SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ બધી જ કારણસામગ્રી ભેગી થાય ત્યારે આતમની ભોમકા પર એક તહલકો મચે છે. અપુનબંધક અવસ્થાથી માંડીને પાંગરેલી આત્મલક્ષિતાની વેલડી પછી વિકસે છે અને પછી તો તે જ બધું થાય છે જેના માટે આપણે તલસીયે છીએ. આત્મવાદિતાના જાતિવંત બીજને સત્સંગ, સલ્ઝવણ અને સદ્ધોધના ખાતર-પાણી મળતા જ આત્મલક્ષિતાનો અંકુરો ફૂટે છે પછી તેજ આત્માનુભવની અમૃતવેલ બને છે. આમાં આપણી કક્ષા મુજબ બીજારોપણ તો થયા જ છે. કદાચ ખાતર-પાણીની થોડી ઉણપ હશે તો યોગ અને અધ્યાત્મના ગ્રન્થો તેના નિવારણ માટે જ તો છે. “યોગદષ્ટિ સમુચ્ચય” ગ્રન્થ એટલે આત્માના ક્રમિક વિકાસની સોપાનશ્રેણી છે. બહારની દુનિયાના તમામ રાષ્ટ્રો આજે ત્રણ કક્ષામાં વિભાજિત કરાયેલા છે. અવિકસિત, વિકાસશીલ અને વિકસિત . ભૌતિક સમૃદ્ધિ અને “સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગના આધારે જ જ્યારે આવું વિભાજન થતું હોય ત્યારે વિકસિતતાની ઇમારતના પાયામાં દટાયેલા સ્વાર્થલંપટતા, દગાબાજી અને શોષણખોરીની ડાયનામાઇટ તરફ કોનું ધ્યાન જઈ શકે? સિવાય સમજણના સ્વામિનું ! અને માટે જ તો વિશિષ્ટ અને સંપૂર્ણ જ્ઞાનીઓના શાસનના લેખા - જોખા કંઈક અનોખા છે. અહીં શ્રીમંતાઈના આધારે વર્ગીકરણ થતું નથી. માત્ર સત્તા - સામ્રાજ્યની અપેક્ષાએ વર્ગીકરણ થતું નથી. કેવળ, બલાબલની તુલના થકી વર્ગીકરણ થતું નથી. લોકોત્તરદૃષ્ટિની આ બલિહારી છે કે અહીં આતમના ગુણાત્મક આયામને અનુસરીને વર્ગીકરણ કરાયું છે. પ્રભુ શાસનમાં જીવોનું પૃથક્કરણ બે રીતે થઈ શકે. ગુણસ્થાનકના આધારે અને યોગની દૃષ્ટિના આધારે (આમ જુઓ તો બધું સરખું જ છે છતા વિવક્ષા પણ એક બળવાન તત્ત્વ છે.) વિશ્વની જીવસૃષ્ટિમાં પ્રગટ-અપ્રગટ સ્વરૂપે કેટલીક વૃત્તિઓ રહી હોય છે, જેમકે - મારું દુઃખ ઘટે, મારું સુખ વધે, મારી શક્તિ વિકસે.... યોગની આઠ દૃષ્ટિઓના પગથીયા પર વર્ધમાનક્રમે આવી જ કોઈ વાત જણાય છે. દુ:ખ દોષોને કારણે છે, સુખ ગુણોને આભારી છે અને શક્તિ સમજણના ખીલે બંધાયેલી રહે તો જ કામની છે. પ્રભુશાસનની આવી અલૌકિક દૃષ્ટિના પ્રતાપે ઉક્ત ત્રણેય વૃત્તિઓના કંઈક ઉધ્ધકરણ પૂર્વકના દર્શન જીવોમાં હોવાની વાતનો અણસાર યોગદૃષ્ટિસમુચ્ચયમાંથી મળે છે. જેમ જેમ દૃષ્ટિની ઉત્ક્રાન્તિ થતી જાય તેમ તેમ જીવના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy