SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય ઘટના શિંકત વેડફાઇ રહી છે. આ શિકિતનો દૂરુપયોગ છે. અઢળક કર્મબંધ કરાવે છે. આત્માને દુર્ગતિમાં મોકલી દે છે. માટે શકિતનો સદુપયોગ કરવો જોઇએ. યોગ્ય માર્ગે વિનિયોગ કરી લ્યો, જો શકિતનો દુરૂપયોગ થાય છે, તો ભવાંતરમાં તે શકિતઓની પ્રાપ્તિ દુર્લભ બને છે. કર્મસત્તા તે શકિતઓ છીનવી લે છે. ફરીથી તે શકિતઓ કર્મસત્તા આપતી નથી. ૧૨૭ નિરાશંસભાવે, પરમાત્માની આજ્ઞા છે, એમ માની સેવા કરવી તે વખતે પોતાની એક સરખી ભાવના ચાલે, ચિત્તલીન બને, આનંદનો અનુભવ થતો હોય. આવી રીતે નંદીષેણે કર્યું. જેથી બે ભવમાં મોક્ષ થયો. નંદીષેણે અંદ૨ના શુભભાવોથી ઘર્મ Solid કરેલો, પણ છેલ્લે સ્ત્રીવલ્લભ થવાનું માંગ્યું. તેથી વૈરાગ્ય ઝાંખો પડ્યો. પણ વૈયાવચ્ચ દ્વારા અહંકારનો નાશ કર્યો છે, નમ્રતા, સજજનતાદિ બીજા ઘણાં ગુણો ઉભા રહ્યા છે. ચારિત્ર મોહોદયે પછીના ભવમાં ચારિત્ર ન પામ્યા, પણ બે ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. भवोद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् । તથા સિદ્ધાન્તમાશ્રિત્ય, વિધિના Òવનાવિ TM || ૨૭ || ભવોદ્વેગ એ પણ યોગ બીજ છે. ભવ એટલે સંસાર તેનો ઉદ્વેગ, જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, કલેશ, માન, અપમાન, સંયોગ, વિયોગ વિગેરેથી ભરપુર આ સંસાર છે. સંસારમાં સાર નથી. સંસારમાં સુખ નથી. આવા સંસારના સ્વરૂપને વિચારતાં સંસાર પરથી કંટાળો આવે છે. તે વખતે જે વૈરાગ્ય થાય તે સહજ ઉદ્વેગ છે. સાહજિક છે. પરંતુ જેમાં ઇષ્ટનો વિયોગ થાય અનિષ્ટનો સંયોગ થાય તે વખતે દુ:ખ થાય અને શરીરમાં રોગાદિ થાય, માન અપમાન થાય અને સંસાર ઉપરથી મન ઉઠે તે દુઃખ નિમિત્તક વૈરાગ્ય છે. તે સહજ વૈરાગ્ય નથી, તે આર્તધ્યાન રૂપ છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જોઇએ. અગ્નિશર્માને ગુણસેન વારંવાર હેરાન પરેશાન કરે છે, ખૂબ ત્રાસ આપે છે, મશ્કરી ઠઠ્ઠા કરે છે, ગધેડા પર બેસાડે છે, ઢોલ વગાડે છે, દુઃખ આપે છે. નગરમાં ફેરવે છે. મોઢા ઉપર મેંશ ચોપડે છે, કરેણના ફૂલની માળા પહેરાવે છે, હજારો છોકરાઓ પાછળ ફરે. અગ્નિશર્મા ચીસો પાડે તે જોઇ બધા ખુશ થાય. રોજને રોજ આવા દુઃખોથી કંટાળી અગ્નિશર્મા ભાગ્યો છે. જયા૨ે વસંતપુ૨ નગરેથી ભાગ્યો ત્યારે દુઃખથી છુટવા ભાગ્યો છે માટે દુઃખગર્ભિત વૈરાગ્ય છે પણ પછીથી મોહગર્ભિત વૈરાગ્ય થયો છે. આશ્રમમાં આવ્યો, કુલપતિ વિગેરે તાપસોને જોયા, સંસારમાંથી કંટાળેલા તેને ત્યાં શાંતિ લાગે છે. પછી તેણે ભીષ્મ પ્રતિજ્ઞા કરી, માસક્ષમણના પા૨ણે માસક્ષમણ કરવાનું, પારણામાં એક જ ઘરે પારણું કરવાનું. આહાર ન મળે તો ફરી માસક્ષમણ કરવાનું. આ ભીષ્મ પ્રતિજ્ઞાથી વૈરાગ્ય દુઃખગર્ભિત ન રહ્યો કારણ કે દુઃખને તો સામે ચાલીને સ્વીકારે છે. પરંતુ મોહગર્ભિત છે. કેમ ? એના જીવનમાં કષાય, અજ્ઞાન, ખોટા આગ્રહ રહેલા છે. ગીતાર્થની નિશ્રા ન હોય તો શાન ગર્ભિત Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy