SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ઉપર ગ્રન્થ લઈને ભવ્ય વરઘોડો કાઢ્યો. પાણીની કિલષ્ટ વ્યાકરણ છે. અને આ સરળ વ્યાકરણ છે. હેમચન્દ્રાચાર્યની ઉદારતા તો જુઓ કે તેમણે વ્યાકરણનું નામ “સિદ્ધહેમ શબ્દાનુશાસનમુ” રાખ્યું. એમાં પણ પહેલાં સિદ્ધરાજનું નામ અને પાછળ પોતાનું નામ રાખે છે. સિદ્ધરાજે શ્રુતની ભકિત કરી. આદર બહુમાન કર્યું. સંગ્રામ સોનીએ ભગવતી સૂત્ર સાંભળતાં ૩૬૦૦૦ વખત ગૌતમ શબ્દ આવે છે તેથી ૩૬૦૦૦ સોનામહોર મૂકી બહુમાનપૂર્વક પૂજન કર્યું છે. શકિત અનુસારે પૂજન બહુમાન કરવું એ યોગબીજ છે. સાધુ ભગવંતો યોગોદ્ધહન કરીને , તપ-ત્યાગ કરીને શ્રતની ઉપાસના કરે છે એ શાસ્ત્રનું બહુમાન છે, પૂજન છે. પૂજન કર્યા પછી શાસ્ત્ર ગ્રન્થોનું દાન કરવાનું છે. એમાં વિનિમય આશય રહેલો છે. પુસ્તકોની પ્રભાવના ઉપર બહુ ભાર નથી આપતો. પણ અર્થી જીવોને, યોગ્યને પુસ્તકનું દાન આપવું, તો ચોક્કસ લાભ થાય. જેમ જેમ તે શાસ્ત્ર પુસ્તકનું વાંચન કરે તેમ તેમ જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. ઉપદેશ દ્વારા જગતને ધર્મ પમાડવાનું સામર્થ્ય આપણું નથી. જયારે કોઈ સાધર્મિકને ઘરે જમવા બોલાવો ત્યારે, પછી તેને પૈસા આપી બહુમાન કરો છો. તેમ પૈસાની સાથે સાથે આવા સારા પુસ્તકનું પણ દાન કરો. જેનું વાંચન રાગાદિને ઘસવા માટે બહુ ઉપયોગી બનશે. શ્રુતના માધ્યમથી પરમાત્મા હૃદયમાં આવે છે. જેનાં દયમાં પરમાત્મા આવે તેના બધા કાર્ય સિદ્ધ થાય છે. એમ હરિભદ્રસૂરિજી મહારાજા ષોડશકમાં લખે છે. મોહનીયના સકંજામાંથી છૂટવું હોય તો શ્રતનો રસ વધારો. શ્રુતજ્ઞાન એ ચક્ષુ છે. ગુદિ પાસે જિનવાણીનું શ્રવણ કરો. સંસારના લાખો કામો પડતા મૂકીને શ્રાવકને જિનવાણીનું શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ કરવાનું શાસ્ત્રો કહે છે. એનાથી ઘણો બધો લાભ થાય છે. લાખોની આ કમાણી છે. આવું સમજયા પછી સંસારના કામો મુખ્ય કરીને જિનવાણી શ્રવણને ગૌણ કરી શકાય? શાસ્ત્રશ્રવણનો યોગ જતો કરવો એ મૂર્ખતા નથી શું ? જિનવાણી સાંભળતાં સાંભળતાં અડધા ગીતાર્થ થઇ જવાય છે. જેમ લખતાં લખતાં લહીઓ થવાય, પૂછતાં પૂછતાં પંડિત થવાય. તેમ શ્રવણ કરતાં કરતાં જ્ઞાની થવાય છે. ખાધા વિના જેમ ન ચાલે, પીધા વિના જેમ ન ચાલે, ઊંધ્યા વિના જેમ ન ચાલે તેમ જિનવાણીના શ્રવણ વિના ન જ ચાલે. તેમાં ય પહેલેથી છેલ્લે સુધી સાંભળે તે જિનવાણીનો રસ કહેવાય. આ તો પૂજા કરવા આવ્યા હોય અને હજી અડધો કલાક બાકી છે, તો સાંભળવા બેસી જાય. આને શ્રવણનો રસ કહેવાય ? જિનવાણીના શ્રવણ વિના દિવસ વાંઝીયો લાગે. ત્યારબાદ આ દૃષ્ટિમાં રહેલો યોગી સ્વયં વાચના કરે છે. એટલે પોતે બીજાઓને શાસ્ત્ર, શાસ્ત્રના પાઠો વંચાવે, સંભળાવે. ગુરુ પાસે વિધિપૂર્વક જે સાંભળ્યું હોય, તેનું સુયોગ્ય, ભવ્યજીવો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy