SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ યોગદૈષ્ટિનાં અજવાળાં ૧ ભાગ-૨ ઈન્દ્રિયોને, માતા-પિતાને, સ્વજનને આધાર માન્યા. હવે શ્રત-શ્રુતજ્ઞાની ગુર્નાદિને આધાર બનાવીએ તો જ ચાલે. શ્રુત જ્ઞાન વગર સંસાર સાગર તરી શકાશે નહીં. આજે જગતમાં પાણી, તેલ, વાયુની વિરાધના તમે કરો છો તેવી વિરાધના સાધક એવો ધર્મી કરી શકે જ નહીં. ધર્મી તે કે જે જયણા પૂર્વક જ કરે. જયણા એ ધર્મની માતા છે. જયણા વગર ઘર્મ ટકે જ નહીં. જયણા એટલે પાપથી બચવાની નિરંતર કાળજી. કઈ રીતે ઓછામાં ઓછું પાપ લાગે તે જુએ. અને એ પાપની પ્રવૃત્તિમાં પણ પશ્ચાત્તાપ હોય, એ પાપની પ્રવૃત્તિમાં અકરણીયતાની સતત બુદ્ધિ હોય. ધર્મ પામ્યા પછી સંસારની પાપની પ્રવૃત્તિ કાળે દુઃખથી પ્રવૃત્તિ કરતાં હો તો તેના અનુબંધ દઢ થતાં નથી. પણ એની ખાતરી શું ? વૃત્તિમાં પાપ ન હોય એ જ એની ખાતરી છે. ધર્મ વૃત્તિ ઉપર સીધી અસર કરે છે. પ્રવૃત્તિ તો સંયોગાધીન છે. જયારે વૃત્તિ વિવેક અને જાગૃતિને આધીન છે. જે પ્રવૃત્તિમાં પાપની વૃત્તિ નહીં, તો તે અલ્પબંધ કરાવનારી છે. જે પાપની પ્રવૃત્તિ થાય તેમાં પશ્ચાત્તાપ નહીં તો જયણા નહીં. ચિંતન કર્યા પછી, ભાવના જ્ઞાનથી આત્માને સતત ભાવિત કરવાનો છે. આ અધ્યાત્મનું અંગ છે. શ્રુતજ્ઞાન પૂલ છે. તેમાં મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભળે, ઉહાપોહ, તર્ક-વિતર્ક ભળે. સૂક્ષ્મ રહસ્યો સમજે, જ્ઞાન સૂરમ બન્યું તે ચિંતા જ્ઞાન છે. ચિંતાજ્ઞાનથી મધ્યસ્થ દૃષ્ટિ પેદા થાય છે અને બીજાના વિચારને સમજવા માટે જરૂરી સહિષ્ણુતા આવે છે. આપણા વિચારોથી બીજાના વિચારો ભિન્ન જાણીને પહેલા તબક્કે જ જો ખંડન કરવા લાગીએ તો ચિંતાજ્ઞાનનો અભાવ છે. બહુલતયા શ્રુતજ્ઞાનમાં અહંકાર ભળે ત્યારે ખંડન કરવાનું મન થાય છે. ચિંતાજ્ઞાન વિના, ભાવના જ્ઞાન વિના આત્મા નહીં જ મળે. આ લઘુ હરિભદ્ર શ્રુતસાગરમાં ડૂબકી મારી છે. “તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો રે, શ્રી શ્રીપાલનો રાસ રચતાં અનુભવ અમૃતરસ વૂઠો રે” ઉપાધ્યાયજી મ.સા. કહે છે કે પરમાત્મા તૂક્યા છે. પરમાત્માને આજે હું પામ્યો છું. શ્રતમાં ડૂબકી મારવી પડશે, શ્રતને વારંવાર ઘુંટવું પડશે, ભકિત અને સત્સંગ કરવો પડશે, જેનાથી સંસાર તરી શકાય છે. વર્તમાનમાં ભકિત અને સત્સંગ પરદેશ ગયા છે. કલિકાલમાં મોહથી બચવા માટે આ બે ઉપયોગી છે. ભકિત અને સત્સંગ. આ બે જેને ન ગમે તેનું પુણ્ય રૂક્યું છે. તેનું પુણ્ય સારું નહીં. નવતત્ત્વનું હાર્દ તમે એક વર્તુળ ઊભું કરો. બધા ભેગા થાય ત્યારે આ જ વાતો કર્યા કરો. તો સંસારના નિપ્રયોજન પાપથી બચી શકશો. તત્ત્વોની વિચારણા કરો. આપણો આત્મા આશ્રવ પ્રધાન છે ? સંવર પ્રધાન છે ? કે નિર્જરા પ્રધાન છે? આશ્રવમાં પણ શુભાશ્રવ પ્રધાન છે? કે અશુભાશ્રવ પ્રધાન છે? એ જોતાં કે જાણતાં ન આવડે તો નવતત્ત્વ ભણ્યો કહેવાય ? તમારા ઉપયોગમાં શેની પ્રધાનતા છે ? એ જાણી શકો છો ? જ્ઞાન, જ્ઞાન માટે જ નથી પણ જ્ઞાન શ્રદ્ધા માટે છે, શ્રદ્ધા આચરણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy