહ માટે પદાર્થોની પાછળ પડી ભવોભવ ભટકી રહ્યા છીએ. જયાં દેહ અને આત્માનું ભેદજ્ઞાન કરી જીવવાનું છે, ત્યાં દેહ અને આત્માનો અભેદ કરીને જીવી રહ્યા છીએ, ને મનુષ્યભવ બગાડી રહ્યા છીએ. આ શ્રદ્ધા દઢ નહીં થાય ત્યાં સુધી આગળ નહીં વઘાય. વેગ નહીં આવે. વ્યકત ચૈતન્યવાળો આત્મા જ આ બધું કરી શકે છે. ચરમાવર્તિમાં પ્રચુર ભાવમલનો ક્ષય હોય છે ત્યારે જીવનું સ્વરૂપ કેવું હોય ? ભાવમલ એટલે કર્મ સંબંધની યોગ્યતા. ભાવમલ શું છે ? તે ઉપર સાવધાચાર્યનું દષ્ટાંત આપણે ત્યાં એક સાવઘાચાર્ય થઇ ગયા. જો કે તેનું પહેલાં નામ કમલપ્રભાચાર્ય હતું. તેઓ યતિઓના કાળમાં થયેલા. અને તેઓ સન્માર્ગની પ્રરૂપણા કરતાં હતાં. તે વખતે યતિઓમાં અંદર અંદર મતભેદ પડ્યો, કેટલાક કહે સાધુ - - - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy