SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ છે. યોગબીજો ચરમાવર્તમાં યોગ ફળને આપનારા છે. જેણે યોગબીજનું સેવન કર્યું તે યોગફળને પામવાના જ છે. અને યોગનું ફળ મોક્ષ તો છે જ.. મોક્ષની પ્રાપ્તિ માટે યોગ જરૂરી છે. યોગ માટે યોગબીજ જરૂરી છે. (૧) જિનોપાસના (ર) અને ભાવાચાર્યદિની ઉપાસના ત્રણે યોગથી કરવાની છે. મનથી કુશળ ચિંતવન, વચનથી સ્તુતિ-સ્તવન વિગેરે અને કાયાથી પ્રણામ-નમસ્કાર, સન્માન, સત્કાર વિગેરે જેમ જિનોપાસના યોગબીજ, તેવા પ્રકારની સામગ્રી મળતાં, કાળાદિ સામગ્રી મળતાં ફળ પકાવવાનો આરંભ કરનાર છે. તેમ ભાવાચાર્યની ઉપાસના પણ ફળના પરિપાકમાં ઉપયોગી છે. આચાર્યાદિની વૈયાવચ્ચ એ અસાધારણ ગુણ છે. અપ્રતિપાતિ ગુણ છે. જ્ઞાનાદિ સાધના ન હોય, તપ-ત્યાગાદિ ન હોય પણ આ વૈયાવચ્ચ ગુણના બળે ત્રીજે ભવે મોક્ષ મળે છે. વૈયાવચ્ચથી સીધો મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. એક આત્મા બિમાર પડયો.. તમે તેની તન-મન-ધનથી સેવા કરો છો. તે જોતાં આજુ-બાજુ વાળાં જોનારા પણ, ધર્મ પામે છે. ઓહો ! કેવો સુંદર ધર્મ? કેવી સેવા-વૈયાવચ્ચ કરે છે? આ રીતે તમારી સેવાની અનુમોદનાપ્રસંશા કરીને જોનારા પણ ધર્મ પામી જાય છે. કેવી શાતા આપે છે ? કેવી સેવા કરે છે ? તમારી વૈયાવચ્ચ જોનારામાં ધર્મનું બીજ ઊભું કરે છે. સંપ્રતિનો જીવ પૂર્વભવમાં ભીખારી છે. ખાવાનું મળતું નથી. સંસાર તજીને સાધુ થાઉ તો ખાવા મળશે.. ખાવા માટે દીક્ષા લીધી છે. રાત્રે બિમાર પડે છે. શેઠીયાઓ, સાધુઓ ખડે પગે સેવામાં હાજર છે. આચાર્યથી માંડીને બધા તેની સેવામાં છે. અને નિર્ધામણા કરાવી રહ્યા છે. આ વૈયાવચ્ચગુણ, સાધુનો સહાયક ગુણ વિગેરે જોતાં ભિખારી શુભભાવ ઉપર ચઢે છે. મેં તો ખાવા માટે ચારિત્ર લીધું છે ને આ સાધુજીવન આટલું બધું ઉત્તમ છે, જો ભાવથી ચારિત્ર લીધું હોય તો કેટલો લાભ? જો કે હજી ગ્રન્ચિ ભેદાઈ નથી. પહેલું ગુણસ્થાનક છે. પણ શુભ ભાવ કરતાં આવડયો છે. પહેલા ગુણઠાણે પણ ભાવની કેટલી તાકાત છે.? ત્યાંથી મરીને ભીખારી સંપ્રતિરાજા બન્યો.. અશુભભાવોને ખતમ કરવામાં શુભ-ભાવ બહુ જ ઉપયોગી છે. શુભભાવ ખૂબખૂબ ઘૂંટાય ત્યારે શુદ્ધભાવ સ્પર્શે છે. સમ્યકત્વ સ્પર્શી જાય છે. શુભભાવ આત્મસાત્ થયા વિના, સ્વરૂપની ઝંખના તીવ્ર બન્યા વિના સમ્યકત્વ સ્પર્શી શકતું નથી. શુદ્ધભાવ પામી શકાતો નથી. ૧) વૈયાવચ્ચ દ્વારા તૈયાવચ્ચકારી (કરનાર)નાં પણ ઉપકાર-અપકાર જોવાના હોય છે. વૈયાવચ્ચ કરતાં પોતાને જ્ઞાનની, દર્શનની, ચારિત્રની વૃદ્ધિ થવી જોઈએ. જો એ હોય તો ઉપકાર થયો કહેવાય. મારી વૈયાવચ્ચ દ્વારા સામાને અપકાર ન થવો જોઇએ.. તેમ પોતાને પણ અપકાર ન થવો જોઇએ. એટલે કે વૈયાવચ્ચ કરતાં અંદરમાં સ્પષ્ટ સમાધિ રહેવી જોઈએ. મનમાં દુર્ગાન, કષાયાદિ થતાં હોય, ભાવો બગડતા હોય તો વૈયાવચ્ચના લાભ જીવનમાં પ્રાપ્ત ન થાય. શરીરની ક્ષમતા વિચારીને કરે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy