SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય ઘટના ૧૨૩ (૨) વૈયાવચ્ચ કરનારને વૈયાવચ્ચ કરતાં પોતાને જે યોગ સાધવાના છે. તેની હાનિ થવી ન જોઈએ. અમુક કાળે, અમુક સમયે જે સાધના કરવાની છે. તે વ્યવસ્થિત થવી જોઇએ. શ્રતોપાસના પણ નિત્ય થવી જોઇએ. અભિનવ શ્રતનું ગ્રહણ ન થાય તો મૃતથી જે લાભ થવો જોઈએ તે ન થાય તો ભવિષ્યમાં શ્રુતના અભાવે નુકશાન થાય છે. (૩) વૈયાવચ્ચ કરતાં, મન-વચન-કાયાનો ઉત્સાહ હોવો જોઈએ. વૃદ્ધિ પામવો જોઇએ. શારીરિક શકિતથી અધિક ખેંચે, અને પછી બે મહિના માંદો પડે, તો એ ઉચિત વૈયાવચ્ચ ન કહેવાય. જુસ્સામાં ને જુસ્સામાં શકિતને ઓળંગીને કરી લે, પછીથી પડે. એવો પડે કે મહિનાઓ સુધી પડી રહેવું પડે તો ત્યાં પોતાનો ઉપકાર, પોતાની ઉચિતતા જોઇ ન કહેવાય.. જીવનમાં વૈયાવચ્ચની જ્ઞાનાદિની, તપ-ત્યાગની વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરો, તેનાથી વર્તમાનમાં લાભ થવો જોઈએ, પછીથી પણ લાભ થવો જોઈએ અને પરલોકમાં પણ લાભ થવો જોઈએ અને બીજાને નુકસાન ન થાય તો યથાર્થ લાભ પ્રાપ્ત થાય છે. દિન-પ્રતિદિન આરાઘના વધે, દિન પ્રતિદિન પરિણામ વૃદ્ધિ પામે તો યોગ સાધ્યો કહેવાય. દરેક ક્ષેત્રમાં દીર્ઘ-દષ્ટિથી વિચાર કરવાનો છે. બે દિવસ ઉજાગરા કરે અને પછી દિવસે ઊંધ્યા કરે તે બરાબર નથી. દિવસના કાર્યો સદાય, આવશ્યક કર્તવ્યો પણ સદાય તે યોગ્ય નથી. વૈયાવચ્ચ નિરાશંસ ભાવે કરે, પરમાત્માની આજ્ઞા છે એમ માનીને કરે, અત્યંત ઉપાદેય બુદ્ધિથી કરે, ચિત્તની ધારામાં તન્મય બને, ચિત્તનો ઉત્સાહ વૃદ્ધિ પામે, વર્ષોલ્લાસ વૃદ્ધિ પામે, આનંદ વૃદ્ધિ પામે, આડા-અવળા સંકલ્પ વિકલ્પ ન આવે, ચિત્ત up અને down ન થાય, ચિત્તની ધારા એક સરખી બનેલી રહે. તો એ વિશુદ્ધ યોગબીજ યોગનું કારણ બની મોક્ષનું કારણ બને છે. સત્ય ઘટના કચ્છનો એક રાણો હતો, ઉપરાઉપરી બે-ત્રણ દુકાળો પડયા. અનાદિનો પાક ન થવાના કારણે લોકોના ટેક્ષ ન આવવાથી ભંડાર-તિજોરી ખાલી પડયા છે. નાણા સાફ થઈ ગયાં. રાણો મુંઝાય છે. જો આ પ્રજા વિફરે તો કદાચ મને મરવાનો વખત આવે. હવે અહી રહેવામાં જાનનું જોખમ છે. કયાંય ભાગી જાઉ. અને રાણો પહેરેલા કપડે ટ્રેનમાં ભાગ્યો. જામનગર પહોંચ્યો, ફુટપાથ ઉપર એક બાજુ પર બેઠો. એક શેઠની નજર એના પર પડી. આ કોઈ સામાન્ય માણસ નથી. “બાજૂતિઃપુન તથતિ” માણસને એની આકૃતિ ઉપરથી ઓળખી શકાય છે. ખાનદાની છાની ન રહે. શેઠ તેને ઘરે લઈ જાય છે. સ્નાનાદિ કર્યા બાદ જમાડે છે. પછી પૂછે છે, તમે કોઇ ખાનદાન કુળના છો. પણ અત્યારે કોઈ મુંઝવણમાં છો તેમ જણાય છે. બોલો શું મુંઝવણ છે? કહે છે-ભાઈ ! સંસાર છે પુણ્ય-પાપના ઉદય ચાલ્યા કરે, તડકા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy