SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સાચો વારસો શ્રુતજ્ઞાન ૧૩૯ ખરી? ભૌતિક સાધનોના ગુલામ થઈ ગયા છો. જીવનને વિકૃત કરી નાંખ્યું છે. આજે માનવે શાંતિ - સમાધિ ને પ્રસન્નતા ગુમાવી છે તેથી મનુષ્યભવ બગડ્યો છે. ગાંધીજી દેશને સ્વતંત્ર બનાવવા ઇચ્છતા હતાં. ત્યારે તેમની કલ્પના કેવી છે તે જુઓ. તેઓ કહે છે કે હું તે સ્વતંત્ર ભારતની કલ્પના કરું છું કે જે ભારત હજારો ગામડામાં વહેંચાયેલું હોય અને જે ભારતમાં તાર ન હોય, ટપાલ ન હોય, ટેલીફોન ન હોય, ટ્રેઈન ન હોય, માનવ પોતાની જરૂરીયાતની ચીજો સ્વતંત્ર રીતે ઉત્પન કરતો હોય. સ્વાશ્રયી માનવ હોય, ખેતી દ્વારા જીવન જીવાતું હોય, વસ્ત્રો જાતે બનાવાતા હોય વિગેરે. આવા સ્વતંત્ર ભારતની હું કલ્પના કરું છું. આ તમારા ગાંધીજીએ જરાય ગુલામી વગરના ભારતની કલ્પના કરેલી. એ સુખ કેવું હશે? એ બધામાં તમને સુખ જોતાં આવડે છે ? આ ફોન - બોન તમને ત્રાસ રૂપે નથી લાગતાં ? ઘરે આવ્યા પછી પણ શાંતિથી જીવવા ન દે !! ફોન આવ્યા જ કરે, આવ્યા જ કરે આ બધાથી કંટાળો આવે છે ? સુખ છે, સ્વરૂપ સાથેના attachment માં દુઃખ છે, પદાર્થો સાથેના attachment માં તમે સામાયિક – પૂજા બધું કરો છો પણ attachment ને તોડી શકતા નથી. તો ઘર્મ કેવી રીતે કહેવાય ? વંકચૂલને એના જીવનમાં એકેક અભિગ્રહ કામ કરી ગયા છે. તે પોતે લૂંટારો હતો. બધી વાતે પૂર્ણ હતો. તેણે એક પ્રસંગે ગુરૂ પાસે ચાર નિયમો લીધાં (૧) અજાણ્ય ફળ ન ખાવું (૨) કોઈને પણ ઘા મારતાં પહેલાં સાત ડગલા પાછા હટીને પછી મારવું (૩) રાજાની રાણી સાથે દુરાચાર સેવવો નહીં (૪) અને કાગડાનું માંસ ખાવું નહીં. તેના જીવનમાં ચારે નિયમોનું તેણે પાલન કર્યું. તે બધી કસોટીમાંથી પસાર થયો. સાત્ત્વિકતાથી પાલન કરી, ચોર પણ બારમા દેવલોકે મરીને જાય છે. આ રીતે દ્રવ્યથી અભિગ્રહ પાલન યોગબીજ છે. ખુદ મહાવીર પરમાત્માને પણ અભિગ્રહ કરવાં પડ્યા છે. પાંચ માસને પચ્ચીશ દિવસે અભિગ્રહ પૂર્ણ થાય છે. પરમાત્માને અભિગ્રહની શી જરૂર? શું કામ અનાર્યદેશમાં ગયા? જયારે કર્મોની બળવત્તા હોય ત્યારે પુરુષાર્થ કરવો પડે છે. મન મજબૂત કરવું પડે. સહેલાઈથી મન દઢ ન થાય તેણે અભિગ્રહ કરવા જોઈએ. કર્મ સામે ઝઝૂમવાનું છે. બળવાન કર્મની સામે ઝઝૂમવા પરમાત્માને પણ અભિગ્રહ કરવા પડ્યા છે. તો આપણે અભિગ્રહની જરૂર નહીં ? અભિગ્રહના પાલનથી સત્ત્વ ઘણું ખીલે છે. સત્ત્વને ખીલવવા આપણે પણ અભિગ્રહની ઘણી જરૂર છે. અભિગ્રહ ઘણી રીતે લઈ શકાય છે. જેમ કે સવારનું પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું, સાંજનું પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું. કાઉસગ્ગ ઊભા ઊભા કરવો. વિગેરે. અભિગ્રહથી સાત્વિક પ્રકૃતિ ખીલે છે. સાચો વારસો શ્રુતજ્ઞાન આ પહેલી દ્રષ્ટિમાં રહેલો યોગી ઘર્મશાસ્ત્રોની ઉપાસના કરે છે. તે પાંચમું યોગબીજ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy