SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય ઘટના ૧૨૫ માંડ્યો, બધું જ ગયું, દિવસ પછી દિવસ પસાર કરવા મુશ્કેલ બન્યા. આવી પરિસ્થિતિમાં સારો માણસ કોઇને કહી ન શકે, માંગી ન શકે, દિવસો કેવી રીતે પસાર કરવા? પત્ની વારંવાર કહે છે કે તમે પેલાને પાંચ લાખ આપ્યા છે ને? ત્યાં જાવ, પણ મન નથી માનતું. પણ પત્નીના કહેવાથી એની પાસે (કચ્છમાં) જઇ રહ્યા છે, પોતાની તો ઇચ્છા જ નથી. પરાણે પત્નીના કહેવાથી જાય છે. ચાલતાં ચાલતાં ત્યાં પહોંચી ગયાં. રાણો તે વખતે રાજ સભામાં બેઠેલો છે. હિંમત કરીને ત્યાં પહોંચે છે. સિંહાસન ઉપર બેઠેલા રાણાએ દૂરથી બે જણાને આવતા જોયા. માણસના પાપના ઉદયને પારખી લીધો. પાપના ઉદયને પરખી લેવો એ કોઈ મોટી ચીજ નથી. દરેક પરિસ્થિતિ તેની ચાડી ખાય છે. સભા બરખાસ્ત થયા પછી પૂછે છે બોલો, કેમ આવવું થયું છે. કહી શકતો નથી. પણ કહ્યા વગર છૂટકો નથી. મુંઝવણમાં લાગો છો. બધી વાત કરી, રાણાએ મંત્રીને બોલાવ્યો. “મંત્રીશ્વર ! આપણે ત્યાં આ મહેમાન આવ્યા છે. એને રહેવા માટે એક ઘર આપો. અને જીવવા માટે એક બકરી આપો.” આ સાંભળી પેલાના, પુણ્યશાળીના ભાવ-પરિણામ બગડતા નથી પણ તેની સ્ત્રીને આ શબ્દો આગ-ઝાળ જેવા લાગે છે. આપણે તો પાંચ લાખનો ચેક વણમાંગે આપી દીધો હતો, અને આજે એ આ રીતે આપણને આપવાની વાત કરે છે? ત્યારે પત્નીને કહે છે- ગાંડી આપણે લેવા માટે આપ્યું નથી. આ નિરાશં તો મેં તો બદલાની ઇચ્છા વગર કર્યું છે. પ્રતિક્રિયાની કોઈ અપેક્ષા રાખી જ નથી. માટે ખોટા ભાવ કરીશ નહીં. જગત ક્રિયા અને પ્રતિક્રિયા ઉપર ચાલે છે, ભાવ અને પ્રતિભાવ ઉપર ચાલે છે, action અને recetion ઉપર ચાલે છે; એનું નામ જગત છે. એનું નામ સંસાર છે. સંસાર આનાથી ચાલે છે. આ ભાઇના પરિણામ બગડતા નથી. ધર્મ પરિણામ પામ્યો છે. ઘર્મ પચાવ્યો છે. ગુણઠાણાની માથાફોડ કરવા કરતાં ઘર્મ પરિણામ પામ્યો છે કે નહીં? તે જૂઓ, જયારે પ્રતિકુળ સંયોગોમાં, પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-ભાવમાં, આત્મા મૂકાય ત્યારે પ્રતિકૂળ ભાવ જીવ ન કરે તે આત્મા ધર્મ પામ્યો કહેવાય. પ્રતિકૂળ દ્રવ્ય ક્ષેત્ર ભાવમાં પણ જીવ પ્રતિકૂળ ભાવ ન કરે તો ગુણઠાણામાં આગળ વધી શકશે. પ્રતિકુળ ભાવમાં પ્રતિકુળ અને અનુકુળ ભાવમાં અનુકૂળ ભાવ કરીએ તો આપણે પણ એક સંસારમાં જ છીએ. મેં તો એને કર્તવ્ય સમજીને જ પાંચ લાખનો ચેક આપ્યો હતો. પત્નીના ભાવ બગડે છે કે જેને તમે પાંચ લાખ આપ્યા તે આવા છે ? પેલો કહે છે કે જરા તું વિચાર તો કર. આજે આપણને રાખવા કોઈ તૈયાર નથી. ત્યાં આપણને રહેવા માટે ઘર આપ્યું અને જીવવા માટે બકરી આપી છે. પંદર દિવસ થયા પછી રાણો પૂછે છે કેમ છે ? કેમ ચાલે છે ? તો કહે સારું છે. પણ બકરી મરી ગઇ છે. ત્યારે રાણી કહે છે- પ્રધાનજી ! આમને એક ભેંસ આપો. ભેંસ લઈને ગયો. ફરી રાણો પૂછે છે કે કેમ છે? તો કહે સારું છે. પણ ભેંસ વિયાણી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy