SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારના બધા સુખ દુઃખના પ્રતિકારરૂપ છે ૧૩૩ વધવું જોઈએ. અચ્છા, સુખ ન વધે તો કાંઈ નહિ પણ તેટલું ને તેટલું સુખ તો રહેવું જોઈએ ને ? પણ પદાર્થનો સ્વભાવ એવો નથી. સંસારનું સુખ, દુઃખ પ્રતિકારરૂપ હોવાથી જેમ દુઃખ ઓછું થાય છે તેમ સુખનો અનુભવ પણ ઘટતો જાય છે. જેમકે અતિભૂખમાં દૂધપાકના પહેલા કટોરે જે હાશ ! અને જે સુખ થાય છે, તેનાથી બીજા કટોરે ઓછું સુખ, ત્રીજા કટોરે તેનાથી ઓછું એમ ઘટતા ઘટતાં પેટ ભરાઈ જતાં પછી પણ દૂધપાક પાવામાં આવે તો ઉલ્ટી (વોમીટ) થઈ જાય છે. એટલે તેને દુઃખ થાય છે. આ રીતે પુગલો, પદાર્થો સુખ આપી શકતાં નથી. યોગીઓ તો પદાર્થો વિના, પુગલના સહારા વિના પણ જીવી શકે છે. ઘણા યોગીઓ આજે પણ ધ્યાન, સમાધિમાં મહિનાઓ સુધી રહી શકે છે. ખાધા-પીધા વિના ઊંડાણમાં જઈને રહે છે. વાતો-ચીતો વિના મહિનાઓ સુધી રહે છે. જ્યારે આત્મા સ્વરૂપમાં જાય છે ત્યારે દેહની આસકિતથી છૂટો પડે છે. અંદરમાં તો આનંદ-આનંદ જ પડેલો છે .દેહનો સંયોગ વળગેલો છે તેથી શરીરના ઘર્મો બજાવવા પડે છે. જેણે અંદરમાં ડૂબકી મારી તેને સુખ વઘવાનું જ છે. દુઃખ ઘટવાનું જ છે. જ્ઞાનીઓ ત્રણે યોગની સ્થિરતામાં સુખ કહે છે અને ત્રણે યોગની અસ્થિરતામાં દુઃખ કહે છે. આપણે ત્રણે યોગની અનુકૂળતામાં સુખ માન્યું છે અને ત્રણે યોગની પ્રતિકૂળતામાં દુઃખ માન્યું છે. જેટલું મન શાંત બને, વચનથી જેટલા મૌન બનો, કાયાથી હલન-ચલન બંધ કરો તો સુખ છે. આપણા ને જ્ઞાનીના સમીકરણો જુદા છે. નાનો બાળક વિષ્ટામાં હાથ નાંખે છે. વિષ્ટાને મળે છે. ચૂંથે છે. સર્પનો સ્પર્શ ગમે છે, સર્પ કાબર ચીતરો ગમે છે. પણ મોટો થાય પછી તે ક્રિયા છોડે છે, જુગુપ્સા ઉભી થાય છે. એની સામે નજર પણ કરતો નથી. કારણ શું ? વિષ્ટાનું ભયાનક સ્વરૂપ હવે તેની બુદ્ધિમાં ઉપસ્થિત થયું છે. તેથી છૂટી ગયું છે. પદાર્થનું જેવું સ્વરૂપ છે, તે સમજાઈ જાય તો તેનું આકર્ષણ નીકળી જાય છે. સંસારના પદાર્થને ઓળખવામાં આપણો ક્ષયોપશમ બાળક જેવો છે. માટે આકર્ષણ થાય છે. અહીંથી ઘરે જશો તો બંગલા-ગાડી જોતાં આકર્ષણ થાય છે ? આપણે, જ્ઞાનીએ કહ્યું તેવું વાસ્તવિક પદાર્થ-સ્વરૂપ જોતાં નથી. સ્ત્રી એ રાખની ઢગલી દેખાય છે ? સ્ત્રી એ વિષ્ટાનો કુંડ દેખાય છે ? સ્ત્રી અશુચિનું ગાડું દેખાય છે ? અપૂર્ણ દર્શને હંમેશા રાગ થાય છે, અને પૂર્ણ દર્શને વિરાગ થાય છે. સંસારનો કોઈ પદાર્થ એવો નથી કે જેનું પૂર્ણ સ્વરૂપે દર્શન કરતાં આવડે તો વિરાગ ન થાય! વિરાગ થયા વિના રહે જ નહીં. સૈકાલિક પર્યાય જોતાં આવડતાં નથી. સૈકાલિક પર્યાયના દર્શન કરતાં શીખો. જેના પ્રત્યે રાગ છે તેની પૂર્વ અવસ્થામાં એટલે ગર્ભ અવસ્થા વિચારો. તેની પછીની અંતિમ-મૃત્યુ અવસ્થા વિચારો તો રાગ નીકળ્યા વિના રહે નહીં. આપણે ફક્ત વર્તમાન પર્યાયને જ જોઈ રહ્યા છીએ માટે રાગ થાય છે. Jain Education International 2010 05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy