SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સાચો વારસો શ્રુતજ્ઞાન ૧૪૧ - જ. એમાં મતિજ્ઞાનનું ચિંતન ભળે છે. તેવા શ્રુત વિના મોહ તૂટે નહીં. પછી જીવ ક્ષપકશ્રેણી માંડે છે. આ વારસો ભાવિ પ્રજાને મળે માટે એ પ્રવાહને ચાલુ રાખવા માટે આ દૃષ્ટિમાં રહેલો યોગી શાસ્ત્રોને લખાવે છે. પ્રાકૃત - સંસ્કૃત શાસ્ત્રોની જેમ કોઈ મહાપુરૂષોએ ગુજરાતી વિવેચન લખ્યું હોય તો પણ લખાવવું જોઈએ. સિદ્ધર્ષિ ગણિ ૨૧ વાર બૌદ્ધ અને જૈનમાં ફર્યા છે. બૌદ્ધમાં જાય પાછા જૈનમાં આવે, પાછા બૌદ્ધમાં જાય, કયાંય સ્થિર ન થયા. એકવીશમી વાર તો નિર્ણય કરીને આવ્યા છે કે હવે આ ઓધો ગુરૂને આપી જ દેવો છે. કેવા ગુસ્સામાં આવ્યા હશે ? કેવા વ્યર્ડ્સાહિત થયા હશે ? ગુરૂ મુખાકૃતિ પરથી ઓળખી ગયા આજે સમજાવવા જેવો નથી, અત્યારે ઉપદેશનો અવસર નથી. ક્રોધમાં રહેલાને ઉપદેશ શું અસર કરશે ? ગુરૂ પાટ ઉપર બેસાડે છે. હું બહાર જઇને આવું છું. નમુત્થણે સૂત્ર ઉપર લખાયેલી હરિભદ્રસૂરિજી મહારાજાની લલિતવિસ્તરા વાંચવા આપે છે. જેમ જેમ લલિતવિસ્તરા વાંચતા ગયા, પરમાત્મા શું છે તે સમજતા ગયા તેમ ક્રોધ શમવા લાગ્યો, મિથ્યાત્વ પીગળવા લાગ્યું. પરિવર્તન આવ્યું. જૈન દર્શનમાં સ્થિર થયા. તેમણે ઉપમિતિભવપ્રપંચા ગ્રન્થની અભૂત રચના કરી છે. ઉપમિતિ આ જગતની અજાયબી છે. સેકસપીયરને શાકુન્તલ એવું ગમી ગયું કે તે માથા ઉપર શાકુન્તલ મૂકીને નાચ્યો છે. એને ઉપમિતિ વાંચવા નહીં મળી હોય. ઉપમિતિ વાંચનારને શાકુન્તલ કાંઈ ન લાગે. ઉપમિતિ એ જૈનશાસનનો વૈરાગ્યનો ટોચકક્ષાનો ગ્રંથ છે. જેમાં મોહનીયની એક એક પ્રકૃત્તિને પીંખી પીંખીને ઓળખાવી છે. મોહનું સ્વરૂપ ઓળખવા માટે આનાથી શ્રેષ્ઠ બીજો એક પણ ગ્રંથ જૈન - જૈનતેર જગતમાં નથી. ભુવનભાનુસૂરી મહારાજે લલિતવિસ્તરા ઉપર “પરમતેજ' નામના બે ભાગ લખ્યા છે. તે પરમતેજ વાંચનાર ગાંડા બન્યા છે. આવા ગ્રન્થો સંસ્કૃતમાં કઠીન પડે. તેના ગુર્જર વિવેચનથી આપણે હાર્દ સમજી શકીએ તેવા ગ્રન્થો લખાવવા એ પણ યોગબીજ છે. શ્રુતનું આદર, બહુમાન પૂજન એ યોગબીજ છે. હેમચન્દ્રાચાર્ય મહારાજે સંસ્કૃત વ્યાકરણ બનાવ્યું છે. તે કાળે જૈન વ્યાકરણ ન હતું. સિદ્ધરાજને ખૂંચતું હતું કે આપણે પાણીની વ્યાકરણ વિગેરેના સહારા લેવા પડે છે ? અને આચાર્યને વિનંતિ કરી, તેમણે પંદર મહિનામાં વ્યાકરણ બનાવ્યું. તેમાં લધુવૃત્તિ 9000, બૃહદ્રવૃત્તિ ૧૮૦૦૦, બૃહન્નયાસ (અપૂર્ણ) ૮૪૦૦૦, સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ ૨૨૦૦, ઉણાદિગણ ૩૨૫૦, ધાતુપારાયણ ૫૦૦ શ્લોક પ્રમાણ બનાવ્યું. પાણીનીએ જયાં ત્રણ સૂત્રો બનાવ્યા, ત્યાં એમણે એક સૂત્ર રચ્યું છે. આ વ્યાકરણ કલિકાલ સર્વજ્ઞ રચ્યું. એ વાત તે કાળના બ્રાહ્મણોને ખૂંચે છે. કસોટી થાય છે. આ રચનાને પાણીમાં ડૂબાડો અને તરે તો સાચું સમજવું. ગ્રન્થને ડૂબાડયો. તે ભીંજાયા વગર ઉપર તરે છે. ઉપરથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. આ વ્યાકરણ લઇને સિદ્ધરાજ નાચ્યો છે. સિદ્ધરાજે પાટણમાં ગ્રન્થનું બહુમાન કર્યું. હાથીની અંબાડી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy