SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ છે. આત્મા એમનું શરણું ન લે, અરિહંતાદિમય ન બને ત્યાં સુધી ભાવ અભિગ્રહ ન આવે. ભાવધર્મની પ્રાપ્તિ ગ્રન્થિભેદ પછી છે. અભિગ્રહ ભાવથી કયારે બને ? જયારે ઉપયોગ તન્મય બને. મહાત્મામય બને. અર્થાત્ ગૃહવાસ ત્રાસરૂપ લાગે, વિડંબનામય લાગ્યા કરે. અભિગ્રહનું ઉત્કૃષ્ટ પાલન કરે, કડક પાલન કરે. પણ જો ગ્ર િપડી છે તો તે તેનો ભાગ ભજવે છે. ગ્રન્વિનું કાર્ય એ જ કે દ્રવ્યથી ક્રિયા કરાવે. પણ તે ક્રિયામાં ભાવને ન આવવા દેવાનું કામ ગ્રન્વિનું છે. ગૃહવાસમાં રહીને ગ્રન્થિભેદ કરવો તેના કરતાં ગૃહવાસ છોડીને ગ્રન્થિભેદ કરવો સહેલો છે. રાગના નિમિત્તોમાં રહીને રાગને ખતમ કરવો તેના કરતાં રાગના નિમિત્તોને છોડીને રાગ છોડવો સહેલો છે. અહીં મહાત્માની સેવા કરે છે. ગમે છે. છતાં દ્રવ્યથી છે. કેમ? મહાત્મા ગમે છે. પણ તેના કરતાં પહેલી દૃષ્ટિમાં કુટુંબ- પરિવાર વિગેરે વધારે ગમે છે. મતિજ્ઞાનના ઉપયોગમાં તાણાવાણાની જેમ વણાયેલો જે રાગ-દ્વેષનો જટિલ પરિણામ તે ગ્રન્ચિ છે. તેથી જે ક્રિયા કરે તેમાં રાગ ચઢી બેસે છે. જેટલા અંશમાં મિથ્યાત્વનો પાવર, અનંતાનુબંધીનો પાવર ઘટે તેટલા અંશમાં દેવ ગુરુ ગમવા લાગે છે. દેવ-ગુરુ ગમ્યા એટલે ભકિત કરે છે, પણ ગ્રન્થિ ભેદાઈ નથી- એટલે દેહ અને ઇન્દ્રિય સાથે હજી અભેદતા છે. દેહ ઇન્દ્રિયો સાથે જે અભેદ પરિણામ છે, રાગ ભળેલો છે એ ગ્રન્થિનું કાર્ય છે. ગ્રન્થિભેદ થાય પછી આત્મા ગમે છે. પરમાત્મા ગમે છે, મહાત્મા ગમે છે. આ બધું જયાં સુધી તીવ્ર ન બને ત્યાં સુધી અભિગ્રહ દ્રવ્યથી હોય છે. ભલે દ્રવ્યથી અભિગ્રહ હોય પણ શું કામ કરે છે? અંદરમાં પડેલી રાગાદિ પરિણતિને તોડે છે. આ વ્યાખ્યાન શ્રવણ પણ દ્રવ્યથી છે. એની જેમ જેમ રુચિ પેદા થાય તેમ તેમ રાગાદિ તૂટશે. ગ્રસ્થિભેદ થાય કે ન થાય એ વાત પછીની છે. પણ આ ગ્રન્થિભેદ કરવા માટે ઝઝૂમશો તે વાત પણ મોટી છે. એ માટેનો પ્રયત્ન કેટલો છે ? ગ્રન્થિભેદ થયા પહેલા પરોપકારની મોટી મોટી વાતો કરવા કરતાં, પહેલાં સ્વોપકાર કરી લેવા જેવો છે. ગ્રન્થિભેદ કરવો એ સ્વોપકાર છે પછી પરોપકાર કરવાથી મનુષ્યભવ સફળ બને છે. સિદ્ધિ પછી વિનિમય કરવો જરૂરી છે. ગ્રન્થિભેદ માટે તારક તત્ત્વોનું સનિધાન અતિ જરૂરી છે. ગુરૂનું સન્નિધાન જરૂરી છે. - વર્તમાન સંસારની દુર્દશા આગઝાળ જેવા સંસારમાં જીવમાત્ર શેકાઇને બળી રહ્યા છે. બંગલા ને ફર્નીચરો ભલે લાખોના ને કરોડોના હોય પણ ત્યાં વિષય - કષાયની બદબૂ સિવાય કશું જ નથી. તમને ઉપાશ્રયમાં આવીને શાંતિ થાય છે. અને તમારા ઘરમાં આવીને, જોઇને અમારો વૈરાગ્ય મજબૂત બને છે કે આ બિચારાઓ પાર વિનાની મજૂરી કરે છે. કયાંય શાંતિ નથી. એમની શાંતિ કયાંય ચાલી ગઈ છે. આજે વેપારમાં શાંતિ નથી. ઘરમાં પણ શાંતિ નથી. ઘરે આવ્યા પછી ધંધાની જરૂર ખરી ? ફોનની જરૂર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy