SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવમલ શું છે ? તે ઉપર સાવદ્યાચાર્યનું દૃષ્ટાંત ૧૫૩ કરે છે કે સાચી પ્રરૂપણા જ કરવી છે. અને જયાં અર્થ કર્યો કે તરત જ સામેથી યતિઓએ પ્રશ્ન કર્યો કે જે અગ્નિ, પાણી, સ્ત્રીનો સ્પર્શ કરનારો છે તે દીર્ઘ સંસારી બને છે. એવું શાસ્ત્ર વચન હોય તો ભગવન્! આ વાકય આપને જ સ્પર્શે છે. આપે વરઘોડામાં સાધ્વીનો (સ્ત્રીનો) સ્પર્શ થયો છતાં નિષેધ કર્યો ન હતો. ચૈત્યવાસીઓએ solid પકડ રાખી છે. હવે સાવઘાચાર્ય અહીં ભૂલે છે તે જુઓ, અત્યારે તેમના આત્મા ઉપર કર્મ ઓછા છે. પણ ભાવમલ પડેલો છે. ભાવમલ એટલે કર્મ સંબંધની યોગ્યતા- કર્મ બંધાય તેવી યોગ્યતા પડી છે. જો આ ન સ્વીકારે તો ચૈત્યવાસીઓ સ્થાનથી પદભ્રષ્ટ કરે તેમ છે. પદભ્રષ્ટ ન થવું હોય તો કંઈને કંઇ વિપરીત કરવું પડે.. મનુષ્યને માન અને અહંકાર નડે છે. મોટાને મોટું માન, અહં નડે છે. નાનાને માન ઓછું નડે છે. ધુરંધર આચાર્યોને, સાધુઓને પણ અહંકાર નડે છે. ઘણા આચાર્યો નરકે જવાના છે. તે શા માટે ? આવું બધું કંઇક અંદરમાં આવે છે ત્યારે નરકે જાય છે. ચૈત્યવાસીઓ સાવઘાચાર્યને કહે છે કે તમે ગુન્હેગાર છો, દોષિત છો, આ પંકિત અનુસારે તમે દીર્ઘ સંસારી છો. હવે સાવદ્યાચાર્ય રમત રમે છે. જુઓ ! તે કહે છે કે, ઉત્સર્ગ અને અપવાદ બેય શાસ્ત્રમાં કહેલા છે. ઉત્સર્ગથી સ્ત્રીનો સ્પર્શ ભલે ન થાય પણ અપવાદે સ્ત્રીનો સ્પર્શ થઇ શકે છે. એટલે મેં કર્યું તે અપવાદે કર્યું છે. અને અપવાદે કર્યું હોવાથી મેં બરાબર કર્યું છે, આ રીતે કહી પેલાઓને બેસાડી દીધા. ચૂપ કરી દીધા. પણ આ ઉસૂત્ર પ્રરૂપણાથી આ વખતે એમણે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી સંસાર વધાર્યો. ભગવાન મહાવીરના જીવ મરિચિએ એક કોડાકોડી સાગરોપમ સંસાર વધાર્યો હતો, જયારે આ આચાર્ય આત્મા ઉપર એક જ ભવ ચાલે એટલા (ઓછા) કર્મ હતા, તેના કરતાં કેટલો સંસાર વધાર્યો ? કોના બળ વધાર્યો ? કહો, ઉસૂત્ર પ્રરૂપણાથી. આમાં જાતની રક્ષા દેખાણી. મારી જાત હલકી ન બને, માટે ઉત્સુત્ર પ્રરૂપણા કરી. આવું કેમ થયું? ભાવમલ ક્ષીણ થયેલો ન હતો. કર્મ ક્ષીણ થયાં હતાં પણ ભાવમલ-કર્મબંધની યોગ્યતા પડેલી હતી. જેના કારણે જિનનામ કર્મના દલિકો વિખેરાઈ ગયા. સાવધાચાર્ય જે આ ઉત્સર્ગ અપવાદની વાત કરી તેમાં શું ખોટું કીધું? ઉત્સર્ગ અને અપવાદ ખોટા નથી. પણ જે જગ્યાએ અપવાદ બતાવે છે, ત્યાં અપવાદ નથી. આ સ્થાનમાં સ્ત્રીને અડવાની બાબતમાં અપવાદની જરૂર જ નહોતી. શાસ્ત્રમાં ઉત્સર્ગ, ઉત્સર્ગમાં ઉત્સર્ગ, ઉત્સર્ગમાં અપવાદ; અપવાદ, અપવાદમાં ઉત્સર્ગ અને અપવાદમાં અપવાદ આમ છ ભેદ બતાડ્યા છે. જેમ કે કોઈ એક સાધ્વી નદીમાં તણાતી હોય, મને બચાવો બચાવોની ચીસો પાડતી હોય, કોઈ બચાવનાર ન હોય અને ત્યાં સાધુને તરતાં આવડતું હોય, તો તરત કૂદી પડે, પકડીને બહાર કાઢે તો તે અપવાદમાં અપવાદ કહેવાય. આવા સમયે શાસ્ત્રોએ જે છૂટ આપી છે તેનો સાવદ્યાચાર્યો દૂરપયોગ કર્યો. એમણે જે અપવાદ લગાડ્યો ત્યાં અપવાદ હતો જ નહીં. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy