SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં -- ભાગ-૨ વિકલ્પ કરી કરીને અશુભ કર્મનો બંધ કોણ કરે ? સંસારનાં પદાર્થ ઉપર ક્યારેય રાગ કરવો યોગ્ય નથી. ૧૩ દ્રવ્યદષ્ટિ અને પર્યાચદષ્ટિ સિદ્ધોને રાગ- દ્વેષ નથી થતાં. તેઓ પદાર્થના મૂળ સ્વરૂપને જુએ છે. સિદ્ધો આપણને સિદ્ધસ્વરૂપે જુએ છે. સર્વ જીવોને સિદ્ધ સ્વરૂપે જૂએ છે અને સિદ્ધો બીજા પુદ્ગલ-પદાર્થોને પરમાણુના ઢગલા રૂપે જૂએ છે. એમ તમે પણ બધા જીવોને સિદ્ધ સ્વરૂપે જૂઓ અને પદાર્થોને ૫૨માણુનાં ઢગલા રૂપે જૂઓ તો કદી રાગ થાય ? ન થાય. પરમાણુના સ્કંધો જ છે. તેના આકારાદિ ન જૂઓ. તેના રૂપાદિને ન જૂઓ. પણ બધા જ પદાર્થોને પરમાણુના ઢગલા રૂપે જોયા કરો. ચિત્તમાં પરમાણુના ઢગલા રૂપે લાવ્યા કરો. તો તમને પણ રાગ થાય ? ન જ થાય. સિદ્ધો પદાર્થને મૂળ સ્વરૂપે જુએ છે. મૂળ સ્વરૂપમાં રાગ ન થાય. બીજા વિકલ્પો લાવો છો માટે રાગ થાય છે. સિદ્ધોને રાગ નથી. સિદ્ધો આપણને કર્મથી વીંટળાયેલા હોવા છતાં અઢાર પાપસ્થાનોથી ખરડાયેલા જોવા છતાં એ પરિણતિની ઉપેક્ષા કરે છે. મૂળમાં આત્મા અનંત શક્તિનો ભંડાર છે. મૂળને જૂઓ. પર્યાયદૃષ્ટિ બંધ કરો. શાની આપણને પર્યાયÊષ્ટિ જોવાનું બંધ કરવાનું કહે છે. સંસાર આખો પર્યાયદૃષ્ટિ ઉપર ચાલે છે. પદાર્થની વર્તમાન અવસ્થા સારી-ખોટી હોઈ શકે છે એ પર્યાયāષ્ટિ છે. પણ આપણને પર્યાય જોતાં નથી આવડતાં માટે જોવાની ના છે. પર્યાય જોતાં આવડ્યો ત્યારે કહેવાય કે એ પર્યાય જેમાંથી નીકળ્યો તે દ્રવ્યને જોતાં શીખો. એ પર્યાય જે દ્રવ્યનો છે તે દ્રવ્યોને જોવા માટે આપણો ઉપયોગ પ્રવર્તતો નથી. જેમકે, સોનાના હાર, મુગુટ, કડું છે તેમાં સોનું દેખાય કે હાર, મુગુટ દેખાય ? હાર, મુગુટ, કડું દેખાય તે પર્યાયદૃષ્ટિ છે. અને બધામાં સોનું દેખાય તે દ્રવ્યદૃષ્ટિ છે. તમે બધાને અહીથી ઘરે જતાં બધાના બંગલા દેખાય છે કે આ માટીનો ઢગલો છે, ઈંટોનો ઢગલો છે, પરમાણુનો ઢગલો છે, એમ જૂઓ છો ? જોતાં શીખો તો રાગ-દ્વેષથી બચી શકાય છે. આખરે દૃષ્ટિ જ કેળવવાની છે, દૃષ્ટિને જ સુધારવાની છે. દૃષ્ટિ બગડી છે, દૃષ્ટિનો બગાડો એનું નામ સંસાર. દૃષ્ટિ બગડી છે તે પુણ્યના ઉદયે સુખ સંપત્તિમાં ય સુખ ન અનુભવે. આંતરિક તત્ત્વ બગડેલું હોય, દૃષ્ટિ બગડેલી હોય તો બાહ્ય પદાર્થમાં પણ સુખ ન અનુભવી શકે. જૂઓ મમ્મણ, રાજા શ્રેણિક ક૨તાં અધિક સંપત્તિ મળેલી, પણ સુખ ભોગવી શકયો નથી. મમ્મણની આંતરિક દૃષ્ટિ બગડેલી છે. અધિક સંપત્તિ પણ સુખ આપી શકે નહીં. જેની દૃષ્ટિ જેટલા અંશમાં સ્વચ્છ નિર્મળ તેટલા અંશમાં બાહ્યથી પણ સુખ અનુભવી શકે છે. દૃષ્ટિનો બગાડો એ અધર્મ, દૃષ્ટિનો સુધારો એ ધર્મ અને દૃષ્ટિમાંથી સંપૂર્ણ બગાડનો નિકાલ એ દૃષ્ટિની પૂર્ણતા, એ કેવળજ્ઞાન. દૃષ્ટિનો બગાડો એટલે આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં મિથ્યાત્વનો તીવ્ર રસ, કષાયનો તીવ્ર રસ, એટલે કે ત્રિસ્થાનક રસ, ચતુઃસ્થાનક રસનો ઉદય થાય ત્યારે Jain Education International 2010_05 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy