SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દોષ ઘટે છે, જીવના ગુણ વધે છે, જીવનો બોધ વિકસે છે. આઠ દૃષ્ટિઓના ક્રમિક ઉત્થાન દરમ્યાન ક્રમશ: આ ત્રણેય વાતનો સુમેળ જોવા મળે છે. દરેક દૃષ્ટિમાં વિવલિતદોષરકાસ, ગુણપ્રકાશ અને બોધવિકાસની વાત છે. આ જોતા હૈયું આદર, બહુમાન અને અહોઅહોના ભાવ સાથે ઝુમી ઊઠે છે. શાસ્ત્રકાર પરમર્ષિઓ માટે સુપર સાયકોલોજિસ્ટ જેવા શબ્દો પણ વામણા લાગે છે. આવા ગ્રન્થો એ કોઈ માત્ર શબ્દોનો સરવાળો નથી. પણ, જ જીવને ભૂલી જડમાં ભળી નીચે ઉતરી જતા આતમને કંઈક ઉધ્વરોહણ કરવા પ્રેરતી સોપાનપંક્તિ છે. પ્રમાદની પથારીમાં પોઢી ગયેલી ચેતનાને ઢંઢોળતો અનાહતનાદ છે. ગાય ભવજંગલમાં અટવાતા પથિકને નિર્ભય બનાવતી સમજણનું સાંનિધ્ય અર્પતો ભોમિયો છે. અલગ શબ્દોમાં કહું તો કોઈ સાધક આત્માની ઉત્થાનયાત્રાના ક્રમિક પડાવોનું જેમાં હુબહુ બયાન અપાયું છે એ જ “યોગદૃષ્ટિ સમુચ્ચય' છે. - જેના પદ-પદમાંથી યોગની સૌરભ પ્રસરતી હોય, જેની પંક્તિ - પંક્તિમાંથી કંઈક નવા જ પદાર્થનું અમૃતબિંદુ ટપકતું હોય, - જેના શ્લોક-શ્લોકમાંથી પદ લાલિત્ય અને અર્થશાશ્મીર્યનો નુપૂરઝણકાર રણકતો હોય એવા આ ગ્રન્થરાજને મનના હસ્તિરાજ પર બેસાડીને સતત તેનું સામૈયું કરતા રહેવાનું મન થાય. યોગનિષ્ઠ પૂ. મુનિરાજ (હવે પંન્યાસજી) શ્રી મુક્તિદર્શનવિજયજી મ. એ વિ.સં. ૨૦૫રના ચાતુર્માસ દરમ્યાન રાજનગરના જૈનનગરમાં યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થ ઉપર તાત્ત્વિક પ્રવચનો કરીને ત્યાંના શ્રોતાવર્ગને યોગસરોવરના હંસલા બનાવી દીધા હતા. (તે પ્રવચનોની પ્રશસ્તિની પરિમલ છેક સાબરમતીમાં રહેલા મેં તે વેળાએ માણી હતી પણ તે વેળાએ એવો કોઈ વિકલ્પ પણ ઉઠયો નહોતો કે તે પ્રવચનોના પ્રમેયરત્નો પુસ્તકસ્થ થશે અને તેની પ્રસ્તાવના લખવાનું સૌભાગ્ય મને સાંપડશે) અંતર્મુખ અને આત્માનંદી અવધૂતની યાદ અપાવે તેવા આ મહાત્મા પ્રસ્તુત વિષયના ઠોસ અભ્યાસી હોવાથી વિષયવિવેચનામાં સારું ખેડાણ અને ઊંડાણ લાવવા સમર્થ છે. તે વાત પુસ્તકના વાંચનથી સ્પષ્ટ થાય છે. પુસ્તકના પાને પાને આત્મલક્ષિતાની સાયરન વાગે છે સાથે ખૂબી તો એ છે કે યોગ, અધ્યાત્મ અને નિશ્ચયની વાતો કરતા ગ્રન્થ ઉપર વિવેચન કરતી વેળાએ વ્યવહારમાર્ગનું પણ સુંદર સંતુલન જળવાયેલું જોવા મળે છે. બાકી આજકાલ એક દુ:ખદ અચરજ ઘણું જોવા મળે છે. લોકો દેરાસર અને ઉપાશ્રયોથી દૂર જઈને ઈશ્વરની નિકટ આવવા મથે છે. આ વાત બહુ કઠે છે કારણ કે શાસનનો અવિરત Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy