SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ ને છાંયડા જીવનમાં આવ્યા કરે, બધી વાત કરે છે. સંપત્તિ તો ગઈ છે તેની ચિંતા નથી પણ માથે દેવું થયું છે. કેટલું છે ? ત્રણ લાખનું દેવું છે.. શેઠે ચેક બુક કાઢી, બોલો કેટલા પૈસા અપાય? તમે હો તો કેટલા આપો? શેઠે પાંચ લાખનો ચેક ફાડ્યો.. આ કહે નહીં, નહીં, મારે આટલા બધા નહીં જોઇએ. પણ સાંભળોત્રણ લાખનું તો દેવું ચૂકવશો. પછી ખાશો શું ? પીશો શું ? પેલો ના કહે છે, પેલો કહે, ના લેવા જ પડશે. આનું નામ જૈનશાસન છે. એની આપત્તિ ટળી જાય. અને પછી શું કરશે ? તે બધી સામા આત્માની ચિંતા કરવાનું જૈનશાસન કહે છે. તેના ચિત્તની પ્રસન્નતા થાય ત્યાં સુધીની ચિન્તા કરવાની. પૈસા તો આજ છે ને કાલ નથી. દ૬ લાખનો એક આસામી એક રાતમાં દરિદ્રી થઈ ગયો. એણે ૨૨ લાખ જમીનમાં દાટ્યાં હતાં. ૨૨ લાખ કોઈના ઘરે વ્યાજે મૂકયા હતાં અને ૨૨ લાખ ધંધામાં રોકયાં હતાં. પૈસો એવી ચીજ છે કે પાપનો ઉદય થયા પછી પકડીને રાખી શકાતી નથી. એકજ રાતમાં જમીનમાં દાટેલા પૈસા કોલસા થઈ ગયા, જેને ત્યાં મૂકયાં હતાં તે પાર્ટી ઉઠી ગઈ, અને ધંધામાં જબ્બર નુકશાન થયું. એટલે પૈસો બુદ્ધિથી રહેનારી ચીજ નથી. આ શેઠ પાંચ લાખ આપે છે ત્યારે કર્તવ્ય લક્ષે જ આપે છે. આપણા પૈસા તિજોરીમાં જ રહે તે સારૂં, કે સામી વ્યકિતના દુઃખ, દારિદ્ર તેનાથી દૂર થાય તે સારૂં? સંસાર કર્માધીન છે. મારું આ સમયે આ જ કર્તવ્ય છે. જે સમયે સમયે કર્તવ્યને વિચારે, કર્તવ્યને અનુસરે તેને કયારેય દુઃખી થવાનો પ્રસંગ આવે નહિં, અને કર્તવ્યનો ભંગ કરે , કર્તવ્યને સમજે નહીં તેને દુઃખ આવે છે. કર્તવ્યનું પાલન સૌથી શ્રેષ્ઠ છે. એક માણસ નવકારનાં “ નમો લોએ સવ્વ સાહૂણે ” નો જાપ રોજ કરે છે. અને બીજો માણસ ઉપાશ્રયમાં જઈને સાધુની સેવા, વૈયાવચ્ચ કરે છે... બેમાં કોણ ચઢે? વૈયાવચ્ચ કરનારો ચઢે છે. એમાં કર્તવ્યનું પાલન છે.. જ્ઞાન કરતાં ભાવના ચઢે છે. ભાવના કરતાં કર્તવ્યપાલન ચઢે છે. ભાવના વગરનું જ્ઞાન શુષ્ક બને છે. જ્ઞાનને અનુસારે આત્માને ભાવનાથી ભાવિત કરતાં નથી.; અને જે જ્ઞાન આત્માને ભીંજવે નહીં તે શુષ્કજ્ઞાન છે. અભવ્ય પાસે નવ પૂર્વનું જ્ઞાન છે પણ ભાવના નથી માટે શુષ્કજ્ઞાન છે. “જગતના જીવો સુખી થાવ” એમ ભાવના કર્યા કરે અને દુઃખીને જોઇને દુઃખ દૂર ન કરે તો એ ભાવના કેવી કહેવાય? શ્રદ્ધા, ભાવના સાચી કયારે બને ? શ્રદ્ધા, ભાવના વાંઝણી નથી. જો એ શ્રદ્ધા, ભાવનાથી કર્તવ્યના પાલન માટે દોડી જાય તો એ ભાવના શ્રદ્ધા સાચી. શ્રદ્ધાનો અર્થ જ શાસ્ત્રકારોએ કરણાભિલાષ” કર્યો છે. પેલા રાણાને પાંચ લાખનો ચેક મળતાં રાજીનો રેડ થઈ ગયો. દેવું ચુકવીશ, બે લાખ વધશે, વળી પાછો આગળ વધીશ, ગયો, દુષ્કાળ પણ દૂર થયો, ધીમે ધીમે પાપનો ઉદય ટળ્યો, પુણ્યનો ઉદય પ્રગટયો. ફરી રાણો બની ગયો. આ બાજુ આ શેઠને પુણ્યનો ઉદય ખસવા માંડ્યો, પાપનો ઉદય આવવા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy