SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબીજના શ્રવણનું ફળ ૧૪૫ માટે છે અને આચરણ આત્માનો આનંદ પામવા માટે છે. અશુભથી નિવૃત્તિ કરનારને ઘણો લાભ થાય છે. અશુભ સંસ્કારો તૂટે છે. પ્રવૃત્તિ સહજ બને છે. નિવૃત્તિ ગમતી હોય, નિવૃત્તિમાં ઠરતો હોય, સામાયિકમાં, પ્રતિકમણમાં, તત્ત્વચિંતનમાં, એકાંતમાં, ધ્યાનમાં, સ્થિરાસનમાં જો આત્મા કરતો હોય તો તમારા ઉપયોગમાં નિર્જરાની પ્રધાનતા છે. અને વેપાર ન ગમે, વાતો ચીતો ન ગમે, સંસાર ને ગમે તો આત્મા સંવર પ્રધાન છે. પ્રભુએ બતાવેલ ચારે વસ્તુ “જે પ્રતિષિદ્ધ છે તે ન કરવી, કર્તવ્ય કરવું, અશ્રદ્ધા ન કરવી, વિપરીત પ્રરૂપણા ન કરવી” આ જીવનમાં કરીએ તો સાધના વેગવતી બને. અને આ ચારે ન કરીએ તો જ્ઞાનીએ તેનું પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. શુભપ્રવૃત્તિ બહુ ગમતી હોય, શુભ પ્રવૃત્તિ પ્રધાન જીવન હોય, હું આ કરું, તે કરું, પ્રભુની પૂજા કરું ભકિત કરું, ભકિતગીતો ગાઉ, પ્રભુ પાસે નૃત્ય કરું વિગેરે ગમે. શુભ પ્રવૃત્તિ પ્રધાન ઉપયોગ હોય તો આ બધો શુભ આશ્રવ છે. તો આત્મા શુભ આશ્રવ પ્રધાન છે. વારંવાર પાપથી પાછા ફરવાના વિચાર આવતાં હોય, આ સંસાર પાપથી ભરેલો છે. આ ત્યાગ કરું, આ ન જોઈએ, સાધનો ઘટાડવાનું મન થાય, ખાવાનો ત્યાગ કરું, ઘરનો ત્યાગ કરું, દ્રવ્યોનો સંક્ષેપ કરું, વિગેરે, આ ઉપયોગમાં સંવરની પ્રધાનતા છે. વેપાર કરું, ધંધો કરું, કારખાના ખોલું, મકાન બંગલા બંધાવું, મોટર ગાડી વસાવું, વિગેરે અશુભ આશ્રવનો ઉપયોગ છે. તમને એકાંત ગમે, ધ્યાન ગમે, સ્થિરાસન ગમે કે વાતો ગમે? અને વાતોમાં પણ ધર્મની વાતો ગમે ને !! વર્તુળમાં એક ડાહ્યો માણસ તો જોઇએ જ, જે પદાર્થને સમજી શકે, જે પદાર્થને જાણી શકે, જે પદાર્થને સમજાવી શકે, અને તે સદાચારી જોઇએ, નિસ્પૃહી જોઇએ. આવો એક તો વર્તળમાં, તમારી કંપનીમાં હોવો જોઈએ જ, બધા જ અંગૂઠાછાપ હોય તો સંઘ કાશીએ કેવી રીતે પહોંચે ? આ ન બને તો પ્રભુભકિતનો કાર્યક્રમ ગોઠવો. પણ ભકિત સાથે સત્સંગ હોય તો વધારે કામ થઇ શકે. बीजश्रुतौ च संवेगात् प्रतिपत्तिः स्थिराशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ॥ २९ ॥ ચોગબીજના શ્રવણનું ફળ આ બધું કરવાથી સંવેગ આવે. જિનવચન ઉપર અતિશય અહોભાવ, આદર, રૂચિ, લાગણી થાય છે. અત્યાર સુધી સંસારના સુખોમાં આનંદ હતો , સંસારના સુખો મળે તેમાં તેને રૂચિ હતી, તેને હવે જિનવચન સમજાવાથી આ આમ જ છે. એવી સ્થિરાશયવાળી પ્રતિપત્તિ અર્થાત્ જિનવચનનો સ્વીકાર થાય છે. હવે જે યોગબીજોને સાધે છે તેમાં તેનું ચિત્ત એવું જોડાય કે વિસ્રોતસિકા એટલે સ્કૂલના પામતું નથી. વચમાં રાગાદિ પરિણતિ, કષાયની પરિણતિ આવતી નથી. તેમાં જ તેનો ઉપયોગ હોય. વચમાં બીજી વસ્તુ આવીને ન ડહોળી શકે તેવી મજબૂત શ્રદ્ધા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy