SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાનનું ફળ ૧૪૩ પાસે પ્રકાશન કરે. મેં આવું સાંભળ્યું, મેં આવું સાંભળ્યું એમ કહે. આનંદ અને કામદેવ પ્રભુની એક દેશનામાં પામી ગયા. દેશવિરતિ લઈને ગયા. પાંચમું ગુણઠાણું પામીને ગયા. પરિગ્રહ પરિમાણ વિગેરે વ્રતો લઈને ગયા. અને ઘરે જઈને પત્નીને કહે છે, પ્રભુની દેશના સાંભળી અને અમે આ પામ્યા, આવું પામ્યા. બધું કહે છે. તો તેમની પત્નીઓ પણ પરમાત્મા પાસે જઈ શ્રાવકના બાર વ્રતો સ્વીકારે છે. શાસ્ત્રોનાં વાચના, પૃચ્છના, પરાવર્તનાદિ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરે. તમે ધર્મ નથી કરતાં. ફકત સાંભળો છો. એક કલાકનું શ્રવણ તેના પર ૧00 કલાકનું મનન અને ૧૦૦૦ કલાકનું ચિંતન જરૂરી છે. આટલું ભળે ત્યારે મોહ તૂટે. એક વસ્તુ ગમી તે સતત ઘુંટાયા કરવી જોઈએ. તમારી પાસે શ્રુતજ્ઞાન છે. મનન નથી. ચિંતા જ્ઞાન નથી. શ્રુતજ્ઞાન પાણી સમાન છે. ચિંતાજ્ઞાન દૂધ સમાન છે, ભાવનાજ્ઞાન અમૃત સમાન છે. આપણે શાસ્ત્રજ્ઞાનથી ભાવિત થતાં નથી. અહીં એક કલાક સાંભળીને ગયા અને પાછા સંસારના પદાર્થોથી, ઇન્દ્રિયોના વિષયોથી ભાવિત થઈને અહીં આવ્યા. પરંતુ એક કલાક સાંભળીને ઘરે એક ખૂણામાં બેસીને તેને વાગોળો તો તે , જ્ઞાન ઘણું ઉપયોગી થાય છે. જેટલું જાણો છો તેની શ્રદ્ધા કરી અને આત્મા સાથે મુંજન કરો તો રત્નત્રયીની સાથે અભેદતા થાય છે. આ તો આખો દિવસ, આઠ કલાક મજૂરી કરે પછી સીધો પ્રતિક્રમણ કરવા બેસે. આઠ કલાકની મજૂરી કરી છાતી ઉપર મોહનો ભાર છે. અને પ્રતિક્રમણ કરવા બેસશો તો સૂત્ર કઈ રીતે બોલશો ? કઈ રીતે સૂત્રમાં એકાગ્રતા રહેશે ? આ સંસારમાં રહો છો - જે કરો છો તેમાં પણ તત્ત્વ દૃષ્ટિને જાગૃત રાખો, ઉપયોગથી અલિપ્ત રહેવા પ્રયત્ન કરો. અનાદિકાળથી આપણે પાંચે ઇન્દ્રિયોના વિષયોથી ભાવિત થયા છીએ . એની સામે આ બધા ભાવોથી ભાવિત થવાનું છે. ભાવિત થનારા વિરલા જ હોય છે. શ્રુતજ્ઞાનનું ફળ જીવોના ૫૬૩ ભેદ આવડ્યા એટલે, નવતત્વના નામો અને અર્થ આવડ્યા એટલે, બૃહત્સંગ્રહણીના પદાર્થો આવડ્યા એટલે, કામ પૂરું થતું નથી. પણ શરૂ થાય છે. જીવન અને ધર્મ ભિન્ન નથી. જીવનમાં ધર્મ જોઇએ. ધર્મમય જીવન જોઈએ, જ્ઞાનનું આત્મક્ષેત્રે application આપણે કરતાં નથી. એટલે સંસારી અને ધર્મીનો જીવન વ્યવહાર જુદો દેખાતો નથી. બાકી ધર્મીની જીવન પદ્ધતિમાં અને તેની પ્રત્યેક રીતભાતમાં ધર્મની મહેક - સુગંધ જોવા મળે. ૫૩ જીવના ભેદને જાણ્યા પછી જીવની શ્રદ્ધા એવી વ્યાપક બની જાય કે સંસારની પ્રવૃત્તિ કરતાં જીવ જ દેખાય. દરેક પ્રવૃત્તિ કરતા સર્વત્ર જીવ દેખાવાથી શ્રાવિકાને શાક ઉપર છરી ફેરવે તો તેનાં હાથ ધ્રુજે. ગેસ સળગાવતાં તેનું હૃદય કંપે, નિષ્ઠયોજન તેલ, વાયુ, પાણીની વિરાધના કરે નહીં. અત્યાર સુધી દેહ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy