SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ દાણો ન મળે. પીવા માટે પાણીનું ટીપું ય ન મળે અને અશાતા વેદનીય કર્મના ઉદયે પુદ્ગલો વિપરીત પરિણામ પામે છે ત્યારે દુઃખ ખૂબ વધી જાય છે. ત્યારે ત્યાં રહેલા તે નારકીના જીવને દુઃખ થાય છે કે મેં કયાં આ ભૂલ કરી? મેં શું કામ ખાવાની ભૂલ કરી ? ફરી પાછી ખાવા-પીવાની ઈચ્છા થાય. ફરી પાછા વિપરીત યુગલો પરિણમે, ફરી ખાવાની ઈચ્છા અને વિપરીત યુગલો પ્રવેશતાં દુઃખ થાય છે. આખો સંસાર ઈચ્છા ઉપર ચાલે છે. અને મોક્ષ પણ ઇચ્છા ઉપર મળે છે. ઈચ્છા દ્વારા જ સંસારનો અંત લાવવાનો છે. ખોટી ઈચ્છા દૂર કરતાં જઇએ, અને સમ્યમ્ ઇચ્છા વધારતાં જઈએ, સમ્યમ્ ઇચ્છાનાં બળથી આત્માનો વિકાસ છે. પુણયના ઉદયે જેની ઈચ્છા-ઝખના કરી તે પદાર્થ મળી ગયો તે ઈચ્છાઓ પૂર્ણ થઈ તો શું ખરેખર સુખ થઈ ગયું ? આપણે મૂઢ છીએ, ગમાર છીએ, નિર્વિચારક છીએ માટે એ પદાર્થોમાં સુખ લાગે છે. જેમાં સુખ આપણને લાગે છે, જ્ઞાનીઓએ એમાં જ દુઃખના ડુંગરો જોયા છે. જ્ઞાનીને ચૌદ રાજલોકમાં ક્યાંય સુખનું બિંદુ, સુખની છાયા દેખાઈ નથી. અને આપણને સુખના ઢગલા દેખાય છે. તે આપણી મૂઢતા છે. પદાર્થ મળતાં, ભોગવટો કર્યો તેમાં જે સુખ મળ્યું તે વાસ્તવિક સુખની અનુભૂતિ છે કે બીજું કંઈ છે ? સંસારના બધા સુખો દુઃખના પ્રતિકારરૂપ છે પહેલા ઈચ્છા, ઝંખના દ્વારા ઘણું દુઃખ કર્યું છે, તે ઈચ્છા શમી તેનું નામ સુખ છે. જ્યારે ઈચ્છાઓ થઈ, જ્યારે દુઃખ થયું તે વખતે પુદ્ગલો વિષમ થયાં. સાત ધાતુઓ વિષમ બની હતી. તેમાં ખોરાકાદિના પુગલો મળતાં તે ધાતુઓ સમ બની છે. એમાં જીવે સુખ માન્યું. હકીકતમાં વિષમતા પુગલમાં હતી. પુદ્ગલની વિષમતાને જીવે દુઃખ માન્યું. લોહાગ્નિ ન્યાયે જીવ અને પુદ્ગલ સાથે સંકળાયેલા છે. વિષમ પુદ્ગલો સમ બન્યાં એટલે જીવે એમાં સુખનો આરોપ કર્યો છે. પણ આરોપ તે સાચું સુખ નથી. કારણ કે અહી પદાર્થ ભોગવવાની આતુરતા, ઔત્સુક્ય, આવેશ અને ચિંતા હોય છે. વળી આ પદાર્થો ચાલ્યા ન જાય તેનો સતત ભય હોય છે. આમ અનંતાનુબંધી કષાયના ભાવો હોવાથી સતત અસ્થિરતા અને ચંચળતાનો અનુભવ થાય છે. આવા આરોપિત સુખને સાચું સુખ માનવું એ જીવની ભ્રમણા છે. સાચું સુખ આત્મ-ગુણોના વિકાસમાં જ હોય છે. માટે જ જ્ઞાનીઓ સંસારના સુખને દુ:ખના પ્રતિકારરૂપ કહે છે. પહેલાં જીવે જે દુઃખ ઊભું કર્યું છે તે ઘટતું જાય છે તેને સુખ માન્યું છે. ભૂખનું દુઃખ જેટલું વધારે તેટલું ભોજનમાં સુખ લાગે છે. તૃષાનું દુઃખ જેટલું વધારે તેને પાણી પીવામાં સુખ હોય છે. દૂધપાકના પહેલા કટોરે (ઘૂંટડે) જે સુખ-આનંદ છે, તે બીજા કટોરે, ત્રીજા કટોરે, એમ સુખ વધે કે ઘટે? ઘટે છે. કેમ ? જો દૂધપાકમાં સુખ હોય તો સુખ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy