SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર સુખનું સ્વરૂપ ૧૩૧ છે. કોઈ સુખી નથી. સંસારનું સ્વરૂપ બુદ્ધિથી વિચારવાનું છે. જો બુદ્ધિથી ન વિચારે તો સંસારની અસારતા ન સમજાય. અને અસારતા ન સમજાય તો દષ્ટિ પ્રાપ્ત નહીં થાય. સંસારનું સુખ એ ખરેખર સુખ નથી. એ સુખ વિચિત્ર છે. કારણકે તે પહેલા ઇચ્છા પેદા કરે છે. ઇચ્છા કોને થાય? જે હંમેશા અતૃપ્ત હોય તેને ઇચ્છા થાય છે. દૂધપાકથી આકંઠ તૃપ્ત હો તો પછી દૂધપાક કોઇ આપે તો લેતા નથી. ઇચ્છા નથી. કારણ કે તૃપ્ત થઈ ગયા છો. આ તત્કાલ પૂરતી તૃપ્તિ છે. સદાને માટે ઇચ્છા ન થાય અને અતૃપ્તિ નીકળી જાય તેવું કદી સંસારમાં બનતું નથી. સંસારના પદાર્થો જ એવા છે કે જેને પામીને કોઈ કદાપી તૃપ્ત થયું નથી. જ્યાં સુધી ગુણોમાં શાંતિ, સુખ, સમાધિ, પ્રસન્નતા ન અનુભવાય એ આત્માને અનન્યગત્યા વિષયોથી જ તૃપ્ત થવું પડે છે. અને તે તૃપ્તિ મેળવવા પાર વિનાના દુઃખો સહન કરવા પડે છે. તૃપ્તિ બેથી અનુભવાય છે. સ્વગુણથી અને પરપદાર્થથી; આત્મા સ્વયં ચેતન છે, પર પદાર્થ જડ છે. જડથી તૃમિ કયાંથી થાય? આજે તમને અબજોપતિ થવાની ઇચ્છા થતી નથી, દેવલોકની દેવીની ઇચ્છા થતી નથી, વડા પ્રધાન થવાની ઈચ્છા થતી નથી, ચક્રવર્તી બનવાની ઇચ્છા થતી નથી. એનો અર્થ એ છે કે એની અતૃપ્તિ નીકળી ગઈ છે ? ના, ના, તો આવી ઈચ્છા કેમ થતી નથી? તો કહો અતૃપ્તિ તો પડેલી છે જ, પણ અત્યારે એ પદાર્થો મળે તેવી શક્યતા દેખાતી નથી. અત્યારે એ મળે તેવા સંજોગો નથી. ભીખારીને ઇચ્છા કેટલી? ખપ્પર, ચપ્પણીયું ભરાય એટલી જ છે, ખાવાનું પુરતું મળે તેટલી ઈચ્છા છે પણ મીલમાલિક બનવાની ઈચ્છા નથી, લાખોપતિ બનવાની ઈચ્છા નથી. એટલે એની તૃપ્તિ છે એવું નથી. જે ચીજો મળવાનો સંભવ છે તેની અતૃપ્તિ જીવનમાં દેખાય છે. અતૃપ્તિ એ કષાયનું અવ્યક્ત, અપ્રગટ, છૂપું સ્વરૂપ છે. પછી તેની ઈચ્છા થાય છે. ઈચ્છામાંથી ઝંખના થાય છે. તે પદાર્થ પકડવા-મેળવવા ઈચ્છા વેગ પકડે. ક્યારે મળે ? ક્યારે મળે ? એવી ઝંખના થાય છે. બોલો આ અતૃપ્તિ ઈચ્છા અને ઝંખનામાં સુખ છે કે દુઃખ ? સુખની અનુભૂતિ કે દુઃખની અનુભૂતિ ? દુઃખ છે, છતાં દુ:ખનો અનુભવ કેમ થતો નથી ? એક તો પુણયના ઉદયે જે ઈચ્છાઝંખના થાય છે તે પદાર્થ મળી જાય છે. માટે દુઃખનો અનુભવ નથી થતો અને બીજું ઈચ્છાનું દુઃખ શું છે તે જ ખબર નથી. પુણ્ય ન હોય અને તે પદાર્થ ન મળે તો તેને કેટલું દુઃખ થાય છે? વસ્તુના વિરહમાં જીવને માનસિક કેટલો સંકલેશ થાય છે. નારકીના જીવોને ખાવાની ઈચ્છા ખૂબ હોય છે. મેરૂપર્વત જેટલા અનાજના ઢગલા ખાઈ જાય, દુનિયાનું બધું જ અનાજ ખાઈ જાય, તેટલી ઈચ્છા હોય. તેને તૃષાની - તરસની પીડા કેટલી હોય છે કે પાણીથી ભરપૂર સમુદ્રના સમુદ્રો પી જાય તો ય તૃષા ન છીપે એટલી તૃષાની પીડા હોય છે. છતાં ત્યાં ખાવા માટે અન્નનો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy