SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ પુગલના રૂપાદિ સતત ફર્યા જ કરે છે. મથુરામાં વાસવદત્તા નર્તકી છે. ખુબ રૂપસંપન્ન છે. લાવણ્ય સુંદર છે. તેને માટે શેઠીયાઓ, રાજાઓ પણ આવે છે. તેના સુખ માટે લાઈનમાં ઉભું રહેવું પડે તેવી આ નર્તકી છે. આવી રૂપવતી કોઈનામાં પણ ન ફસાય, તે એક વખત ઉપગુપ્ત નામના રૂપવાન બૌદ્ધ ભિક્ષુકને જોઈને આકર્ષાઈ છે. ભિક્ષુકના રૂપમાં તે પાગલ બની, અને એની પાસે ભોગની પ્રાર્થના કરે છે. આ ઉપગુપ્તનો આત્મા પૂર્ણ વૈરાગી છે. તેના લોહીમાં, અણુએ અણુમાં વૈરાગ્ય છે. પ્રદેશ પ્રદેશે વૈરાગ્ય છે. તે કહે છે અવસરે આવીશ અત્યારે તો નહીં જ. આ સાંભળીને વાસવદત્તાનો પિત્તો ફાટ્યો. કંઈ સમજે છે કે નહીં, તારામાં અક્કલ છે કે નહીં? લોકો સામે ચાલીને માંગણી કરે છે. આજે હું સામેથી તને કહું છું તો તું ના કહે છે ? સમજે છે શું તારા મનમાં ? ભિક્ષુક કહે છે - વખત આવશે ત્યારે તારો ને મારો મેળાપ થશે. એ તો ગયો. કેલેન્ડરનું એકેક પાનું ઉતરતું જાય. તેની સ્થિતિ કેવી થાય? અને છેલ્લું પાનું આવે ત્યારે કેલેન્ડરની કેવી સ્થિતિ આવીને ઉભી રહે? રૂ૫, લાવણ્ય, કાંતિ પુણ્યના ઉદયે મળનારી ચીજ છે. અને રહેનારી ચીજ છે. પુણ્ય એ દગાખોર છે. એનો ભરોસો રખાય નહીં, એ વિશ્વાસઘાતી છે. પુણ્યના ભરોસે રહીને આત્મપુરૂષાર્થની ઉજજવલ તક ગુમાવવી એ કોઈ બુદ્ધિમત્તા નથી. પુણ્ય આ જ સુધીમાં કોને દગો નથી આપ્યો ? જગતમાં કયો પુણયનો ઉદય એવો છે કે જે શાશ્વત કાળ સુધી ટક્યો હોય? બધાના સૂર્ય એક દિવસ અસ્ત થયા છે. રૂપ, લાવણ્ય, સત્તા, સંપત્તિ બધું જ એક દિવસ અસ્ત થયું છે. આપણા ધર્મ પુરૂષાર્થની ખામી છે. મળેલી સામગ્રી, મળેલા સંયોગો ગમે ત્યારે બેવફા બને છે. એની ઊંડે ઊંડે શ્રદ્ધા થઈ નથી. જેને એવી શ્રદ્ધા થઈ છે તે કાચી સેકંડે છોડીને ભાગ્યા છે. ચારિત્રનો પુરૂષાર્થ કેમ ન કરવો? જેમાં એકાંતે હિત છે. પુરૂષાર્થ ફકત સંસારના પદાર્થો પાછળ છે. જો કે પુરૂષાર્થ અને ક્ષેત્રે છે. પણ લાભ-નુકસાન જોવા જેવા છે. ચારિત્રમાં એકાંતે લાભ છે જ્યારે સંસારમાં નુકસાન છે. આ બાજું વાસવદત્તાના શરીરમાં રોગાદિ પ્રવેશ કરે છે. વળી વૃદ્ધાવસ્થામાં તેના લોહીમાંસ સુકાય છે પછી દેહનું આકર્ષણ રહેતું નથી. તેના તરફ બધાને ધૃણા થાય છે. તે વખતે તે જીવને આર્તધ્યાન થાય છે. દુર્ધાન થાય છે. જેના પર મદાર બાંધ્યો હોય તે દગાખોર નીકળે તો દુર્બાન કોને ન થાય? વાસવદત્તાને રકતપિત્તનો રોગ થયો. પાચ-પર-અશુચિ એટલી નીકળે છે કે તેની સીમા નથી. જે બધા વાસવદત્તાની પાછળ પડ્યા હતાં, જે બધા વાસવદત્તાની પગચંપી કરતાં હતાં, જે બધા ભોગ માટે કાકલુદી કરતાં હતાં, તે કોઈ હવે તેની પાસે આવતા નથી. પુણ્યનો ઉદય ગયો, ભયંકર પાપનો ઉદય આવ્યો. કોઈ મથુરામાં રાખવા તૈયાર નથી. ગામની બહાર નગરની ગટરમાં ખેંચાઈને આવેલા અનાજના દાણાઓ ગોતી-ગોતીને ખાય છે. પુણ્યના ઉદયકાળમાં આ સંસાર સોહામણો દેખાય છે. (લાગે છે, તેના કરતાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy