SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ વેદનાનું દુઃખ પહેલી નારકીના પહેલા પાથડામાં હોય છે. મનુષ્યનું અસહ્યમાં અસહ્ય દુઃખ, ઉત્કૃષ્ટ વેદના તેને અનંતે ગુણાકાર કરો તેટલી વેદના નારકીમાં ઓછામાં ઓછી વેદના કહેવાય છે. જ્યાં હું અને તમે બધા જઈ આવ્યા છીએ. આમ ૧૦૦૦ ભારનું કાળચક્ર, તેનાં કરતાં અનંતગુણ વેદના નરકમાં છે, તો એની અપેક્ષાએ ચારિત્રના કષ્ટો વેઠવા શું ખોટા? તિર્યંચ યોનિનાં દુઃખો પણ કેવા ભયંકર છે ? પરાધીનતાના દુઃખ, ભૂખ-તરસની પીડા, છેદન-ભેદનના દુઃખ, કેટલી ક્રૂર હત્યાઓ થઈ રહી છે, ભાર વૈઢવાના, ઉપરથી માલિકના માર ખાવાના, ભટકી ભટકીને ભવ પૂરો કરવાનો છે. નારકીને દુઃખ ભોગવી ભોગવીને, આખી જિંદગી પરમાધામીના માર ખાઈ ખાઈને પૂરી કરવાની છે. છૂટવું હોય તો છૂટાય નહીં. મરવું હોય તો મારી ન શકાય. દેવભવમાં સુખોમાં પાગલ બનીને જિંદગી પસાર થાય છે. મનુષ્યભવ એક એવો છે જ્યાં વિવેક મળ્યો છે, વિવેકથી જીવન જીવવાનું શક્ય છે. તેમાં પણ આ જીવ ભૂલો પડે છે. બાલ્યકાળ ભૂંડ જેવો છે. વિષ્ટા-મળ -મૂત્રમાં આળોટીને પૂરો કરે છે. યૌવનકાળમાં અર્થ-કામની પાછળ પાગલ બને છે. સ્ત્રીલંપટ બનીને ગધેડાની જેમ પૂરો કરે છે. વૃદ્ધાવસ્થામાં ગળીયા બળદ જેવો નિષ્ક્રિય બનીને જીવન પૂરું કરે છે. આમ આ કિંમતી માનવભવ આ રીતે પૂરો કરે છે. પણ ધર્મ કરીને સફળ કરતાં નથી. ફરી પાછા નારકી આદિના ભવોના પરિભ્રમણમાં ચાલ્યા જાય છે. ઇન્દ્રિયોને પરાધીન બનીને અનેકવાર જીવ દુઃખ સહન કરવા તૈયાર છે પણ સ્વાધીન બનીને કષ્ટ સહન કરવા (સંયમ જીવન સ્વીકારવા) તૈયાર નથી. મૃત્યુ સમયે તો જીવને એકલા જ જવું પડે છે. ચક્રવર્તીને પણ સ્વજનાદિ કોઈ પરિવાર સાથે નથી ગયો. ત્રણખંડનો રાજા રાવણ પણ યુદ્ધ પછી મૃત્યુની પથારીમાં એકલા જ પોઢ્યા છે. સંસારને ક્યાં તો રાજીનામું આપો. ક્યાં તો તમારે dismiss તો થવું જ પડશે. ઉભા પગે નહીં નીકળો તો આડા પગે તો નીકળ વાનું જ છે. સાધુની પાલખી નીકળે ને તમારી ઠાઠડી જ નીકળવાની છે. અને તમે પણ વિશિષ્ટ આરાધના કરો, સુંદર-શ્રેષ્ઠ કાર્ય કરો તો તમારી પાલખી નીકળી શકે. રજનીભાઈ દેવડી અભિષેકના પ્રસંગે પાલીતાણામાં દેવલોક થયા તો તેમની પાલખી નીકળી હતી. જે જીવનભર આરાધના કરે તેનું મૃત્યુ પ્રશંસનીય હોય, તે બધાની પાલખી નીકળે. બાકી તમે કહીને જાવ તોય તમારા દીકરા તમારી પાલખી નહીં કાઢે. કેમ ? જીવન પ્રશંસનીય નથી. જીવનમાં કંઈ કસ નથી. સંસાર સુખનું સ્વરૂપ (૧) જિનોપાસના (૨) ભાવાચાર્યની ઉપાસના પછી (૩) સહજ ભોગ એ ત્રીજું યોગબીજ છે સંસારનું સ્વરૂપ જેવું છે તેવું વિચારતાં સહજરૂપે ઉદ્વેગ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં ચક્રવર્તીથી માંડીને નાના સુધી બધા વિડંબનાના દુઃખ ભોગવે - - Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy