SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪) યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-ર लेखना पूजना दानं, श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिंतना भावनेतिच २८ આ દૃષ્ટિમાં રહેલો યોગી શાસ્ત્રની ભિન્ન ભિન્ન રીતે ઉપાસના કરે છે. ધર્મશાસ્ત્રનું લેખન વિગેરે કરાવે છે. કામશાસ્ત્ર, અર્થશાસ્ત્રનું લેખનાદિ નથી કરાવવાનું. તેવા શાસ્ત્રો તો કામવાસના અને ધનલોભ અર્થલાલસા ઉત્પન્ન કરનારા શાસ્ત્રો છે. સંસાર વૃદ્ધિ કરનારા છે. માટે પૂર્વાચાર્યોના રચેલાં, ચષિ – મહર્ષિ પ્રણીત જે અધ્યાત્મના શાસ્ત્રો છે તેનું લેખન કરાવવું. ન્યાયથી ઉપાત્ત ધનનો સમ્યગુ. ઉપયોગ લેખન દ્વારા કરે છે. અને જે લહિયા પાસે શાસ્ત્ર લખાવે તેને છેતરે નહીં, તેને નારાજ ન કરે, તેનું મન પ્રસન્ન રહે તે રીતે લખાવે. પછી પૂજન કરે એટલે પુષ્પ - વસ્ત્રાદિથી તેનું પૂજન કરે. ધર્મશાસ્ત્રોના પુસ્તકોનું દાન કરે, શાસ્ત્રોનું – જિનવાણીનું શ્રવણ કરે, વાચના એટલે સ્વયં વાંચન કરે. ઉગ્રહ એટલે ગુરૂ પાસે વિધિપૂર્વક ગ્રહણ કરે, એટલે વાચના દાતાનું આદર બહુમાન કરે. ભકિત કરે, વંદન કરે. ઉભડક પગે બેસવું, હાથ જોડીને બેસવું, એકાગ્રચિત્તે બેસવું, ગુરૂ સન્મુખ ચાતકની જેમ જોવું, આસન વિગેરે પાથરે, સ્થાપનાચાર્ય મૂકે, આ બધું કરે તો વિધિપૂર્વક ગ્રહણ કહેવાય. વાચના લેતાં આ વિધિ ન કરે અને ઠઠ્ઠા - મશ્કરી કરે તો તેને વાચનામાંથી ઉઠાડી મૂકવાનું શાસ્ત્ર કહે છે. આ રીતે ગ્રહણ કરે, પછી વાચનાદિ પાંચ પ્રકારે તેનો સ્વાધ્યાય કરે, આજ શાસ્ત્રોના અર્થને અનુસારે ચિંતન કરે, આ જ શાસ્ત્રોના વિષયોથી ભાવિત બને. આ બધા પહેલી દષ્ટિના યોગબીજો છે. પૂર્વના મહર્ષિઓએ શ્રુતજ્ઞાનનો વારસો સાચવી રાખ્યો છે, માટે આપણી પાસે આવી શક્યો છે. ઉપાધ્યાયજી યશોવિજયજી, હરિભદ્રસૂરિ જેવા સૂરિપુંગવો ન મળ્યા હોત તો આ વારસો આપણને કેવી રીતે મળત? તેમણે પૂર્વધરોની વાતો, લુપ્ત થઈ ગયેલી વાતો, દષ્ટિની વાતો આપણી સમક્ષ મૂકી છે તો આપણે પામ્યા છીએ. ૪૫ આગમમાં ભકિતયોગ આટલો બધો ન મળે પણ જ્ઞાનયોગ સાથે ભકિતયોગ જોઈએ જ. આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજે ભકિતયોગ ખૂબ સુંદર આપ્યો છે. ઉપાધ્યાયજી કહે છે - सारमेतन्मयालब्ध, श्रुताब्धेरवगाहनात् , भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ।। સમસ્ત શ્રત સાગરનું અવગાહન પ્રાપ્ત કર્યા પછી મારા વડે સાર પ્રાપ્ત કરાયો કે પરમાત્માની ભકિત પરમાનંદ સંપત્તિ પામવાનું બીજ છે. તેમણે આપણા શાસ્ત્રોના આપાત દષ્ટિથી પૂર્વાપરના વિરોધી લાગતા પદાર્થોનો પરસ્પર સંબંધ કરી બતાવ્યો છે. શ્રતને અસંદિગ્ધ કરી બતાવ્યું છે. જેનાથી આપણી શંકાઓ ટળી જાય છે. શ્રુતનો વારસો આપણને મળ્યો છે. શ્રત એ દીવો છે, ઋતથી જ કલ્યાણ થાય છે. ક્ષપકશ્રેણી માંડનારને શ્રુતજ્ઞાન હોય, હોય ને હોય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy