SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તપનું સ્વરૂપ ૧૪૯ સંજ્ઞી પંચેન્દ્રિય સાધકને તપનો અર્થ ઈચ્છાનિરોધ સ્વરૂપ છે. અસદ્ ઇચ્છાનો નિરોધ અને સદ્ ઈચ્છાના સાક્ષીભાવ રૂ૫ આચાર (તપાચાર) એ ઘટે છે. સિદ્ધોમાં તો તપ - ઈચ્છાની અંતિમ અવસ્થા તૃપ્તિમાં સમાઈ જાય છે. આત્માના અનંત સ્વરૂપમાં, આનંદમાં તૃપ્ત થવું એ જ સિદ્ધોને તપ છે. ઈચ્છા, પ્રવૃત્તિ, પ્રાપ્તિ અને તૃપ્તિ આ ઈચ્છાની ઉત્તરોત્તર કક્ષા છે. આ રીતે સાધકને મોક્ષની ઇચ્છાની તીવ્રતા - તલસાટ થતાં જ મોક્ષ નિકટ બને છે. અહીં પહેલી દૃષ્ટિમાં યોગબીજ શ્રવણમાં ઉપાદેય બુદ્ધિ (ભાવ) વૃદ્ધિ પામે છે, તેથી તે ઉપાદેયભાવ ક્રમસર સ્વર્ગ અને મોક્ષ સ્વરૂપ મહોદય કરનારો છે. આગળ જતાં મોક્ષ પ્રાપ્તિનું કારણ બને છે. આવા યોગબીજોને સાંભળવામાં આ દૃષ્ટિમાં જીવને આનંદ આવે છે. આવા યોગબીજોને કયારે ગ્રહણ કરે ? તે કહે છે. एतद्भावमले क्षीणे, प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो, महत् कार्य न यत् क्वचित् ॥ ३० ॥ વરને પુત્રવર્તે ય%ચોપપદ્યતે | जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥ ३१ ॥ ભાવમલ અત્યંત - ઘણો બધો નીકળી જાય ત્યારે આત્માને યોગબીજોનું ગ્રહણ થાય છે. મલ એટલે મેલ, કચરો, અચિ. જેમ દ્રવ્યમલ છે તેમ ભાવમલ છે. પાણી ડહોળાઈ જાય, કચરો ભરાઈ જાય એ દ્રવ્યમલ છે, અને આત્માની સાથે લોહાગ્નિ ન્યાયે, ક્ષીર-નીર ન્યાયે, કર્મ સંબંધ થવાની યોગ્યતા તે ભાવમલ છે. કર્મ અને કર્મના કારણભૂત રાગાદિ પરિણતિ, એનો સંબંધ થવાની યોગ્યતા એ ભાવમલ છે. દરેક પુગલપરાવર્ત, ભાવમલ ક્ષીણ થાય છે. પરંતુ અચરમપુદ્ગલ પરાવર્તનમાં તે negligible હોય છે. નોંધપાત્ર નથી. અચરમાવર્તમાં ભાવમલની ક્ષીણતા નહીંવત્ છે. ચરમાવર્તમાં જ પ્રચુર ભાવમલની ક્ષીણતા થાય છે. ચરમાવર્તમાં આવ્યો એટલે ભાવમલ નીકળી જ જાય એવું નથી. પણ ભાવમલનો પ્રચૂર ક્ષય થશે તો ચરમાવર્તમાં જ થશે. એટલે ભાવમલનો ક્ષય ચરમાવર્તમાં જ થાય છે. કારણ કે અચરમાવર્તિમાં જીવનું ચૈતન્ય અવિકસિત - અવ્યકત હોય છે. અને અવ્યકત ચૈતન્યવાળો આત્મા કોઇપણ મોટું કાર્ય કરી ન શકે. દા.ત. જન્મેલા બાળકનું ચૈતન્ય અવિકસિત હોવાના કારણે કોઈ વિશિષ્ટ કામ કરી શકતું નથી. બાળકને શેમાં આનંદ આવે? રમકડામાં જ આનંદ આવે. એમ અચરમાવર્તમાં જીવનું ચૈતન્ય અવિકસિત છે. માટે ભોગરૂપ રમકડામાં જ આનંદ આવે છે. અચરમાવર્ત કાળ જીવનો બાલ્યકાળ છે. ધર્મ યૌવનકાળ પામ્યો નથી. ભાવમલની યોગ્યતા પ્રચુર કોટિની પડી છે. કર્મનો જથ્થો પણ ઘણો છે, ચૈતન્ય દબાયેલું છે. ભોગમાં એટલી બધી રમણતા છે, ચૈતન્ય એટલું બધું દબાયેલું છે કે ધર્મમાં રૂચિ કરે, આગળ વધે એવું ચૈતન્ય જ નથી. નિંદા, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy