SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ તો શું થાય? ઉપાદેયભાવ છે એટલે રુચિ થઈ છે. ઉત્સુકતા લેશ નથી. જે ચાલવાનો પ્રયત્ન કરે તેને ગામ આવવાનું જ છે. પહેલાં સાધનાને જ ફોર્સ આપવાનો છે. વૈર્ય એટલે ચિત્તની સ્વસ્થતા, ચિત્ત સ્વસ્થ બને તો પુરુષાર્થ કેવો બને ? ભગવાન કેવા છે? નમુત્થણમાં અભયદયાણ. અભયને આપનારા, ચક્ષુ, માર્ગ, બોધિ, ધર્મને આપનારા છે. લલિતવિસ્તરામાં અભયનો અર્થ ચિત્તની સ્વસ્થતા કર્યો છે. જયાં સુધી ચિત્ત સ્વસ્થ નથી ત્યાં સુધી ચક્ષુ અર્થાત્ માર્ગની શ્રદ્ધા કયાંથી પ્રાપ્ત થાય? અને આગળ બોધિ કયાંથી મળે. સંભવનાથના સ્તવનમાં “ભય ચંચળતા હો ચિત્ત પરિણામની રે ” આનંદઘનજી પરિણામની ચંચળતા, પરિણામની અસ્થિરતાને ભય કહે છે. અભય એટલે સ્વસ્થચિત્ત, જે સાધના કરો છો તે સ્વસ્થ ચિત્તે કરવાની છે. સાધનામાં ચિત્ત પ્રસન્નતા ગુમાવવાની નથી. યોગબીજ શ્રવણમાં ઉપાદેયભાવ પેદા થયો, ઉત્સુકતા નીકળી ગઈ અને ચિત્ત સ્વસ્થ બન્યું એટલે સાધનામાં વેગ આવતો જાય, તેનાથી ક્રમસર દેવભવ મનુષ્યભવ મળ્યા કરે પછી આખરે મોક્ષની પ્રાપ્તિ થાય, એવા મહાન ઉદયને પમાડનારો આ ઉપાદેયભાવ છે. જયાં સુધી સાધ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચિત્તની સ્વસ્થતા જોઈએ. અને મોક્ષની લગન, તલપ ને તાલાવેલી જોઇએ. પણ અધિરાઇ ન હોવી જોઈએ. આજે અમને મોક્ષની ઇચ્છા છે. પણ તલપ નથી. તલસાટ નથી. ગૌતમને તલપ હતી. તલસાટ હતો, ૧૫૦૦ તાપસને મોક્ષનો તલસાટ હતો. તપનું સ્વરૂપ ઈચ્છા નિરોધ એટલે ત૫, એ તપનો નેગેટીવ અર્થ છે. તપની પોઝેટીવ વ્યાખ્યા શું? તપ એટલે તલસાટ. શેનો ? સ્વરૂપને પામવાનો તલસાટ આવે તો જીવ આગળ વધી શકે છે. ઇચ્છા નિરોધ એ તપનો વાસ્તવિક અર્થ નથી. પણ તપાચારનો અર્થ છે. સિદ્ધોમાં તપ છે? જ્ઞાન-આનંદ સ્વરૂપ સિદ્ધ છે. તો એમાં તપ શું ? મોક્ષમાં જ્ઞાન-દર્શન- ચારિત્ર-તપ શું ? જ્ઞાન-દર્શનની continuityસાતત્ય એ જ ચારિત્ર છે. જ્ઞાન દર્શનના ઉપયોગની સ્થિરતા એ જ ચારિત્ર છે. જ્ઞાન-દર્શનમાંથી જે આનંદ આવે એ જ તપ છે. તપ એટલે તલસાટ, તલપવું એ અર્થ છઘસ્થમાં કર્યો છે. તપ એ જીવમાત્રનું (આત્માનું લક્ષણ છે. એટલે બધા જીવોમાં ઘટવું જોઈએ. એકેન્દ્રિયાદિમાં તપ કેવી રીતે ઘટે? પંચેન્દ્રિયોમાં તપ કેવી રીતે ઘટે? અને સિદ્ધોમાં તપ કેવી રીતે ઘટે? આ રીતે બધા લક્ષ્યભૂત આત્મામાં તપ (લક્ષણ)ને ઘટાડવા માટે સૌ પહેલાં “તપ” શકિતને સમજવી જોઇએ. તે (૧) લક્ષણ (૨) આચાર (૩) સ્વરૂપ, એમ ત્રણ રૂપે છે. લક્ષણ એકેન્દ્રિયાદિમાં, આચાર પંચેન્દ્રિયમાં અને સ્વરૂપ સિદ્ધોમાં છે. અને સર્વ જીવોમાં આ ઇચ્છા to will રૂપે દરેક જીવોમાં દેખાય છે. એકેન્દ્રિયો પણ સંજ્ઞાનું પ્રવર્તન કરે છે. એટલે (૧) લક્ષણ અર્થ એકેન્દ્રિયાદિ બધામાં ઘટે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy