SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ યોગદાષ્ટનાં અજવાળાં -: ભાગ-૨ વૈરાગ્ય બને નહીં. એ પોતે ગીતાર્થ નથી, ગીતાર્થની નિશ્રા નથી. ગીતાર્થની શરણાગતિ નથી. કષ્ટમય જીવન છે પણ સમ્યગુ-માર્ગના અભાવમાં કાયકલેશ છે. ધર્મ નથી કારણ કે ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, લાઘવ-ગૌરવનું જ્ઞાન નથી. ને દુષ્કર તપાદિ કરે તો પણ મોહગર્ભિત વૈરાગ્ય છે. પરમાત્માની આજ્ઞારુચિમાંથી આત્માને શુભ પરિણામ પ્રગટે છે, જ્યાં માર્ગનો સૂક્ષમ બોધ નથી, માર્ગના જાણકારની નિશ્રા નથી, તે બધા મોહગર્ભિત વૈરાગ્યમાં છે. મોહગર્ભિત વૈરાગ્યમાં વિષયનો-પદાર્થનો ત્યાગ છે. કષાયનો ત્યાગ છે પણ અજ્ઞાનનો ખ્યાલ નથી, અજ્ઞાન ખટકતું નથી. માટે ગુરુકુલવાસમાં રહેવું એ જ માર્ગ છે. “એ યોગે જો લાગે રંગ, આધાકર્માદિક નહીં ભંગ”. દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ (યશો. ઉપા.) ગુરુકુલવાસમાં જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે, માર્ગનો બોધ થાય છે, પરિણતિ નિર્મળ થાય છે. ઉત્સર્ગ-અપવાદનો ખ્યાલ આવે છે માટે ગુરૂકુલવાસમાં જીવન શ્રેષ્ઠ બને છે. જૈન દર્શનમાં દીક્ષા લીધા પછી ગુરુ નિશ્રાએ રહી જે ભણતાં નથી, ગણતાં નથી. ઉત્સર્ગ-અપવાદ સમજતાં નથી અને મેગેઝીનો વાંચીને વ્યાખ્યાનો આપે છે તેને શું શાસ્ત્રબોધ થઈ ગયો કહેવાય ? તેઓના જીવનમાં ખતરનાક ભૂલો થવાનો સંભવ છે. શાસ્ત્રનો સૂક્ષ્માતિસૂક્ષ્મ બોધ જોઈએ. તપ-જ૫ પછી છે. માર્ગનો સૂક્ષમાતિસૂક્ષ્મ બોધ એ ચારિત્રમાં જરૂરી છે. “વિષમકાળમાં નિર્ગુણ ગચ્છ, કારણથી જો વસીએ રે, દ્રવ્ય થકી વ્યવહારે ચલીએ, ભાવે નવિ ઉલ્લાસીએ” જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ જ્યાં ન હોય તેવા ગચ્છમાં રહેવાનો વખત આવે તો દ્રવ્યથી રહે પણ ભાવથી ન રહે. આ જૈન શાસનની મર્યાદાઓ છે. ગર્ભવાસનું દુઃખ કેવું છે ? અહીં પહેલી દૃષ્ટિમાં જીવને સહજ ભવોઢેગ હોય છે. સંસાર દુઃખ રૂપ છે. સંસાર ભયંકર છે. સંસારમાં પહેલું ગર્ભવાસનું દુઃખ છે માતાના પેટમાં, અંધારી કોટડી, મલમૂત્ર વિષ્ટાથી ભરપૂર, ઊંઘે મસ્તકે લટકવાનું. આ શરીરમાં સાડા ત્રણ કોડ રુંવાડા છે, તેમાં લાલ ચોળ અગ્નિ જેવી તપાવેલી ધગધગતી સાડાત્રણ ક્રોડ સોયો એક સાથે ખોસવામાં આવે અને જે દુઃખ (વેદના) થાય તેનાથી આઠ ગણું દુ:ખ ગર્ભવાસમાં છે. ગર્ભમાં કમસર દુઃખ વધતું જાય છે. પહેલા મહિને જે દુઃખ તેના કરતાં બીજા મહિને દુઃખ વધારે, બીજા કરતાં ત્રીજા મહિને, ત્રીજા કરતાં ચોથા મહિને વધારે દુખ. ગર્ભાવાસમાં જેમ જેમ સમય જાય તેમ તેમ દુઃખ કેમ વધતું જાય? કારણ કે શરીર વધતું જાય છે અને રહેવાની જગ્યા એટલી જ છે. એટલે શરીરને સંકોચાવું પડે છે. નાની જગ્યામાં મોટી વસ્તુ કેવી રીતે રહી શકે? એટલે એને ગુંગળામણ થાય છે. ગર્ભાવાસનાં દુઃખ કરતાં જન્મનું દુઃખ એનાથી વધારે છે. કારણ કે જેમાંથી નીકળવાનું છે તે ભાગ એનાથી સાંકડો છે નાનો છે. તે સાંકડી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy