SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ચારેગતિમય સંસાર દુઃખરૂપ છે ૧૨૯ જગ્યામાંથી નીકળવાની પીડા અસહ્ય છે. જન્મ કરતાં મરણનું દુઃખ વધારે છે. કારણ કે આત્મા શરીરની સાથે લોહાગ્નિ ન્યાયે એકમેક થયેલો છે. તેથી તેમાંથી છૂટા પડતાં અતિદુઃખ હોય છે અને શરીરને પોતાનું માન્યું છે. શરીરની મમતા વધારે તેને મરણની પીડા વધારે થાય છે. જેને શરીરની મમતા ઓછી તેને મરણની પીડા ઓછી. દેહની સાથે સ્વજન-કુટુંબની મમતા વધારે એને મરણની એથી વધારે પીડા છે. જેને જીવતાં (જીવનમાં) દેહની-કુટુંબની મમતા ઉતારી હશે તેને મરણની પીડા ઓછી થશે. જન્મની પીડા દેવોને નથી. બીજા જીવોને જન્મ-મરણનું દુઃખ પ્રત્યક્ષ છે. નારકીને શાતાનો ઉદય ક્યારે ? નારકીના જીવોને સતત-સખત દુઃખ હોય છે. પણ ત્યાં ચાર વખતે શાતાનો ઉદય હોઈ શકે છે. (૧) કોઈક નારકી જીવને ઉત્પત્તિ સમયે (જન્મ સમયે) (૨) તીર્થકરોના કલ્યાણક વખતે (એમાં પણ નિકાચિત અશાતાના ઉદયવાળા નારકીને તીર્થકરોના કલ્યાણકોમાં પણ શાતાનો ઉદય નથી.) (૩) કોઇ મિત્ર દેવ મળવા આવે, પ્રતિબોધ કરવા આવે ત્યારે દેવ પુણ્ય પ્રભાવથી ત્યાં શુભ પગલો વિકર્વે-ઉત્પન્ન કરે ત્યારે અશાતાનો ઉદય તેટલીવાર (સમય) ન હોય. (૪) જે નારકીનો જીવ ત્યાં ગ્રન્થિભેદ કરે, સમક્તિ પામે ત્યારે શાતાનો અનુભવ હોય. કારણ કે આત્મા, આત્માના સ્વરૂપમાં ગયો ત્યારે એ અશાતા, અશાતા નથી રહેતી. બહારથી અશાતા છે. દેખાવથી અશાતા છે. નિશ્ચયથી શાતા છે. અંદરથી શાતા છે. નરકમાં સમકિત પમાય છે. પંચેન્દ્રિય જીવો ચારે ગતિમાં સમકિત પામી શકે છે. નરકમાં પરમાધામી પીડા આપે ત્યારે જીવને પશ્ચાત્તાપ થાય. કે હું મનુષ્યભવ પામ્યો, સાથે પરમાત્માનું શાસન પામ્યો છતાં, કેવો અભાગી ! મેં પાપો કરીને જન્મ એળે ગુમાવ્યો, ઘર્મ કર્યો નહીં. મારા પાપો જ મને નડ્યા છે. આ રીતે પાપનો ધિક્કાર, પોતાની જાતનો ધિક્કાર એ સમકિત પમાડે છે. જ્યારે પાપીનો ધિક્કાર દુર્ગતિ અપાવે છે. જાતનો ધિક્કાર હું કેવો પાપી! હું કેવો પાપી! એ ભાવમાં આગળ વધતા ગ્રચિભેદ શક્ય બની જાય છે. ચારેગતિમય સંસાર દુઃખરૂપ છે ઈચ્છાના સંસાર કરતાં અનિચ્છાનું ચારિત્ર સારૂં. ભવદેવે અનિચ્છાએ ચારિત્ર લીધું તો ભવદેવ જંબૂકુમાર થઈને ઉભો રહ્યો. કદાચ સંસારમાં રહેવું પડે તો ય અનિચ્છાએ સંસારમાં રહેશો તો આત્મલાભ પામશો. બાહ્યદૃષ્ટિથી પણ સંસાર વિકત છે અને અત્યંતર દૃષ્ટિથી પણ સંસાર વિકત છે જ. સંગમે પ્રભુ મહાવીર ઉપર એક હજાર ભારનું કાળચક ફેક્યું તેનાથી ભગવાન જમીનમાં ખેંચી ગયા. તેનાથી જે અસહ્ય વેદના પ્રભુને થઈ તેના કરતાં અનંતગણી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy